કળા, સંસ્કૃતિ અને ધર્મની ઝાંખી કરાવતું કેરળનું શહેર
પતનમતિટ્ટા, કેરળના દક્ષિણ ભાગમાં સ્થિત છે. આ ઇશ્વીરય પ્રદેશનો સૌથી નાનો જિલ્લો છે. વિકસની ગતિને વધારો આપવાના ઉદ્દેશ્યથી આ જિલ્લાને 1 નવેમ્બર 1982ના રોજ બનાવવામાં આવ્યો હતો. હવે આ ઝડપથી પ્રગતિ કરીને એક વ્યાવસાયિક શહેર બની ગયું છે. આ સ્થળનું નામ બે શબ્દો પતનમ અને તિટ્ટાને મેળવીને બનાવવામાં આવ્યું છે. જેનો અર્થ નદી કિનારે વસેલા 10 ઘરોનો સમૂહ થાય છે.
પતનમતિટ્ટા પોતાના નૌકા દોડ, ધાર્મિક તિર્થો અને સાંસ્કૃતિક પ્રશિક્ષણ કેન્દ્રોના કારણે પ્રમુખ પ્રવાસન કેન્દ્ર છે. આ સ્થળને કેરળની ધાર્મિક રાજધાની કહેવામા આવે છે. અયપ્પા દેવતાનું ઘર સબરીમાલા અહી જ છે, જ્યાં દર વર્ષે સમસ્ત ભારતમાંથી લાખો ભક્તો આવે છે. આ સ્થળ કળાની પરંપરાઓ અને સંસ્કૃતિનો ધની છે. આ સમૃદ્ધ કળામાં દસ દિવસીય રીતીય નૃત્ય પદાયની સામેલ છે. જેને કદમાનિત્તા દેવી મંદિરમાં કરવામાં આવે છે. પતનમતિટ્ટા વાસ્તુવિદ્યા ગુરુકુલમ માટે પણ પ્રસિદ્ધ છે, જેનો ઉદ્દેશ્ય વાસ્તુવિદ્યા અને ભિતિ ચિત્રોના સંરક્ષણ અને પ્રોત્સાહન આપવાનો છે.
એક અન્ય ઉલ્લેખનીય સ્થાનિક કળાના રૂપમાં અરનમૂલા કન્નડી છે. આ કળા અંતર્ગત હાથથી ધાતુ-મિશ્રણથી દર્પણ કરવામાં આવે છે. દર્પણ નિર્માણની આ કળાને પારિવારિક સ્તર પર ગુપ્ત રાખવામાં આવે છે અને એક પેઢીથી બીજી પેઢીને હસ્તાન્તરિત કરવામાં આવે છે. સબરીમાલા મંદિર ઉપરાંત તમે શ્રીવલ્લભ મંદિર, પરુમાલાના રુઢિવાદી ચર્ચ મલંકારા, કોડુમાન, ચિલન્થિયમ્બલમ, પલિયક્કારા ચર્ચ, કવિયૂર મહાદેવ મંદિર અને પ્રસિદ્ધ સ્વતંત્ર સેનાની અદૂર વેલૂ થમ્પી દેવાની મૂર્તિના સ્થળોની મુલાકાત લઇ શકો છો, તો ચાલો તસવીરો થકી જોઇએ પતનમતિટ્ટાને.

નૌકા દોડ
પથાનમતિટ્ટામાં આવેલા અરનમૂલ પાર્થસારથી મંદિર ખાતે નૌકા દોડ

અરનમૂલ પાર્થસારથી મંદિર
પથાનમતિટ્ટા ખાતે આવેલું અરનમૂલ પાર્થસારથી મંદિર

પેરુનથેનારુવી ધોધ
પથાનમતિટ્ટામાં આવેલો પેરુનથેનારુવી ધોધ

પેરુનથેનારુવી ધોધ
પથાનમતિટ્ટામાં આવેલો પેરુનથેનારુવી ધોધ

મુલુર સ્મારકમ
પથાનમતિટ્ટામાં આવેલું મુલુર સ્મારકમ મેમોરિયલ પ્લેસ

નૌકા દોડ
પથાનમતિટ્ટામાં આવેલા અરનમૂલ પાર્થસારથી મંદિર ખાતે નૌકા દોડ

અરનમૂલ પાર્થસારથી મંદિર
પથાનમતિટ્ટા ખાતે આવેલું અરનમૂલ પાર્થસારથી મંદિર












Click it and Unblock the Notifications
