નાગપુર ટેસ્ટ માટે ટીમ જાહેર, રવિન્દ્ર જાડેજાનો સમાવેશ

રવિવારે મળેલી બીસીસીઆઇ પસદંગી સમિતિની બેઠકમા આ નિર્ણય લેવામાં આવ્યો છે. નાગપુર ખાતે આગામી 13 ડિસેમ્બરે શ્રેણીની ચોથી ટેસ્ટ રમાવાની છે. જેમાં રવિન્દ્ર જાડેજા ઉપરાંત રવિન્દર અવાના અને પિયુષ ચાવલાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે, સચિન અને ધોની પ્રત્યે જે કુણુ વલણ બીસીસીઆઇ દ્વારા રાખવામાં આવ્યું છે તે શંકા ઉપજાવે તેવું છે.
ટીમમાં બે ગુજરાતીઓ
અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે, રવિન્દ્ર જાડેજાનો નાગપુર ટેસ્ટમાં સમાવેશ કરતાની સાથે જ ટીમમા બે સૌરાષ્ટ્રવાસી થઇ ગયા છે. આ પહેલા દ્રવિડનું સ્થાન લેવા માટે યોગ્ય ગણાતા ચેતેશ્વર પૂજારાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે અમદાવાદ અને મુંબઇ ખાતેની ટેસ્ટ મેચમાં પોતાની જાતને પૂરવાર કરવામાં સફળ રહ્યો હતો પરંતુ કોલકતામાં તેના બેટમાંથી રનનો વરસાદ થયો ન હતો. જ્યારે તાજેતરમાં પ્રથમકક્ષાના ક્રિકેટમાં રેકોર્ડ પ્રસ્થાપિત કરનાર જામનગરમાં રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આશા છેકે તે પણ પૂજારાની માફક પોતાને મળેલી તકનો લાભ ઉઠાવી પોતાની જાતને પૂરવાર કરશે.
નાગપુર ખાતેની ટેસ્ટ માટેની ટીમઃ ધોની, ગૌતમ ગંભીર, વિરેન્દ્ર સેહવાગ, ચેતેશ્વર પૂજારા, સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, આર અશ્વિન, પિયુષ ચાવલા, પરવિન્દર અવાના, અશોક ડિંડા, અજિંક્યા રહાણે, મુરલી વિજય.












Click it and Unblock the Notifications
