World Heritage Day 2024: ભારતની આ ધરોહરને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે, તમે પણ બનાવો ફરવાનો પ્લાન
દર વર્ષની જેમ આ વર્ષે પણ 18મી એપ્રિલે વિશ્વભરમાં વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી કરવામાં આવશે. આ દિવસ વિશ્વભરમાં સ્મારક સ્થળો અને સ્મારકોની જાળવણી માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે ઉજવવામાં આવે છે.

જો ભારતની વાત કરીએ તો અત્યારે આપણા દેશમાં 42 વર્લ્ડ હેરિટેજ સાઈટ છે. તેમાંથી 34 સાંસ્કૃતિક, સાત પ્રાકૃતિક અને એક કંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે. જો તમે પણ વર્લ્ડ હેરિટેજ ડે પર ક્યાંક ફરવા જવા માંગો છો, તો તમે ભારતના તે સ્થળોએ જઈ શકો છો જ્યાં તમને ઘણા વિદેશી પ્રવાસીઓ જોવા મળશે. ભારતના આ પાંચ સ્થળો વિશ્વ ધરોહરોમાં અગ્રણી છે.
તાજ મહેલ
આગરામાં સ્થિત તાજમહેલ એક એવી જગ્યા છે જેને જોવા માટે લોકો વિદેશથી આવે છે. તેની સુંદરતાના ઉદાહરણો દરેક જગ્યાએ આપવામાં આવે છે. ખાસ સફેદ માર્બલથી બનેલી આ જગ્યા શાહજહાંએ તેની પત્ની મુમતાઝની યાદમાં બનાવી હતી. અહીં જવા માટે ભારતીય પ્રવાસીઓએ 50 રૂપિયામાં ટિકિટ ખરીદવી પડે છે. SAARC અને BIMSTEC દેશોના પ્રવાસીઓ માટે 540 રૂપિયાની ટિકિટ ખરીદવી ફરજિયાત છે. જ્યારે વિદેશથી આવતા પ્રવાસીઓને તાજ જોવા માટે 1100 રૂપિયા ચૂકવવા પડે છે.
દિલ્હીનો કિલ્લો
દિલ્હીનો લાલ કિલ્લો 17મી સદીમાં મુઘલ શાસક શાહજહાં દ્વારા બનાવવામાં આવ્યો હતો. દેશની રાજધાનીમાં સ્થિત આ કિલ્લો લાલ બલુઆ પથ્થર (સેન્ડસ્ટોન)થી બનેલો છે અને તેની દિવાલો લાલ રંગની છે. 2007માં યુનેસ્કો દ્વારા તેને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી હતી. દર વર્ષે દેશના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવે છે. અહીં ત્રણ કેટેગરીમાં ટિકિટ ઉપલબ્ધ છે. પ્રથમ વર્ગની ટિકિટનું ભાડું 20 રૂપિયા પ્રતિ વ્યક્તિ છે. બીજી કેટેગરીની ટિકિટની કિંમત 100 રૂપિયા છે જ્યારે ત્રીજી કેટેગરીની ટિકિટની કિંમત 500 રૂપિયા છે.
અજંતા ગુફાઓ
વિશ્વ પ્રસિદ્ધ અંજતા-ઇલોરાની ગુફાઓ હંમેશા ઉત્સુકતા અને પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર રહી છે. આ ગુફાઓ મહારાષ્ટ્રમાં આવેલી છે. અહીં લગભગ 29 ખડકોને કાપીને બનાવવામાં આવી છે. આ ગુફાઓ વાકાટક સમ્રાટ હરિસેનાના શાસન દરમિયાન બનાવવામાં આવી હતી. એવું કહેવાય છે કે, આ ગુફાઓ 1819માં શિકાર માટે આવેલા એક બ્રિટિશ અધિકારી દ્વારા મળી હતી. આ ગુફાઓ હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મ સાથે સંબંધિત છે. યુનેસ્કો દ્વારા જ તેને વિશ્વ ધરોહર જાહેર કર્યું હતું.
કુતુબ મિનાર
કુતુબ મિનારનું નામ વિશ્વના સૌથી ઊંચા મિનારાઓમાં સામેલ છે. તે દિલ્હીના મહેરૌલીમાં આવેલું છે. અહીં હંમેશા લોકોનો જમાવડો રહે છે. આ ઈંટની બનેલી દુનિયાની સૌથી ઊંચી ઈમારત છે, જેનું નિર્માણ 12મી સદીમાં થયું હતું. તેની ઊંચાઈ 73 મીટર ઊંચી છે. વિદેશી પ્રવાસીઓ પણ કુતુબમિનારની મુલાકાત લેવા આવતા રહે છે. 1993માં યુનેસ્કો દ્વારા કુતુબ મિનારને વર્લ્ડ હેરિટેજ જાહેર કર્યું હતું.
જંતર-મંતર જયપુર
દેશની સૌથી મોટી વેધશાળા, જંતર-મંતર, જયપુરમાં આવેલી છે. સવાઈ રાજા જય સિંહે વર્ષ 1734માં રાજસ્થાનના જયપુરમાં દેશની સૌથી મોટી વેધશાળા, જંતર મંતરનું નિર્માણ કર્યું હતું. આજે પણ અહીં હાજર સાધનોની મદદથી વરસાદની આગાહી કરવામાં આવે છે. આ સાથે પંચાંગ બનાવવામાં પણ આ સાધનો મદદરૂપ થાય છે. જો અહેવાલોનું માનીએ તો એક વર્ષમાં લગભગ 7 લાખ દેશી અને વિદેશી પ્રવાસીઓ જંતર-મંતરની મુલાકાત લે છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના








Click it and Unblock the Notifications
