કપિલ શર્માની ખાસ એક્ટ સાથે યુવી કરશે સચિનની ટી-શર્ટની હરાજી
ભારતીય
બેટ્સમેન
યુવરાજ
સિંહ
14
જુલાઇના
રોજ
લંડન
ખાતે
એક
ચેરેટી
ઑક્શન
યોજવાનો
છે,
આ
હરાજીમાંથી
જે
રકમ
મળશે
તેનો
ઉપયોગ
કેન્સર
પીડીત
દર્દીઓની
સારવાર
માટે
ખર્ચ
કરવામાં
આવશે.
નોંધનીય
છેકે,
યુવરાજ
સિંહ
કેન્સર
જેવી
ગંભીર
બિમારીને
માત
આપીને
વિશ્વભરના
કેન્સર
પીડીતોને
એક
ઉત્કૃષ્ઠ
ઉદાહરણ
પુરુ
પાડ્યું
છે.
આ
હરાજી
લંડનના
હિલ્ટન,
પાર્ક
લેન
ખાતે
યોજાશે.
જેમાં
વિરાટ
કોહલી,
સચિન
તેંડુલકર,
કેવિન
પીટરસન,
રાહુલ
દ્વવિડ
અને
સૌરવ
ગાંગુલી
હાજરી
આપવાના
છે.
આ
હરાજી
દરમિયાન
ભારતીય
કોમેડિયન
કપિલ
શર્મા
પોતાની
ખાસ
એક્ટ
રજૂ
કરવાનો
છે.
પોતાની આ યોજના અંગે વાત કરતા યુવરાજે કહ્યું કે, હું હંમેશા એ માનું છું કે લડાઇ ગમે તેટલી પડકારજનક હોય પરંતુ તે ત્યાં સુધી મહત્વ નથી ધરાવતી જ્યા સુધી તમે એ પડકાર સામે લડી શકશો અને જીતી શકશો એ વાતની મનમાં ગાંઠ ન બાંધી લો. આ ત્યારે શક્ય બન્યુ જ્યારે હું કેન્સર સામે લડી રહ્યો હતો, ત્યારે મારા પરિવાર, ચાહકો અને મારા મિત્રો દ્વારા મને પ્રેમ અને સમર્થન મળ્યું. ‘YOUWECAN' થકી હું એ તમામ લોકો સુધી પહોંચવા માગુ છું જે લોકો કેન્સરથી પીડાઇ છે અને જેમને તેની સામે લડવા માટે પુરતો સપોર્ટ મળતો નથી. મને આશા છેકે આ હરાજી થકી અમે કેન્સરને નાબૂદ કરવામાં તેના પ્રત્યે જાગૃતિ લાવવામાં અને તેને ઝડપથી પકડવામાં સફળ થઇશું.