For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટીમ ઇન્ડિયા નહોતી રમવા માગતી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ

By Super
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 3 જૂલાઇઃ ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ઇંગ્લેન્ડ વિરુદ્ધ 20 ઓવરની મેચ રમવા માગતી નહોતી. નોંધનીય છે કે, સતત થઇ રહેલા વરસાદના કારણે ફાઇનલ મેચમાં ઓવર કાપીને 20-20 ઓવર કરી દેવામાં આવી હતી. ટીમ ઇન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની આપત્તિ વ્યક્તિ કરી હતી, પરંતુ આઇસીસીની ટેક્નિકલ કમિટિએ ટીમ ઇન્ડિયાને રમવા માટે મજબૂર કરી હતી.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની મેનેજમેન્ટ ટીમે આ મામલે આઇસીસીમાં પોતાનો વિરોધ પણ નોંધાવ્યો હતો. પરંતુ ભારતીય ટીમને આઇસીસીનો નિર્ણય માનવો પડ્યો હતો. બીસીસીઆઇના સુત્રોએ જણાવ્યું હતું કે, આવું દરેક આઇસીસી ટૂર્નામેન્ટમાં થાય છે, તેવામાં એક મેચ માટે નિયમ બદલવામાં આવતા નથી.

સતત થઇ રહેલા વરસાદની વચ્ચે આઇસીસીએ જ્યારે 20-20 ઓવરની મેચનો પ્રસ્તાવ મુક્યો તો ટીમે તેને ખારીજ કરી નાંખ્યો. ટીમ મેનેજમેન્ટે પ્લેઇંગ કન્ડિશનનો હવાલો આપતા કહ્યું કે આવી સ્થિતિમાં મેચ સંભવ નથી. પછી આઇસીસીએ કહ્યું કે તેવામાં ટ્રોફીને બન્ને ટીમો વચ્ચે શેર કરવી પડશે, પરંતુ બાદમાં આઇસીસીની ટેક્નિકલ કમિટિએ નિર્ણય કર્યો કે 20 ઓવરના નિર્ણય પર જ આગળ વધવામાં આવે.

team-india
આઇસીસીના આ નિર્ણયથી ટીમ ઇન્ડિયા સહમત નહોતી. ટીમનો તર્ક હતો કે હાલ તેમની તૈયારી 50 ઓવરના ફોર્મેટમાં છે. અચાનક ટી-20 મોડમાં આવવું સંભવ નથી, પરંતુ આઇસીસીએ ખરાબ મોસમને લઇને નિયમોનો હવાલો આપ્યો. ભલે આ નિર્ણય ટીમ ઇન્ડિયાના પક્ષમાં આવ્યો, પરંતુ ટીમ મેનેજમેન્ટ 20 ઓવર માટે તૈયાર નહોતી.
English summary
Team India did not want to play the 20 over final of the Champions Trophy against England because of the incessant rainfall which curtailed the game, it has emerged.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X