ખેડૂતો પોતાના ખેતરે લગાવી શકે છે સોલાર મોટર, જાણો કેવી રીતે યોજનાનો લાભ લેવો?
હવે ધીરે ધીરે સોલાર એનર્જીની બોલબાલા વધી રહી છે. ખેડૂતો પણ સોલાર પંપ વાપરતા થઈ છે. આ માટે સરકારની વિવિધ યોજનાઓ પણ અમલમાં છે.
સોલાર પંપથી ખેડૂત ભાઈઓને વીજળીના બિલમાંથી રાહત મળે છે. આ પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે. સરકારની ઘણી યોજનાઓ હેઠળ ખેડૂતોને સોલાર પંપ લગાવવા માટે સબસિડી આપવામાં આવે છે.

સોલાર પંપની કિંમત વિશે વાત કરીએ તો તે ખેતીમાં સિંચાઈની જરૂરિયાતો, ખેતરની જમીનની પ્રકૃતિ અને સોલાર પંપની ક્ષમતા પર આધારિત છે. તમે સોલાર પંપ લગાવવા માટે સરકારી યોજનાઓનો પણ લાભ લઈ શકો છો.
આ યોજનાઓમાં કુસુમ યોજના મહત્વની યોજના છે. આ યોજના હેઠળ ખેડૂતોને સોલર પંપ લગાવવા 60 ટકા સબસિડી આપવામાં આવે છે.
ખેડૂતો ઉપરાંત આ પંપ પંચાયતો અને સહકારી મંડળીઓને પણ મફત ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સિવાય સરકાર તેમના ખેતરની આસપાસ સોલાર પંપ પ્લાન્ટ લગાવવા માટે ખર્ચના 30 ટકા સુધીની લોન આપે છે.
આ કારણે ખેડૂતોએ આ પ્રોજેક્ટ પાછળ માત્ર દસ ટકા જ ખર્ચ કરવો પડે છે. આ યોજના દ્વારા ખેડૂતોની સિંચાઈની સમસ્યાનો ઉકેલ લાવી શકાશે. ખેડૂતોને ઇલેક્ટ્રીક અથવા ડીઝલ પંપથી સિંચાઇ માટે વધુ પૈસા ખર્ચવા પડે છે.












Click it and Unblock the Notifications
