Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતીય ટીમમાં પુનરાગમન કરવા માંગે છે ઝહીર ખાન

zaheer-khan
બેંગ્લોર, 20 મે: રોયલ ચેલેંજર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર ઝહીર ખાન ભારતીય ટીમમાં બીજીવાર પોતાનું સ્થાન મેળવવા માટે પ્રયત્નો કરી રહ્યાં છે અને તેમને કહ્યું હતું કે તે આઇપીએલ પછીના સમયનો ઉપયોગ સર્વશ્રેષ્ઠ ફિટનેસ બનાવવા માટે કરશે. ઇજાના કારણે લાંબા સમય સુધી બહાર રહ્યાં બાદ ઝહીરખાને તાજેતરમાં જ આરસીબી દ્રારા પ્રતિસ્પર્ધી ક્રિકેટમાં પુનરાગમન કર્યું છે.

આઇપીએલની વેબસાઇટે ઝહીર ખાનના હવાલેથી કહ્યું છે કે આઇપીએલ બાદ પોતાની ફિટનેસ અને ફોર્મ પર ગંભીરતાથી કામ કરતાં ભારતીય ટીમમાં બીજીવાર પોતાનું સ્થાન પ્રાપ્ત કરશે. હાલમાં આ જ મારા દિમાગમાં છે. હું મજબૂત ફિટ અને બધા વિભાગોમાં યોગ્ય બનવા માટે આઇપીએલ પછીના સમયનો ઉપયોગ કરવા માંગું છું.

આઇપીએલ-6માં પોતાની બીજી મેચ રમતાં ઝહીર ખાને કાલે ચેન્નઇ સુપરકિંગ્સ વિરૂદ્ધ બે ઓવરમાં ચાર વિકેટ ઝડપી પાડી આરસીબી પ્લે ઓફમાં જગ્યા બનાવવાની આશા જીવંત રાખી છે. ઝહીર ખાને કહ્યું હતું કે હું મેદાન પર પુનરાગમન કરવા માટે ઉત્સુક છું પરંતુ હું જ્યારે પણ ઇજાગ્રસ્ત થયો છું ત્યારે પુનરાગમન માટે ઉતાવળ કરી નથી. આ વખતે પણ હું કેટલીક મેચો પહેલાં રમી શકતો હતો પરંતુ હંમેશા ઉતાવળમાં પુનરાગમન કરવા છતાં એક મેચમાં મોડું રમવું સારું. ટ્રેનર, ફિજિયો અને મારા વચ્ચે આ ધારણા હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X