Tokyo Olympics: મેડલથી માત્ર એક જીત દૂર ભારતીય બૉક્સર લવલીના બોરગોહેન
ભારતીય બૉક્સર લવલીના બોરગોહેને ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની મેડલની આશા જીવંત રાખી છે.
ટોક્યોઃ ભારતીય બૉક્સર લવલીના બોરગોહેને ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની મેડલની આશા જીવંત રાખી છે. 23 વર્ષની લવલીનાએ જર્મનીની નદીન અપેઝને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ જીત સાથે 64-69 કેટેગરીમાં લવલીના ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે જ્યાં તેનો મુકાબલો 30 જુલાઈએ પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન ચેન નીન ચેન સાથે થશે. એવામાં જો લવલીના માત્ર એક મેચ વધુ જીતી લે તો ઓલિમ્પિકમાં તેનો મેડલ પાક્કો થઈ જશે. ક્વાર્ટર ફાઈનલ મુકાબલો જીત્યા બાદ લવલીના સેમીફાઈનલમાં પહોંચી જશે જ્યાં ઓછામાં ઓછો કાંસ્ય પદક મળવો લવલીના માટે નક્કી છે.

જર્મનીની અપેઝ સામે લવલીનાએ જબરદસ્ત રમતનુ પ્રદર્શન કર્યુ. જો કે તેની શરૂઆત ધીમી હતી પરંતુ જેમ જેમ મેચ આગળ વધી તેમ લવલીનાના પંચ તેજ થતા ગયા. જે રીતે જબરદસ્ત ટાઈમિંગ સાથે લવલીનાએ પંચ લગાવ્યા ત્યારબાદ તેણે ક્વાર્ટર ફાઈનલમાં પોતાની રાહ સરળ બનાવી દીધી. પહેલા રાઉન્ડમાં લવલીના અપેઝ કરતા સારી હતી પરંતુ બીજા રાઉન્ડમાં લવલીનાએ જબરદસ્ત વર્ચસ્વ બતાવ્યુ. તે આક્રમક હતી એટલુ જ નહિ પરંતુ સતત કાઉન્ટર પંચ પણ લગાવી રહી હતી અને અપેઝને પોતાનાથી ખૂબ દૂર રાખી રહી હતી.
ત્રીજા રાઉન્ડમાં અપેઝ ઘણી દબાણમાં હતી જેનો લવલીનાએ ફાયદો ઉઠાવ્યો. લવલીનાએ શાનદાર મૂવથી વિરોધી બૉક્સરને હરાવી અને અંતમાં ક્વાર્ટરફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી. જો કે ક્વાર્ટર ફાઈનલમાં લવલીનાનો મુકાબલો સરળ નથી રહેવાનો. તેનો મુકાબલો ચોથી રેન્કની ચેન નીન ચેનથી છે. આ મુકાબલો જીત્યા બાદ લવલીના ભારત મેડલ સાથે જરૂર પાછી આવશે પછી સેમીફાઈનલમાં પરિણામ ભલે ગમે તે હોય.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
