HIDFને 2025-26 સુધી મંજૂરી, દૂધ ઉત્પાદકોને વ્યાજમાં 3 ટકાની છૂટ મળશે
કેન્દ્રીય પશુપાલન અને ડેરી મંત્રી પરષોત્તમ રૂપાલાએ બુધવારે નવી દિલ્હીમાં પુનર્ગઠિત પશુપાલન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ યોજનાનો પ્રારંભ કર્યો.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીએ ઉદ્યોગો, એફપીઓ, ડેરી સહકારી મંડળીઓને આ યોજનાનો લાભ લેવા જણાવ્યું. આ સાથે મંત્રી પરષોત્તમ રૂપાલાએ AHIDFને લગતી રેડિયો જિંગલ પણ બહાર પાડી.

અહીં પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે, આ યોજના કોવિડ સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવી હતી જે સમગ્ર દેશ માટે મુશ્કેલ સમય હતો. તેમણે કહ્યું કે આ યોજનાને ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે અને તે આગામી 3 વર્ષ માટે લાગુ કરવામાં આવશે.
તેમણે જણાવ્યુ કે, કેબિનેટે તાજેતરમાં બેઠકમાં 29,610 કરોડના ખર્ચ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ હેઠળ AHIDFના પુનર્ગઠનને મંજૂરી આપી છે. હવે ડેરી સહકારી મંડળીઓને DIDF હેઠળ 2.5% ને બદલે AHIDF હેઠળ 3% વ્યાજ સબવેન્શનનો લાભ મળશે.
ડેરી સહકારી ને AHIDF ના ક્રેડિટ ગેરંટી ફંડ હેઠળ ક્રેડિટ ગેરંટી સહાય પણ મળશે. આ યોજના ડેરી સહકારી મંડળીઓને તેમની પ્રોસેસિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવી પ્રોસેસિંગ ટેકનોલોજી સાથે અપગ્રેડ કરવામાં મદદ કરશે. તેનાથી દેશમાં મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકોને ફાયદો થશે.












Click it and Unblock the Notifications
