નર્મદા, ઓરસંગ અને સરસ્વતી નદીઓનું ત્રિવેણી સંગમ એટલે ચાંદોદ
હાલમાં અમે આપને નર્મદા જિલ્લામાં આવેલા પ્રવાસન સ્થળ વિશેની વિગતવાર માહિતી આપી રહ્યા છીએ. અત્યાર સુધી અમે આપને ભરૂચ, રતન મહાલ રીંછ અભયારણ્યની તસવીરો સાથે મુલાકાત કરાવી ચૂક્યા છે. આવો આપણી આ યાત્રાને આગળ વધારીએ અને મુલાકાત લઇએ મંદિરોના આ શહેર ચાંદોદની.
મંદિરોનું આ શહેર નર્મદા, ઓરસંગ અને સરસ્વતી નદીઓના ત્રિવેણી સંગમ પર આવેલું છે અને તેથી અત્યંત પવિત્ર મનાય છે. અહીંના ઘાટમાં ડુબકી મારવી એ નર્મદા નદી પરના તમામ સ્થળોમાં સૌથી પવિત્ર ગણાય છે. અહીં કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે, જે રસપ્રદ ભીંત ચિત્રો અને અન્ય બાબતો ધરાવે છે.
કેવી રીતે પહોંચશો અહીં:
નર્મદા નદી નર્મદા તથા વડોદરા જિલ્લાની સીમા પર થઈને ભરૂચ જિલ્લામાં પ્રવેશી વહેતી હોવાને કારણે તેની ઉપર ઘણાં જાણીતાં સ્થળો આવેલાં છે અને તે દરેક સ્થળ સુધી પહોંચવા માટેના પૂરતા માર્ગો પણ છે.
વાહન માર્ગેઃ ભરૂચ, રાજપીપળા, ચાણોદ અને ડભોઈ પહોંચવા માટે બસ સેવા ઉપલબ્ધ છે. સરદાર સરોવર ડેમ જોવા માટે ખાનગી વાહન દ્વારા પહોંચી શકાય.
રેલ્વે દ્વારાઃ ભરૂચ સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે.
ઉડ્ડયન દ્વારાઃ સૌથી નજીકનું હવાઈ મથક વડોદરા ખાતે આવેલું છે.
ચાંદોદને જુઓ તસવીરોમાં...

ચાંદોદ
ચાંદોદ ઘાટ

ચાંદોદ ઘાટ
અહીંના ઘાટમાં ડુબકી મારવી એ નર્મદા નદી પરના તમામ સ્થળોમાં સૌથી પવિત્ર ગણાય છે.

ચાંદોદ - ભીંતચિત્રો
અહીં કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે, જે રસપ્રદ ભીંત ચિત્રો અને અન્ય બાબતો ધરાવે છે.

ચાંદોદ - ભીંતચિત્રો
અહીં કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે, જે રસપ્રદ ભીંત ચિત્રો અને અન્ય બાબતો ધરાવે છે.

ચાંદોદ - ભીંતચિત્રો
અહીં કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે, જે રસપ્રદ ભીંત ચિત્રો અને અન્ય બાબતો ધરાવે છે.

ચાંદોદ - ભીંતચિત્રો
અહીં કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે, જે રસપ્રદ ભીંત ચિત્રો અને અન્ય બાબતો ધરાવે છે.

કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર
અહીં કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર છે, જે રસપ્રદ ભીંત ચિત્રો અને અન્ય બાબતો ધરાવે છે.












Click it and Unblock the Notifications
