Maha Kumbh Gram Luxury Tent : લક્ઝરી ટેન્ટમાં રોકાવ અને મહા કુંભનો આનંદ લો, જાણી લો ભાડુ અને બુકિંગ પ્રક્રિયા
Maha Kumbh Gram Luxury Tent City : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી મહા કુંભ મેળાની શરૂઆત થવા જઈ રહી છે.
મહા કુંભ માટે આવનારા ભક્તો માટે મોટી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. આ વખતે ખાસ લક્ઝરી ટેન્ટ સિટી તૈયાર કરવામાં આવ્યુ છે.

ભારતીય રેલ્વે અને પર્યટન વિભાગે સાથે મળીને શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા કરી છે. આ વખતે, IRCTC એ ત્રિવેણી સંગમ નજીક અરૈલ કિનારે મહાકુંભ ગ્રામ નામનું એક વૈભવી ટેન્ટ સિટી ઉભુ કર્યુ છે.
ભારતીય રેલ્વે મહાકુંભ માટે લગભગ 3000 મેળા સ્પેશિયલ ટ્રેનો સાથે વ્યવસ્થા કરી રહી છે, જેમાં 1 લાખથી વધુ મુસાફરોને સુવિધા મળશે. IRCTC ના મહાકુંભ વિલેજમાં પ્રવાસીઓને રહેવા, ખાવા-પીવાની સુવિધાઓની સાથે તબીબી અને સુરક્ષા સુવિધાઓની વિશ્વ કક્ષાની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
મહાકુંભ વિલેજમાં ખાસ આયોજન
- મહાકુંભ વિલેજમા સુપર ડિલક્સ ટેન્ટ અને વિલા ટેન્ટ બનાવવામાં આવ્યા છે. આ આધુનિક સુવિધાઓથી સજ્જ છે.
- ગરમ અને ઠંડા પાણીની સુવિધાઓ
- વ્યક્તિગત બાથરૂમ
- એર બ્લોઅર અને બેડ લેનિન
- કેટરિંગ સેવાઓ અને વિલા ટેન્ટમાં અલગ બેઠક વિસ્તાર અને ટેલિવિઝન
ભાડુ અને બુકિંગ પ્રક્રિયા
- ભાડું : 18000 થી 20000 રૂપિયા પ્રતિ દિવસ
- બુકિંગ : ઓનલાઈન બુકિંગ IRCTC વેબસાઇટ (www.irctctourism.com/mahakumbhgram) પર ઉપલબ્ધ છે.
- બુકિંગ 10 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી કરી શકાશે.
સુરક્ષા અને અન્ય સુવિધાઓ
- મહેમાનોની સુરક્ષા માટે મહાકુંભ વિલેજમા સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે. પ્રાથમિક સારવાર સેવાઓ પણ ઉપલબ્ધ છે.
- 300 ખાસ ટ્રેનો દોડાવવામાં આવશે.
- અંદાજે 1 લાખ મુસાફરો માટે રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
- આ કાર્યક્રમ દર 12 વર્ષે યોજાય છે અને તેમાં વિશ્વભરમાંથી લાખો ભક્તો હાજરી આપે છે.
મહાકુંભ પહેલા પ્રયાગરાજ રેલ્વે સ્ટેશનની તૈયારી અંગે ઉત્તર મધ્ય રેલ્વેના સીઆરપીઓ શશિકાંત ત્રિપાઠીએ જણાવ્યું કે, મહાકુંભ 2025 નજીક આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં ભક્તો શ્રદ્ધાના સંગમમાં ડૂબકી લગાવશે. ઘણા ભક્તો ખાસ કરીને પ્રયાગરાજથી આવે છે અને અમે નજીકના સ્ટેશનોથી પરિવહન માટે રેલ્વેનો ઉપયોગ કરીશું. અમારો ઉદ્દેશ્ય કુંભની પ્રાચીન સનાતન પરંપરાનું પ્રદર્શન કરીને પ્રયાગરાજની મુલાકાત લેતા ભક્તોના આધ્યાત્મિક અનુભવને વધારવાનો છે.
મુલાકાતીઓના અનુભવ સુધારવા રેલ્વે પરિસરને કુંભ સાથે જોડવામાં આવશે. જેમ આપણે તહેવારો દરમિયાન આપણા ઘરોને શણગારીએ છીએ તેવી જ રીતે આપણે મહેમાનોની સેવા કરવા પ્રત્યેનો ઉત્સાહ અને પ્રતિબદ્ધતા દર્શાવવા માટે આપણા રેલ્વે સ્ટેશનોને શણગાર્યા છે.
મહાકુંભ એ વિશ્વનો સૌથી મોટો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક કાર્યક્રમ છે. તે દર 12 વર્ષે થાય છે અને પ્રયાગરાજમાં ગંગા, યમુના અને અદ્રશ્ય સરસ્વતીના સંગમ પર યોજાય છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
