Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ઇંગ્લેન્ડ વિરુદ્ધ અભ્યાસ મેચમાં રમશે યુવરાજ

yuvraj-singh
ચેન્નાઇ, 24 ઑક્ટોબરઃભારતનો સ્ટાર ખિલાડી યુવરાજ સિંહનો સમાવેશ ઇંગ્લેન્ડ વિરુદ્ધ ત્રણ દિવસની અભ્યાસ મેચ માટેની ભારત એ ટીમમા કરવામાં આવ્યો છે. આ મેચ 30 ઑક્ટોબરથી મુંબઇમાં શરૂ થશે. કેન્સર જેવી ગંભીર બીમારીમાંથી બહાર આવીને ક્રિકેટમાં પુનરાગમન કરનાર યુવરાજે દુલીપ ટ્રોફી મેચમાં નોર્થ ઝોન તરફથી રમતા બેવડી સદી ફટકારી હતી.

આ ડાબોડી બેટ્સમેને સુરેશ રૈનાને સુરેશ રૈનાની આગેવાનીવાળી 14 સભ્યોની ભારત એ ટીમ માટે પસંદ કરવામાં આવ્યો છે. કેન્સરમાંથી બહાર આવ્યા બાદ યુવરાજે ટી-20 ક્રિકેટ વિશ્વકપથી ક્રિકેટમાં પુરનાગમન કર્યું હતું. ઇંગ્લેન્ડ વિરુદ્ધની અભ્યાસ મેચમાં સારું પ્રદર્શન કરીને ઇંગ્લેન્ડ વિરુદ્ધ 15 નવેમ્બરથી શરૂ થઇ રહેલી ચાર ટેસ્ટ મેચોની શ્રેણી માટે તેનો દાવો મજબૂત થઇ જશે. સંદીપ પાટિલના નેતૃત્વવાળી નવી પસંદગી કમિટી દ્વારા જાહેર કરાયેલી ટીમમાં શિખર ધવન, અજિંક્યા રહાણે અને મનોજ તિવારી સહિતના છ બેટ્સમેન સામેલ છે. ટીમમાં રિદ્ધિમાન સાહાનો એકમાત્ર વિકેટકીપર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.

ટીમની બોલિંગનું નેતૃત્વ ઇરફાન પઠાણના હાથમાં હશે અને અશોક ડિંડા તથા વિનય કુમાર તેનો સાથ આપશે.

ભારત એ ટીમઃ સુરેશ રૈના(સુકાની), મુરલી કાર્તિક, શિખર ધવન, અજિંક્યા રહાણે, યુવરાજ સિંહ, મનોજ તિવારી, રિદ્ધિમાન સાહા(વિકેટકીપર), ઇરફાન પઠાણ, વિનય કુમાર, પરવિંદર અવાના, અશોક ડિંડા, રોબિન બિષ્ટ, અશોક મનેરિયા અને અભિનવ મુકુંદ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X