મહારાષ્ટ્રમાં દુકાળ, 1207 કરોડનું રાહત પેકેજ
મહારાષ્ટ્રમા દુકાળના કારણે ખેડુતોના ખેતરોમાં ઉગેલા પાકો બરબાદ થઇ ગયા છે. તેમણે કહ્યું કે 400 કરોડ રૂપિયા રાષ્ટ્રીય બાગવાની મિશન હેઠળ 1100 ગામોને આપવામાં આવશે, જ્યાં દુકાળ પડવાથી પાક બરબાદ થઇ ગયો છે. આ પહેલા મહારાષ્ટ્ર સરકારે રાજ્યના દુકાળગ્રસ્ત વિસ્તારોના ખેડુતો માટે રાષ્ટ્રીય આફત રાહત ફંડ હેઠળ 1801 કરોડ રૂપિયા આપવામાં આવે તેવી માંગ કર હતી, પરંતુ કેન્દ્રીય ટીમે સ્થિતિનું અવલોકન કર્યા બાદ 872 કરોડ રૂપિયા આપવામાં આવે તેવી ભલામણ કરી હતી. પાકોના નુક્સાનની ભરપાઇ કરવા માટે ગયા વર્ષે ફંડ હેઠળ રાજ્ય માટે 778 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા.
મહારાષ્ટ્રના ખેડુતો માટે પેકેજની ઘોષણા સાથો-સાથ ઇજીઓમના સભ્ય અને ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ જણાવ્યું કે કેરળ અને અન્ય રાજ્યો માટે પણ દુકાળ રાહત પેકેજ મંજૂર કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં અંદાજે 34 જિલ્લાઓ જેમાં સોલાપુર, અહમદનગર, સાંગલી, પુણે, સતારા, બીડ અને નાસિક દુકાળથી સૌથી વધારે પ્રભાવિત જિલ્લા છે. રાજ્યમાં કેટલાક જિલ્લામાં ઘાસચારા અને પાણીની ગંભીર સમસ્યા સર્જાયી છે. અધિકારીઓએ કહ્યું કે મોટાભાગોમાં પ્રભાવિત ગામોમાં ટેન્કરો થકી પાણીની આપૂર્તિ કરવામાં આવી રહી છે.