Coconut farming : દરિયાકાંઠાના ખેડૂતોને સદ્ધર બનાવતી નાળીયેરની ખેતી, વાવેતર વિસ્તારમાં મોટો વધારો
Coconut farming : સમગ્ર વિશ્વમાં ૨ સપ્ટેમ્બરના રોજ વિશ્વ નાળિયેર દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ નાળિયેરના સ્વાસ્થ્યવર્ધક ગુણો અને તેના બહુવિધ ઉપયોગો વિશે લોકોને જાગૃત કરવાનો છે.
ભારત નાળિયેરનું સૌથી વધુ ઉત્પાદન અને નિકાસ કરનારા અગ્રણી દેશોમાંનું એક છે. ગુજરાતમાં પણ નાળિયેરની ખેતીને પ્રોત્સાહન આપીને ખેડૂતોને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે.

કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલે નાળિયેર દિવસ નિમિત્તે જણાવ્યું કે, છેલ્લા એક દાયકામાં નાળિયેરના વાવેતર વિસ્તારમાં મોટો વધારો થયો છે. વર્ષ ૨૦૧૪-૧૫માં નાળિયેરનો વાવેતર વિસ્તાર ૨૨,૪૫૧ હેક્ટર હતો તે વધીને વર્ષ ૨૦૨૪-૨૫માં ૨૮,૧૯૭ હેક્ટર થયો છે, જે ૫,૭૪૬ હેક્ટરનો વધારો દર્શાવે છે. હાલમાં ગુજરાતમાં લીલા નાળિયેરનું વાર્ષિક ઉત્પાદન ૨૬.૦૯ કરોડ યુનિટથી પણ વધુ છે.
ભારતમાં સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય હોવાથી ગુજરાતમાં નાળિયેરના ઉત્પાદનની વિપુલ તકો છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં હાલમાં ૪૫.૬૧ લાખ હેક્ટર ખેતીલાયક જમીન છે. આ જમીનનો ઉપયોગ કરીને નાળિયેરના વાવેતર વિસ્તારને વર્તમાન ૨૮,૦૦૦ હેક્ટરથી વધારીને ૭૦,૦૦૦ થી ૮૦,૦૦૦ હેક્ટર સુધી લઈ જવાની ક્ષમતા છે.
હાલમાં ગુજરાતમાં મુખ્યત્વે ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, વલસાડ, કચ્છ, નવસારી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં નાળિયેરનું ઉત્પાદન થાય છે. સરકાર અન્ય દરિયાકાંઠાના જિલ્લાઓમાં પણ આ ખેતીને પ્રોત્સાહન આપી રહી છે.
રાજ્ય સરકારે નાળિયેરની ખેતી અને તેના સંબંધિત ઉદ્યોગોના સંકલિત વિકાસ માટે ગુજરાત નાળિયેરી વિકાસ કાર્યક્રમ અમલમાં મૂક્યો છે. આ કાર્યક્રમ માટે ચાલુ વર્ષના બજેટમાં ૫.૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
આ યોજના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે.
- વાવેતર માટે : પ્રતિ હેક્ટર ૩૭,૫૦૦ સુધીની ૭૫% સહાય.
- સંકલિત પોષણ અને જીવાત વ્યવસ્થાપન માટે : પ્રતિ હેક્ટર ૫,૦૦૦ સુધીની ૫૦% સહાય.
- પ્લાન્ટિંગ મટિરિયલ્સ માટે : પ્રતિ હેક્ટર ૧૩,૦૦૦ સુધીની ૯૦ ટકા સહાય.
આ તમામ સહાય ખેડૂતોના બેંક ખાતામાં સીધી જમા થાય છે, જે ખેડૂતોને આર્થિક રીતે મદદરૂપ થાય છે. આ સહાય પ્રતિ ખેડૂત/ખાતા દીઠ મહત્તમ ૪ હેક્ટરની મર્યાદામાં મળે છે.
નાળિયેરના ઘણા સ્વાસ્થ્યવર્ધક ફાયદાઓ ઉપરાંત નાળિયેરનું મૂલ્યવર્ધન કરીને પણ ખેડૂતો મબલખ આવક મેળવી રહ્યા છે. રાજ્યના ઘણા ખેડૂતો અને કૃષિ એકમો નાળિયેરમાંથી વિવિધ ઉત્પાદનો બનાવી રહ્યા છે.
- તેલ અને વર્જિન કોકોનટ ઓઈલ
- નાળિયેરનું દૂધ અને પાણીના ટેટ્રાપેક/બોટલ
- કુકીઝ, બરફી, વિનેગર, ફ્લેક્સ અને ચિપ્સ
- નીરા અને ઓઈલ કેક
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઉત્પાદિત નાળિયેરમાંથી આશરે ૪૦ ટકા જેટલા ત્રોફાની દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નિકાસ થાય છે. ગુજરાત સરકારના સક્રિય પ્રયાસોથી નાળિયેરની ખેતી રાજ્યના ખેડૂતો માટે સમૃદ્ધિનું નવું દ્વાર ખોલી રહી છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
