Farmers Protest : 14 ફેબ્રુઆરીએ ખેડૂતો અને સરકાર વચ્ચે બેઠક યોજાશે, દલ્લેવાલ મેડિકલ મદદ લેશે
Farmers Protest : નરેન્દ્ર મોદી સરકારની ખેડૂત વિરોધી નીતિઓના વિરોધમાં ખેડૂતો સતત દિલ્હીની શરહદો પર આંદોલન કરી રહ્યાં છે.
ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ છેલ્લા 54 દિવસથી સતત ઉપવાસ પર છે ત્યારે હવે મોડે મોડે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર વાતચીત માટે તૈયાર થઈ છે.

સમાચારો અનુસાર, આવનારી 14 ફેબ્રુઆરીએ કિસાન નેતાઓ અને સરકાર વચ્ચે બેઠક યોજાશે. આ નિર્ણય દલ્લેવાલની બગડતી તબિયત બાદ નરેન્દ્ર મોદી સરકારે લીધો છે.
ખેડૂતોની મુખ્ય માંગણીઓ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવની કાયદાકીય ગેરંટી મુદ્દે આ બેઠકમાં ચર્ચા થશે.
બીજી તરફ બેઠકની જાહેરાત બાદ 54 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ તબીબી મદદ લેવા તૈયાર થયા છે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલયના અધિકારીઓનું એક પ્રતિનિધિમંડળ દલ્લેવાલને મળ્યું અને તેમની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી અને તેમને ઉપવાસ તોડવા અને તબીબી સારવાર લેવા વિનંતી કરી હતી.
કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત આ બેઠક 14 ફેબ્રુઆરીએ સાંજે 5 વાગ્યે મહાત્મા ગાંધી સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ચંદીગઢ ખાતે યોજાશે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના સંયુક્ત સચિવ પ્રિયા રંજને જણાવ્યુ કે, આ બેઠક ખેડૂતોના સંઘર્ષને ઉકેલવા માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.
તેમણે કહ્યું કે, અમે દલ્લેવાલ પાસેથી તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી લીધી અને ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી. અમે તેમને તેમના ઉપવાસ સમાપ્ત કરવા અને તબીબી સહાય મેળવવા વિનંતી કરી છે, જેથી તેઓ 14 ફેબ્રુઆરીએ યોજાનારી બેઠકમાં હાજરી આપી શકે.
જો કે, ખેડૂત નેતા સુખજિત સિંહ હરદોઝાંડેએ સ્પષ્ટતા કરી છે કે જ્યાં સુધી MSP પર કાનૂની ગેરંટી આપવામાં ન આવે ત્યાં સુધી તેઓ તેમના અનિશ્ચિત ઉપવાસને સમાપ્ત નહીં કરે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી ખેડૂતોને આ મુદ્દે કાયદાકીય રક્ષણ નહીં મળે ત્યાં સુધી તેમની લડત ચાલુ રહેશે.
ખેડૂતો આંદોલન હેઠળ 13 ફેબ્રુઆરીથી પંજાબ-હરિયાણાની ખનૌરી અને શંભુ બોર્ડર પર કેમ્પ લગાવેલા ખેડૂતોની સંખ્યા વધી રહી છે. શનિવારે વધુ 10 ખેડૂતોએ ઉપવાસ શરૂ કર્યા છે અને ખનૌરી બોર્ડર પર ઉપવાસ કરનારા ખેડૂતોની સંખ્યા 121 પર પહોંચી છે. ખેડૂત સંગઠનોનું માનવું છે કે કેન્દ્ર સરકાર સાથેની તાજેતરની વાતચીત આ સંઘર્ષને નવી દિશા આપી શકે છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
