મંદિરો અને ઇતિહાસ વધારે છે કેરળના આ શહેરની સુંદરતા
કોગુન્ગલ્લુર, ત્રિશુર જિલ્લાનું એક નાનું અમથું ગામ છે, જે માલાબાર સમુદ્ર તટ પર સ્થિત છે. મુખ્ય રીતે પોતાના બંદરગાહ અને દેવી ભગવતીના મંદિર માટે જાણીતું આ શહેર અનેક શતાબ્દીઓને એકબીજા સાથે જોડે છે. આ શહેરનું ઐતિહાસિક મહત્વ એ વાત પર આધારિત છેકે 7મી શતાબ્દી દરમિયાન આ ચેરમન રાજાઓની રાજધાની હતું. કોડુન્ગલ્લુરના સમુદ્રથી નજીક હોવાના કારણે આ હિન્દ મહાસાગરમાં વ્યાપારની એક મહત્વપૂર્ણ કડી છે. આધુનિક ઇતિહાસકારો અનુસાર મધ્ય પૂર્વના અનેક દેશો જેમકે, સીરિયા, એશિયા માઇનર અને મિસ્ર સાથે આ શહેરની વ્યાપારિક કડીઓ જોડાયેલી છે.
પ્રાચીન સમયથી કોડુન્ગલ્લુર બીજા દેશોમાં મસાલાઓના મુખ્ય નિર્યાતકના રૂપમાં પ્રસિદ્ધ હતું. ત્યાંથી નિર્યાત કરવામાં આવતી વસ્તુ કાલી મીર્ચ હતી, જે યવના પ્રિયાના નામથી જાણીતી હતી. બેકવૉટર અને સમુદ્રથી ઘેરાયેલા આ શહેરમાં એક શાનદાર પ્રાગ્યોતિહાસિક અતિત રહેલું છે. કોડુન્ગલ્લુરમાં એક પ્રાચીન બંદરગાહ છે, જ્યાં ઇ.સ. પૂર્વે પહેલી શતાબ્દીમાં સમુદ્રી ગતિવિધિઓ થતી હતી.
કોડુન્ગલ્લુરની સંસ્કૃતિ તેના સમુદ્ર તટોને આભારી છે, જે વિભિન્ન ધર્મો અને વિશ્વાસો, જેમકે, ખ્રિસ્તી, યહુદી અને ઇસ્લામ તથા અન્ય ધર્મો માટે પ્રવેશ દ્વાર સમાન છે. કોડુન્ગલ્લુરને કેરળમાં ખ્રિસ્તી ધર્મના આગમનના રૂપમાં ઓળખવામાં આવે છે અને એવું માનવામાં આવે છેકે, ઇ.સ પછી 52માં સેંટ થોમસ ભારતમાં પ્રસિદ્ધ છે. ભારતમાં જીવંત મુસ્લિમ ઇતિહાસમાં પણ કોડુન્ગલ્લુરનો મહત્વપૂર્ણ ભાગ છે. ચેરમેન જુમા મસ્જિદ જેનું નિર્માણ ઇસા પછી 629માં થયું હતું, ભારતનું પહેલું મુસ્લિમ પૂજા સ્થળ માનવામાં આવે છે. તો ચાલો તસવીરો થકી નિહાળીએ કેરળના કોડુન્ગલ્લુરને.

કોડુન્ગલ્લુર
કેરળમાં આવેલું મંદિર અને ઇતિહાસનું એક સુંદર શહેર કોડુન્ગલ્લુર.

કોડુન્ગલ્લુર
કેરળમાં આવેલું મંદિર અને ઇતિહાસનું એક સુંદર શહેર કોડુન્ગલ્લુર.

કોડુન્ગલ્લુર
કેરળમાં આવેલું મંદિર અને ઇતિહાસનું એક સુંદર શહેર કોડુન્ગલ્લુર.

કોડુન્ગલ્લુર
કેરળમાં આવેલું મંદિર અને ઇતિહાસનું એક સુંદર શહેર કોડુન્ગલ્લુર.












Click it and Unblock the Notifications
