ભારતના આ બે ખેલાડીઓ હાર્દિક પંડ્યાની જગ્યા લઈ શકે છે!
શ્રીલંકા પ્રવાસે ગયેલી ભારતની ટીમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યુ છે. શિખર ધવનની કેપ્ટનશીપ હેઠળ ટીમે વનડે સિરીઝ 2-1થી જીતી હતી અને ત્યારબાદ ટી 20 શ્રેણીની પહેલી મેચ પણ જીતી લીધી હતી.
શ્રીલંકા પ્રવાસે ગયેલી ભારતની ટીમે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યુ છે. શિખર ધવનની કેપ્ટનશીપ હેઠળ ટીમે વનડે સિરીઝ 2-1થી જીતી હતી અને ત્યારબાદ ટી 20 શ્રેણીની પહેલી મેચ પણ જીતી લીધી હતી. જો કે, આ સમય દરમિયાન ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું પ્રદર્શન ખૂબ નબળું હતું. તેણે બે વનડેમાં 19 અને 0 રન બનાવ્યા હતા અને પ્રથમ ટી 20 માં તે 10 રને આઉટ થયો હતો. હાર્દિકે પોતાનું ફોર્મ ગુમાવ્યુ હોય લાગી રહ્યું છે. આ સ્થિતિમાં તે ટીમ મેનેજમેન્ટ માટે પણ ચિંતાનો વિષય બની રહ્યો છે. આ દરમિયાન ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે બે ખેલાડીઓના નામ લીધા છે, જે હાર્દિક પંડ્યાની જગ્યા લઈ શકે છે.

ઓક્ટોબરથી શરૂ થઈ રહેલા આઇસીસી ટી -20 વર્લ્ડ કપ પહેલા હાર્દિકની ફોર્મમાં પાછા આવવાની અપેક્ષા રખાય તે સ્વભાવિક છે. હાર્દિક બોલિંગ સાથે સાથે બેટથી પ સારો ફિનિશર છે. હાર્દિક વિશે વાત કરતા સુનિલ ગાવસ્કરે કહ્યું કે, જો બે ખેલાડીઓને સારી રીતે તૈયાર કરવામાં આવે તો હાર્દિકની જગ્યા ભરી શકાય તેમ છે.
ગાવસ્કરે આ બે ખેલાડીઓના નામ લીધા
ગાવસ્કરે એક ઈન્ટર્વ્યૂમાં કહ્યું કે, "એક બેકઅપ છે. તમે હાલમાં જ દીપક ચહરને જોયો. તેણે સાબિત કર્યું કે તે ઓલરાઉન્ડર બની શકે છે. તમે ભુવનેશ્વર કુમારને તક આપી નહોતી. બે-ત્રણ વર્ષ પહેલાં જ્યારે શ્રીલંકામાં ભારત રમ્યું હતું ત્યારે ભુવનેશ્વરે ધોની સાથે મળીને એક મેચ ભારતને જીતાવી હતી. આ મેચ પણ બીજા વનડે જેવી જ હતી. 7-8 વિકેટ ગુમાવ્યા બાદ ધોની અને ભુવનેશ્વરે ભારતને મેચ જીતાવી હતી.
બીજી વનડેમાં અણનમ 69 રન બનાવીને દીપક ચહરે સાબિત કરી દીધું કે તે બેટ સાથે વધુ ઉપયોગી થઈ શકે છે. ભુવનેશ્વર કુમાર એક મેચમાં 19 રન બનાવીને શાંત અને સંયમિત દેખયો. તેથી જ ગાવસ્કરને લાગે છે કે જો આ બંને ખેલાડીઓની સારી વ્યવસ્થા કરવામાં આવે તો તે ઓલરાઉન્ડર બની શકે છે. 71 વર્ષના ગાવસ્કરે એમ પણ કહ્યું કે, નજીકના ભવિષ્યમાં આ બંને ખેલાડીઓને ઓલરાઉન્ડર તરીકે વધુ તકો આપવી જોઈએ.












Click it and Unblock the Notifications
