World Cup 2023 : મળો ભારતના ત્રણ નોક આઉટ મેચના હિરોને, જેને એકલા દમ પર બાજી પલટી
ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા એક પણ મેચ હાર્યા વગર સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. હવે સેમિફાઈનલના નોકઆઉટ મુકાબલમાં ભારત ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે.
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાવા જઈ રહેલા મુકાબલા માટે ટીમ ઈન્ડિયા હાલ શાનદાર ફોર્મમાં છે. આ પહેલા ભારતીય ટીમ ઘણી વખત સેમીફાઈનલ રમી ચુકી છે પરંતુ ત્રણ વખત ફાઈનલમાં પહોંચી છે.

ભારતની ટીમ બે વખત ચેમ્પિયન બની અને તેમાં કેટલાક ખેલાડીઓએ સેમીફાઈનલમાં જીત મેળવીને ટીમને આગળ લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી. આ વખતે પણ ભારતને નોક આઉટના હીરોની જરૂર પડશે. આજે આપણે ભારતના ત્રણ નોક આઉટ હીરોની વાત કરવાના છીએ.
મોહિન્દર અમરનાથ - વર્લ્ડ કપ 1983
1983માં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પ્રથમ સેમીફાઈનલ મેચ રમાઈ અને ભારતીય ટીમે સેમિફાઈનલ અને ફાઈનલ જીતીને પોતાનો પહેલો વર્લ્ડ કપ જીત્યો. આ સેમિફાઈનલમાં મોહિન્દર અમરનાથ હીરો બન્યા. તે ઓલરાઉન્ડ પ્રદર્શનને કારણે પ્લેયર ઓફ ધ મેચ પણ બન્યા.
આ મેચમાં ઈંગ્લેન્ડની ટીમ પહેલા રમતા 213 રન બનાવી આઉટ થઈ ગઈ હતી. જવાબમાં રમતા ભારતે 4 વિકેટે 217 રન બનાવીને મેચ જીતી લીધી હતી. અમરનાથે 2 વિકેટ લીધા બાદ બેટિંગમાં 46 રનની ઇનિંગ રમી.
સૌરવ ગાંગુલી - વર્લ્ડ કપ 2003
2003માં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરતા સેમિફાઈનલ જીતીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. આ સેમિફાઈનલમાં ભારત તરફથી સૌરવ ગાંગુલીએ અણનમ સદી ફટકારી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 4 વિકેટે 270 રન બનાવ્યા હતા.
ગાંગુલીએ અણનમ 111 રન બનાવ્યા હતા. જવાબમાં કેન્યા 179 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને ભારતે 91 રને મેચ જીતી લીધી. આ મેચમાં સૌરવ ગાંગુલી મેન ઓફ ધ મેચ બન્યો.
સચિન તેંડુલકર - વર્લ્ડ કપ 2011
2011માં ટીમ ઈન્ડિયાનો મુકાબલો સેમીફાઈનલમાં પાકિસ્તાન સામે થયો હતો. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 29 વિકેટે હરાવ્યું. સચિન તેંડુલકરને તેની 85 રનની ઇનિંગ માટે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. પ્રથમ બેટિંગ કરતા ભારતે 9 વિકેટે 260 રન બનાવ્યા હતા.
જવાબમાં પાકિસ્તાની ટીમ 231 રનમાં આઉટ થઈ ગઈ હતી. આ જ વર્લ્ડ કપમાં યુવરાજ સિંહે ક્વાર્ટર ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે અણનમ 57 રન બનાવ્યા બાદ 2 વિકેટ લઈને ટીમને સેમીફાઈનલમાં પહોંચાડી હતી.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
