વર્લ્ડ કપનું નબળુ પ્રદર્શન સુર્યકુમાર યાદવનું કરિયર બરબાદ કરશે? T-20નું પ્રદર્શન નક્કી કરશે ભવિષ્ય
વર્લ્ડ કપની ફાઈનલમાં ભારતની હાર બાદ ઘણા સવાલો પેદા થઈ રહ્યા છે. ભારતીય ટીમના ફાઈનલમાં ફ્લોપ શો બાદ સુર્યકુમાર યાદવને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે.
ભારતીય ટીમની ફાઈનલમાં હાર માટે ઘણી બાબતોને જવાબદાર ગણવામાં આવી રહી છે. કેટલાક અનુભવી કેપ્ટન રોહિત શર્માના બેજવાબદાર શોટને હારનું કારણ જણાવી રહ્યા છે તો કેટલાક લોકો કેએલ રાહુલની ધીમી ઈનિંગને નિશાન બનાવી રહ્યા છે.

ઘણા સૂર્યકુમાર યાદવને પણ નિશાન બનાવી રહી છે. સુર્યકુમારને ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમ માટે રમવાની તક આપવામાં આવી પરંતુ સૂર્યકુમાર યાદવ કંઈ ખાસ કમાલ કરી શક્યો નથી.
T-20 ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન કરનાર સૂર્યકુમાર યાદવનું પ્રદર્શન વર્લ્ડ કપમાં નિરાશાજનક રહ્યું છે. ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ મેચમાં જ્યારે ટીમને રનની જરૂર હતી ત્યારે સૂર્યકુમાર યાદવે ખૂબ જ ધીમી અને નબળી બેટિંગ કરી.
હવે સૂર્યકુમાર યાદવને ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 શ્રેણી માટે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડના નિર્ણયથી કેટલાક ક્રિકેટ ફેન્સ નિરાશ પણ છે.
સૂર્યકુમાર યાદવે તેની છેલ્લી 8 વન ડે ઇનિંગ્સમાં 8, 2, 49, 12, 22, 2*, 1, 18 રન બનાવ્યા છે. સૂર્યકુમાર યાદવના પ્રદર્શનને જોતા તેને વન ડેમાં તક મળે તેવી આશા ઓછી છે.
સૂર્યકુમાર યાદવે પોતે જ પોતાના પગ પર કુહાડી મારી છે. ODI વર્લ્ડ કપમાં તેની પાસે ODI પ્લેયર તરીકે પોતાને સાબિત કરવાની શાનદાર તક હતી પરંતુ સૂર્યકુમાર યાદવ તેમ કરવામાં નિષ્ફળ રહ્યો છે.
-
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
LPG Shortage: એલપીજી સંકટ વચ્ચે સરકારનું મોટું નિવેદન, જાણો હવે કેવી રીતે થશે ગેસ બુક? -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
Petrol Diesel Price: 13 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાતમાં ભરઉનાળે માવઠાની આગાહી, આ જિલ્લાઓમાં કરા પડી શકે -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ












Click it and Unblock the Notifications
