ગુજરાત બહાર આ દક્ષિણી શહેરમાં મહેકે છે ગુજરાતી સંસ્કૃતિ
આદિલાબાદ એક નગરપાલિકા શહેર છે, જે આદિલાબાદ જિલ્લામાં સ્થિત છે. આ શહેરમાં જિલ્લાનું મુખ્યાલય પણ છે. આદિલાબાદ જિલ્લો, દક્ષિણ ભારતના તેલંગણા રાજ્યનો એક ભાગ છે. સ્થાનિક માન્યતાઓ અનુસાર આ શહેરનું નામ મુહમ્મદ આદિલ શાહ પરથી રાખવામાં આવ્યું છે, જે ક્યારેક બીજાપુરના શાસક હતા.
આદિલાબાદનો ઇતિહાસ ઘણો જ રોચક છે, કારણ કે ક્યારેક આ શહેર વિભિન્ન સંસ્કૃતિઓ અને ધર્મોના સંગમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ હતું. આ સ્થળ પર અનેક ઉત્તર ભારતીય રાજવંશોએ શાસન કર્યું, જેમકે મોર્ય, નાગપુરના ભોંસલે રાજા અને મોગલ. આદિલાબાદ દક્ષિણ ભારતીય રાજવંશોનું પણ ભાગ પણ રહી ચુક્યું છે. જેમાં, સાતવાહન, વકાતાકા, રાષ્ટ્રકૂટ, કાકતીય, ચાલુક્ય અને બરારના ઇમાદ શાહીનો સમાવેશ થાય છે.
આ રાજવંશોના શાસન પાછળનું મુખ્ય કારણ આ વિસ્તારની ભૌગોલિક સ્થિતિ છે. આ શહેર મધ્ય ભારત અને દક્ષિણ ભારતની સરહદ પર સ્થિત છે અને તેના કારણે તેના પર બન્ને તરફથી આક્રમણ થતું હતું. જેનું પરિણામ એ થયું કે આદિલાબાદનો આધુનિક ઇતિહાસ મરાઠી અને તેલગુ સંસ્કૃતિઓનો રોચક મિશ્રણ બની ગયો.
આદિલાબાદના સ્થાનિક લોકો એવી પરંપરાઓનું પાલન કરે છે, જે આ બન્ને સંસ્કૃતિઓનું મિશ્રણ છે અને હવે આ પરંપરાઓ તેમના દૈનિક જીવનનો એક ભાગ બની ગઇ છે. આ ક્ષેત્રમાં ગુજરાતી, બંગાળી અને રાજસ્થાની સંસ્કૃતિઓ પણ વ્યાપક રૂપમાં જોવા મળે છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ આદિલાબાદને.
બસારા સરસ્વતી મંદિર
આદિલાબાદમાં આવેલા બસારા સરસ્વતી મંદિરનું સુંદર દ્રશ્ય
કદમ ડેમ
આદિલાબાદમાં આવેલો સુંદર કદમ ડેમ
આદિલાબાદ કિલ્લો
આદિલાબાદમાં આવેલો આકર્ષિત કરી મુકે તેવો કિલ્લો
આદિલાબાદ કિલ્લો
આદિલાબાદમાં આવેલો આકર્ષિત કરી મુકે તેવો કિલ્લો
આદિલાબાદ કિલ્લો
આદિલાબાદમાં આવેલો આકર્ષિત કરી મુકે તેવો કિલ્લો
આદિલાબાદ કિલ્લો
આદિલાબાદમાં આવેલો આકર્ષિત કરી મુકે તેવો કિલ્લો
આદિલાબાદ કિલ્લો
આદિલાબાદમાં આવેલો આકર્ષિત કરી મુકે તેવો કિલ્લો