ધોળકા: સ્વયંભૂ પ્રગટ્યા હતા દાદા એટલે ગામનું નામ પડ્યું ગણેશપુરા
આજથી ગણેશોત્સવની શરૂઆત થઈ ગઇ છે, આગામી દસ દિવસ સુધી ગણપતિદાદાના ભક્તો તેમની ભક્તિમાં ગળાડૂબ રહેશે, એવામાં ભારતનાં વિવિધ ગણપતિ મંદિર વિશે અમે આપને માહિતી આપી છે, અહી વાત કરીએ ગુજરાતના બગોદરા ખાતે આવેલા સુપ્રસિદ્ધ સ્વયંભૂ ગણેશ મંદિર, આ ગામનું નામ જ ગણેશપુરા, ગણપતપુરા તરીકે ઓળખવામાં આવે છે. આ પાવન એવા ગણપતિના યાત્રાધામ ગણપતપુરાના ઈતિહાસ અને મંદિરના સત વિશે લઇને આવ્યા છીએ આપના માટે રસપ્રસ માહિતી.
ગણપતપુરા ધોળકા શહેરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. જે ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. જે ધોળકાથી માત્ર 20 કિ.મી, અને અમદાવાદથી 62 કિ.મી, તેમજ બગોદરા નેશનલ હાઇવેથી 14 કિ.મી.ના અંતરે આવેલું છે. અહીં આપને ગણેશજીની એવી મૂર્તિના દર્શન થશે જે આખા ભારતમાં અલભ્ય છે. આ મૂર્તિની ખાસિયત એ છે કે દરેક જગ્યાએ ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે, તેમજ એક દંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. આ મૂર્તિ છ ફૂટ ઊંચાઇ ધરાવે છે.
કેવી રીતે પહોંચશો અહીં:
અમદાવાદથી 62 કિલોમીટરનાં અંતરે આવેલા આ ગણપતિ મંદિરનાં દર્શને જવા માટે ઘણી બસો ઉપલ્બધ છે, આ સિવાય જો તમે તમારુ ખાનગી સાધન લઈને જશો તો વધુ સરળતાથી પહોંચી શકશો.
મંદિર સાથે જોડાયેલ ઈતિહાસ વાંચો સ્લાઇડરમાં...

સુપ્રસિદ્ધ સ્વયંભૂ ગણેશ મંદિર
આજથી ગણેશોત્સવની શરૂઆત થઈ ગઇ છે, આગામી દસ દિવસ સુધી ગણપતિદાદાના ભક્તો તેમની ભક્તિમાં ગળાડૂબ રહેશે, એવામાં ભારતનાં વિવિધ ગણપતિ મંદિર વિશે અમે આપને માહિતી આપી છે, અહી વાત કરીએ ગુજરાતના બગોદરા ખાતે આવેલા સુપ્રસિદ્ધ સ્વયંભૂ ગણેશ મંદિર, આ ગામનું નામ જ ગણેશપુરા, ગણપતપુરા તરીકે ઓળખવામાં આવે છે. આ પાવન એવા ગણપતિના યાત્રાધામ ગણપતપુરાના ઈતિહાસ અને મંદિરના સત વિશે લઇને આવ્યા છીએ આપના માટે રસપ્રસ માહિતી.

મંદિર સાથે જોડાયેલ ઈતિહાસ
વિક્રમ સંવત 933ના અષાઢ વદ-4 ને રવિવારના રોજ હાથેલમાંની જમીનના કેરડાના જાળાના ખોદકામ સમયે ગણપતિદાદાની મૂર્તિ પગમાં સોનાના તોડા, કાનમાં કુંડળ, માથે મુગટ તથા કેડે કંદોરા સાથે પ્રગટ થઇ હતી.

મંદિર સાથે જોડાયેલ ઈતિહાસ
આ મૂર્તિને લઇ જવા માટે કોઠ, રોજકા અને વણકૂટા ગામના આગેવાનોમાં વિખવાદ થયો હતો. ત્યાર બાદ જ્યારે મૂર્તિ ગાડામાં મૂકવામાં આવી ત્યારે ચમત્કાર થયો. ગાડું વગર બળદે ચાલવા લાગ્યું અને ગણપતિપુરાના ટેકરે ઊભું રહ્યું હતું.

મંદિર સાથે જોડાયેલ ઈતિહાસ
આ જગ્યાએ દુદા ભરવાડ અને ગોકળની શક્તિમાતાની સ્થાપના કરી હતી ત્યાં ગાડામાંથી ગણપતિદાદાની મૂર્તિ આપોઆપ નીચે ઊતરી ગઇ હતી. ત્યારથી આ ટેકરાનું નામ ગણપતિપુરા પડ્યું. એ જ દિવસે અને એ જ તિથિએ અરણેજમાં બુટભવાની માતાજી પ્રગટ થયેલાં અને તેમના પૂજારી અંબારામ પંડિતના નામ ઉપરથી અરણેજ નામ પડેલ.

મંદિર સાથે જોડાયેલ ઈતિહાસ
સંવત 1878 ફાગણ સુદ-7ના રોજ સ્વામિનારાયણ ભગવાન ગણપતિપુરા થઇ નીકળેલ અને ત્યાં બે રાયણોનાં ઝાડ વચ્ચે વિસામો લીધો હતો ત્યારે કોઠ ગામના કણબી પટેલ ભગતે ભગવાનને કોઠ લઇ જવા માટે કહ્યું હતું પણ ભગવાન કોઠ ગયા નહોતા. ભગવાને જ્યાં વિશ્રામ કરેલ તે જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનના ચરણારવિંદવાળી છત્રી બનાવવામાં આવી છે.

મંદિર સાથે જોડાયેલ ઈતિહાસ
ગણપતિપુરામાં દર માસની વદ ચોથના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લે છે. ગુજરાત તેમજ બહારનાં રાજ્યોમાંથી અહીંયા બેથી અઢી લાખ લોકો ચોથના દિવસે દર્શને આવે છે. અહીંયા દર્શને આવતા યાત્રિકો માટે ચા-પાણી અને ભોજનની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવે છે.

કેવી રીતે પહોંચશો અહીં:
અમદાવાદથી 62 કિલોમીટરનાં અંતરે આવેલા આ ગણપતિ મંદિરનાં દર્શને જવા માટે ઘણી બસો ઉપલ્બધ છે, આ સિવાય જો તમે તમારુ ખાનગી સાધન લઈને જશો તો વધુ સરળતાથી પહોંચી શકશો.
તસવીરો: ગણેશપુરા ડોટ ઓઆરજી
-
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
US-Iran War: ડેડલાઈન પહેલા ઈરાન ધણધણી ઉઠ્યું; અમેરિકી હુમલામાં ખાર્ગ આઈલેન્ડ અને રેલવે બ્રિજ સહિત અનેક -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર -
IPL 2026: આઈપીએલનો હિસ્સો રહી ચૂકેલા આ 3 દિગ્ગજ ખેલાડીઓ હવે દુનિયામાં નથી, જાણો કોણ છે આ નામ -
PM Kisan eKYC: 23મો હફ્તો પડે એ પહેલાં જાણી લો, ઘરે બેઠા KYC કઈ રીતે કરવું -
અલ નીનોના જોખમ વચ્ચે 2026માં ભારતમાં સામાન્યથી ઓછો વરસાદ પડી શકે છે: સ્કાયમેટ વેધર -
RR vs MI, IPL 2026: ગુવાહાટી વેધર અપડેટ - શું ફરી એકવાર મેચ વરસાદમાં ધોવાઈ જશે? -
US-Iran Ceasefire: ક્રૂડ ઓઈલના ભાવમાં 14% નો ઘટાડો, ભારતીય બજાર અને અર્થતંત્ર પર કેવી થશે અસર -
'મારા પતિએ 9 મહિલાઓ સાથે સંબંધ રાખ્યા', જાણીતી અભિનેત્રીનું દર્દ છલકાયું; 14 વર્ષ સાથે રહ્યા પછી જે થયું તે ચો -
બંગાળની 2026 વિધાનસભા ચૂંટણી: નવા ચૂંટણી નકશાએ TMCના ગઢ અને ભાજપના માટુઆ બેઝને વિક્ષેપિત કર્યો -
ડિનર ડિપ્લોમસી: ઈરાન-અમેરિકા યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું સર્જિયો ગૌર સાથે ડિનર, શું આ માત્ર સંયોગ છે? -
આગામી વિધાનસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયાનું નિરીક્ષણ કરવા માટે વિદેશી પ્રતિનિધિમંડળ કેરળ પહોંચ્યું







Click it and Unblock the Notifications
