આ છે IPL 2022ના મોટા વિવાદ, જેને લાંબો સમય યાદ રાખવામાં આવશે!
IPL 2022 સિઝન શ્રેષ્ઠ સિઝનમાંથી એક રહી છે. સિઝનમાં બે નવી ટીમો ઉમેરવામાં આવી હતી, જે બંને પ્લેઓફમાં પહોંચી હતી.
નવી દિલ્હી : IPL 2022 સિઝન શ્રેષ્ઠ સિઝનમાંથી એક રહી છે. સિઝનમાં બે નવી ટીમો ઉમેરવામાં આવી હતી, જે બંને પ્લેઓફમાં પહોંચી હતી. જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ એલિમિનેટરમાં RCB સામે હારી ગયું હતું, ત્યારે ગુજરાત ટાઇટન્સે ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સને હરાવીને ટાઇટલ જીત્યું હતું. આઈપીએલ સાથે જોડાયેલી બીજી બાબત છે વિવાદ. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘણા વિવાદો સામે આવ્યા છે, જેને ભૂલવા ક્રિકેટ ચાહકો માટે મુશ્કેલ છે.

નો બોલ વિવાદ
IPL 2022 ની 34મી મેચમાં દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની ટક્કર સૌથી વધુ ચર્ચામાં રહી હતી. આ મેચમાં પંતે તેના બેટ્સમેનોને મેદાન છોડી જવાનો સંકેત આપ્યો હતો. બન્યું એવું કે છેલ્લી ઓવરમાં 36 રનની જરૂર હતી. બેટિંગ કરતા રોવમેન પોવેલે પ્રથમ ત્રણ બોલમાં ત્રણ સિક્સર ફટકારી હતી. ત્રીજો બોલ કમર ઉપર જઈ રહ્યો હતો અને પોવેલે પૂછ્યું કે શું તે નો-બોલ છે. જ્યારે મેદાન પરના અમ્પાયરે દિલ્હીની તરફેણમાં નિર્ણય ન આપ્યો ત્યારે પંતે તેના ખેલાડીઓને મેદાન છોડવા કહ્યું. અંતે દિલ્હી મેચ હારી ગયું અને પંતને તેના વર્તન માટે ઠપકો આપવામાં આવ્યો. દિલ્હીએ પણ ફેરપ્લે ટેબલ પર નોંધપાત્ર પોઈન્ટ ગુમાવ્યા. આ મેચમાં અમ્પાયરિંગ પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

કોહલીનો ગુસ્સો
IPL 2022માં વિરાટ કોહલીનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું. સાથે જ તેનું નસીબ પણ સાથ આપતું નહોતું. કોહલી આ સિઝનમાં ત્રણ વખત શૂન્ય પર આઉટ થયો હતો. તેમજ નબળા અમ્પાયરિંગના કારણે તેને પરત જવુ પડ્યુ હતુ. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં તેને વિવાદાસ્પદ આઉટ આપવામાં આવ્યો હતો. તે 36 બોલમાં 48 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેને મેદાન પરના અમ્પાયર વીરેન્દ્ર શર્માએ એલબીડબ્લ્યુ આઉટ કઆપ્યો હતો. કોહલી થર્ડ અમ્પાયર પાસે ગયો પરંતુ કોઈ ફાયદો થયો ન હતો, કારણ કે બોલ અને બેટ એક જ સમયે પેડ સાથે અથડાતા હોય તેવું લાગતું હતું. આવી સ્થિતિમાં ત્રીજા અમ્પાયરે મેદાન પરના અમ્પાયરના નિર્ણયને માન્ય રાખ્યો. જેના કારણે કોહલીને નિરાશ થઈને જવુ પડ્યું. ક્રોધિત કોહલીની લાગણી મોટા પડદા પર પણ દેખાઈ રહી હતી.

હર્ષલ-પરાગ વિવાદ
IPL 2022ની 39મી મેચ દરમિયાન બે ભારતીય ખેલાડીઓ રિયાન પરાગ અને હર્ષલ પટેલ એકબીજા સાથે અથડાયા હતા. પટેલની છેલ્લી ઓવરમાં પરાગે 18 રન બનાવ્યા ત્યારે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. પરાગે 31 બોલમાં 56 રન બનાવ્યા હતા. તેણે છેલ્લી ઓવરમાં પટેલને ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ડીપ મિડવિકેટ બાઉન્ડ્રી પર પરાગે પટેલને બાઉન્ડ્રી ફટકારી હતી, જે બાદ બંને ખેલાડીઓ વચ્ચે દલીલ થઈ હતી. જ્યારે આ મેચ પૂરી થઈ ત્યારે બંનેએ એકબીજા સાથે હાથ પણ મિલાવ્યા ન હતા.

જાડેજાનું સુકાની પદ છોડવું
જ્યારે સિઝન શરૂ થઈ ત્યારે રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. પરંતુ ટીમને પ્રથમ 8માંથી 6 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ દરમિયાન જાડેજા બેટ વડે ન તો રન બનાવી શક્યો કે ન તો વિકેટ લઈ શક્યો. ફિલ્ડિંગ પણ ખરાબ દેખાતી હતી. સુકાનીપદનું દબાણ સહન ન કરી શકવાના કારણે અચાનક કેપ્ટનશીપ છોડીને જાડેજાએ ફરીથી મહેન્દ્રસિંહ ધોનીને જવાબદારી સોંપી. એવું કહેવામાં આવ્યું હતું કે તે ઘાયલ થયો હતો જેના કારણે ફ્રેન્ચાઇઝીએ તેને આરામ કરવા કહ્યું હતું. આ પછી, સમાચાર આવ્યા કે જાડેજાના ફ્રેન્ચાઇઝી સાથેના સંબંધો બગડ્યા છે. જો કે બાદમાં ફ્રેન્ચાઈઝીને આગળ આવીને ખુલાસો કરવાની ફરજ પડી હતી, પરંતુ એવું માનવામાં આવે છે કે ફ્રેન્ચાઈઝી જાડેજાથી સંપૂર્ણપણે નિરાશ થઈ ગઈ હતી, જેના કારણે તેણે કેપ્ટનશિપ છોડવી પડી હતી.

હાર્દિકે મોહમ્મદ શમી પર રાડો પાડી
આ સિઝનમાં જ્યાં હાર્દિકે કેપ્ટન બનવા અને સારી બેટિંગ માટે હેડલાઇન્સ બનાવી હતી, ત્યાં તેને એક કામને કારણે ફેન્સના ગુસ્સાનો શિકાર પણ બનવું પડ્યું હતું. એવું બન્યું કે 15 એપ્રિલે ગુજરાત ટાઇટન્સનો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થયો. જ્યારે મેચ હાથમાં ચાલી રહી હતી ત્યારે હાર્દિક ટીમના સૌથી સિનિયર ખેલાડી મોહમ્મદ શમી પર બૂમો પાડતો જોવા મળ્યો હતો. ઇનિંગની 13મી ઓવર દરમિયાન હાર્દિકના બોલ પર મોહમ્મદ શમીએ રાહુલ ત્રિપાઠીનો કેચ છોડ્યો હતો. પંડ્યાથી આ સહન ન થયું અને તે ગુસ્સે થઈ ગયો. આ એપિસોડ પછી ચાહકો અને ભૂતપૂર્વ ખેલાડીઓએ હાર્દિકની ટીકા કરી હતી.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
