જોધપુરના આ આકર્ષણોને ચોક્કસ જોવાનું પસંદ કરશો આપ..
જોધપુર, જયપુર બાદ રાજસ્થાનનું બીજું સૌથી મોટું શહેર છે. અત્રે નોંધનીય છે કે પોતાની અનોખી વિશેષતાઓના કારણે આ શહેરને બે ઉપનામો 'સન સિટી' અને 'બ્લૂ સિટી'ના નામથી જ ઓળખવામાં આવે છે. આપને બતાવી દઇએ કે ઉપર બતાવવામાં આવેલા નામોમાં સન સિટી નામ જોધપુરમાં ચળકતા તડકાના હવામાનના કારણે આપવામાં આવ્યું છે. જ્યારે 'બ્લૂ સિટી' નામના શહેરના મેહરાનગઢ કિલ્લાની આસપાસ સ્થિત વાદળી રંગના ઘરોના કારણે આપવામાં આવેલ છે.
જોધપુરને 'થાર પ્રવેશ દ્વાર'ના રૂપમાં પણ ઓળખવામાં આવે છે કારણ કે આ શહેર થાર રણની સરહદ પર સ્થિત છે. આ શહેર 1459માં રાઠોડ પરિવારના નેતા રાવ જોધા દ્વારા સ્થાપિત કરાવવામાં આવ્યું હતું. આ પહેલા, શહેરને 'મારવાડ' નામથી ઓળખવામાં આવતું હતું પરંતુ વર્તમાન નામ શહેરના સંસ્થાપક, એક રાજપૂત મુખિયા રાવ જોધાના નામ પરથી આપવામાં આવ્યું છે.
અત્રે નોંધનીય છે કે જોધપુર વિભિન્ન તહેવારો માટે પ્રસિદ્ધ છે. આંતરરાષ્ટ્રીય ડેઝર્ટ પતંગ મહોત્સવ શહેરના પોલો ગ્રાઉંડમાં દર વર્ષે 14 જાન્યુઆરીના રોજ આયોજિત કરવામાં આવે છે. આ ત્રણ દિવસીય મહોત્સવ દરમિયાન પતંગ ઉડાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દુનિયાભરમાંથી પતંગબાજો ભાગ લેવામાં અત્રે આવે છે.
સ્થાનીય વ્યંજનો, શોપિંગ અને તહેવારો ઉપરાંત, જોધપુર જુના શાહી કિલ્લા, સુંદર મહેલો, બગીચાઓ, મંદિરો, અને હેરિટેજ હોટલો માટે પણ પ્રસિદ્ધ છે. આ પ્રવાસીઓ આકર્ષણ ઉપરાંત ઉમ્મેદ ભવન પેલેસ એક ઉલ્લેખનીય સ્મારક છે. આ સુંદર મહેલ ભારત- ઔપનિવેશિક સ્થાપત્ય શૈલી અને કળાનું એક આદર્શ ઉદાહરણ છે. આજે અમારા આ આર્ટિકલ દ્વારા અમે આપને બતાવીશું કે જોધપુર યાત્રા પર એવું શું છે કે જેને આપ ચોક્કસ જોવાનું પસંદ કરશો. એવા કયા કયા સ્થળ છે જેની યાત્રા આપ ચોક્કસ કરો.
- કેવી રીતે આવશો જોધપુર
જોધપુર શહેરનું પોતાનું હવાઇ મથક અને રેલવે સ્ટેશન છે જે પ્રમુખ ભારતીય શહેરો સાથે જોડાયેલ છે. નવી દિલ્હીનું ઇંદિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઇ મથક નજીકનું આંતરરાષ્ટ્રીય એરબેસ છે. પ્રવાસીઓ જયપુર, દિલ્હી, જેસલમેર, બીકાનેર, આગરા, અમદાવાદ, અજમેર, ઉદયપુર અને આગરાથી બસ દ્વારા પણ અત્રે આવે છે.
-
Weather Today: હરિયાણા-ગુજરાત સહિત 5 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: ઈરાન જંગને કારણે સોનામાં ફરી ઉછાળો! શું 1.80 લાખ સુધી પહોંચશે સોનું? જાણો લેટેસ્ટ કિંમત -
Ganga Expressway: પ્રાદેશિક વિકાસને વેગ આપતો ભારતનો સૌથી મોટો ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે -
LPG Shortage: ઈરાન યુદ્ધ વચ્ચે ભારતમાં કેટલું બચ્યું છે તેલ? હરદીપ સિંહ પુરીએ જણાવ્યું સત્ય -
ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓના મેડિકલ ક્લેમ નિયમોમાં મોટા ફેરફાર કર્યા -
Parliament Today: સંસદ બજેટ સત્રનો ત્રીજો દિવસ, આજે પણ હંગામાને કારણે ખોરવાઈ શકે છે ગૃહની કાર્યવાહી -
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: આગામી 3 દિવસ હીટવેવની આગાહી, રાજકોટ-સુરેન્દ્રનગરમાં 'રેડ એલર્ટ' -
જો એ ગીત ન હોત તો હારી જાત ભારત? T20 World Cup જીત્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કર્યો ચોંકાવનારો ખુલાસો! -
હવે ખેડૂતોને જમીન માપણીની ભૂલો સુધારવા ધક્કા નહીં ખાવા પડે, સરકારનો મોટો નિર્ણય -
ગેસ સંકટનો બેવડો માર, એલપીજીની અછત વચ્ચે બજારમાંથી ઇન્ડક્શન પણ ગાયબ -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર













Click it and Unblock the Notifications
