બજેટ 2013: કૃષિ વિવિધીકરણ માટે રૂ.500 કરોડ

બાકી રાજ્યો માટે જ્યાં પહેલા હરિત ક્રાન્તિ આવી હતી તેમના માટે 500 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના માટે અમે ફાળવણી વધારી રહ્યાં છીએ જે, 2250 કરોડ રૂપિયા હશે. નાના ખેડુતો માટે સિંચાઇ મહત્વની છે. તે માટે બજેટ વધારવામાં આવશે. કૃષિ વૈજ્ઞાનિકોના સુચનો પર પાયલટ કાર્યક્રમ ચલાવવામાં આવશે, જેમાં વધારે પોષખ તત્વોવાળા પાકોને મહત્વ આપવામાં આવશે. અલગ-અલગ જિલ્લાઓમાં તેને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. નારિયેલના ઉત્પાદનને વધારવા માટે પાયલટ સ્કીમ આખા કેરળ રાજ્યમાં લાગુ કરવામાં આવશે, જેના માટે 75 હજાર કરોડ રૂપિયા. બાજરા, મકાઇના ઉત્પાદન માટે અમે ફાળવણી કરી રહ્યાં છીએ.
આ પહેલા ચિદમબરમે સ્વાસ્થ્ય મિશન માટે ચિંદમબરમે 37 હજાર કરોડની ફાળવણી કરી છે. ચિદમબરમે કહ્યું છે કે આ મિશન ગામડાં અને શહેરો બન્ને માટે હશે. ચિદમબરમે પોતાના ભાષણમાં કહ્યું કે આયુર્વેદ અને યૂનાનીને વધારવા માટે 1 હજાર કરોડની ફાળવણી કરવામાં આવે છે. એમ્સમાં 1650 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે. માનવ સંસાધન મંત્રાલય માટે 8 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. ચિંદમબરમે પોતાના ભાષણની શરૂઆતમાં તમામ રાજકીય પક્ષો અને સંબદ્ધ પક્ષોને દેશની અર્થવ્યવસ્થાને હાલના સંકટમાંથી બહાર કાઢવામાં સહયોગ કરવા અનુરોધ કર્યો છે.
તેમણે કહ્યું કે, ગત વર્ષોમાં આર્થિક વિકાસનો દર આઠ થી નવ ટકા રહેતું હતું, જેને ફરીથી હાંસલ કરવું એ મુખ્ય પડકાર સમાન છે. નોંધનીય છે કે ચિદમબરમ દેશ માટે આઠમીવાર સામાન્ય બજેટ રજૂ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, અમે પહેલાં કર્યું છે અને અમે આવું ફરીથી કરી શકીએ છીએ. અંતિમ પરિણામ જે પણ હોય, વિકાસ આશાઓથી ઓછો છે, પરંતુ તેને લઇને નિરશ થવાની જરૂર નથી.












Click it and Unblock the Notifications
