સાત પર્વતોથી ઘેરાયેલુ છે મહારાષ્ટ્રનું સતારા
સતારા, મહારાષ્ટ્ર રાજ્યનો એક જિલ્લો છે. આ કુલ 10,500 વર્ગ કિ.મી ક્ષેત્રમાં ફેલાયેલુ છે. તેની ઉત્તરમાં પૂણે, દક્ષિણમાં સાંગલી, પૂર્વમાં સોલાપુર અને પશ્ચિમમાં રત્નાગિરી જિલ્લો છે. તેની આસપાસ સાત પર્વતો છે, જેના કારણે તેને સતારા કહેવામાં આવે છે. આ સાત પર્વતોમાં જરંદેશ્વર, યવતેશ્વર, જિંક્યાત્રા, કિત્લિચા, પૈદયાચા બૈરોબા અને નક્દિચા ડોંગર છે.
સતારા પર પહેલા રાષ્ટ્રકૂટ રાજવંશે શાસન કર્યુ. પછી તેના પર ચાલુક્યા અને મોર્ય સામ્રાજ્યનું શાસન રહ્યું. 17મી સદીમાં તેના પર મરાઠા સામ્રાજ્યનું શાસન રહ્યું. તૃતીય એંગ્લો- મરાઠા યુદ્ધ બાદ અંગ્રેજોએ સતારા પર કબ્જો કર્યો, તેને રાજા પ્રતાપ સિંહને સોંપી દીધું. અંતમાં સતારા બોમ્બે પ્રેસિડેન્સીનો બાગ બની ગયુ. ભારતના સ્વતંત્રતા આંદોલનમાં સતારા શહેરની પ્રમુખ ભૂમિકા રહી છે.
સતારામાં જોવાલાયક ઘણા બધા મંદિરો અને કિલ્લા છે. અહીંનું જિંક્યાત્રા કિલ્લો પ્રસિદ્ધ પ્રવાસન સ્થળ છે. તેનું નિર્માણ રાજા ભોજે કર્યું હતું. આ 3 હજાર ફૂટની ઉંચાઇ પર છે અને આ કિલ્લો દુશ્મનથી રક્ષા પ્રદાન કરે છે. તેની અંદર મનમોહક મંગલાઇ દેવીનું મંદિર છે. આ કિલ્લાની ચોટી પરથી તમે સતારા શહેરનો નજારો જોઇ શકો છો.

કૌસ તળાવ
સતારામાં આવેલું કૌસ તળાવ અને કૌસ પ્લેટ્યુ

થોસઘાર ઝરણું
સતારામાં આવેલું થોસઘાર ઝરણું

કોયના બાંધ
સતારામાં આવેલા કોયના બાંધની તસવીર

બાંધનો નજારો
સતારામાં આવેલા કોયના બાંધનો નજારો

શહેરનો નજારો
સતારામાં આવેલો જિંક્યાત્રા કિલ્લા પરથી જુઓ શહેરનો નજારો

કિલ્લાનો પ્રવેશ દ્વાર
સતારામાં આવેલા જિંક્યાત્રા કિલ્લાનો પ્રવેશ દ્વાર

સજ્જનગઢ ફોર્ટ
સતારામાં આવેલો સજ્જનગઢ ફોર્ટનો પ્રવેશ દ્વાર












Click it and Unblock the Notifications
