મંડીમાંથી 48 કલાકમાં માલ નહિ ઉપાડ્યો તો દંડ થશેઃ હરિયાણા સરકાર
મંડીમાંથી 48 કલાકમાં માલ નહિ ઉપાડ્યો તો દંડ થશેઃ હરિયાણા સરકાર
હરિયાણા સરકાર આગામી મહિનેથી રવી સિઝનના પાકની ખરીદી કરશે. ખરીદી વિશે જાણકારી આપતાં નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપી દેવામાં આવ્યા છે કે ખરીદી કરતી મંડીઓમાં પર્યાપ્ત સંખ્યામાં બોરા અને સિલાઈ મશીન હોય. મંડીઓમાં સમય પર ખેત ઉપજની ખરીદી થવી જોઈએ, આના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમણે કહ્યું કે સરકારના સ્પષ્ટ નિર્દેશ છે કે ખેડૂતોના જે-ફાર્મ કપાયાના 48 કલાકમાં ખેડૂતોના કાતામાં રૂપિયા પહોંચી જવા જોઈએ. જો 48 કલાકમાં ખેડૂતોની ફસલ નહિ લેવાય તો દંડ લાગશે.

વધુમાં નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે, આગામી રવી સિઝનના પાક માટે ટેકાના ભાવે ખરીદી માટે હરિયાણા સરકારે મંડી સ્તરની તમામ તૈયારીઓ કરી લીધી છે. રવી પાકની ખરીદી બે તબક્કામાં શરૂ થશે. કહ્યું કે ટ્રાન્સપોર્ટરોને 48 કલાકમાં માલ ઉઠાવવાનો આદેશ આપવામાં આવ્યો છે નહિતર દંડ ભરવા માટે તૈયાર રહે. દુષ્યંત ચૌટાલાએ કહ્યું કે, અત્યાર સુધી સાડા સાત લાખ ખેડૂતોએ પોતાનો પાક વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમણે કહ્યું કે ખેડૂતોને મંડીમાં પાક વેચવા આવતા પહેલાં તેમને સૂચિત કરવામાં આવશે.
દુષ્યંત ચૌટાલાએ જણાવ્યું- હરિયાણા સરકાર ઘઉં અને સરસવની ખરીદી પહેલી એપ્રિલથી શરૂ કરશે તથા જૌ, ચણા અને દાળની એમએસપી પર 10 એપ્રિલથી ખરીદી શરૂ થશે. જણાવી દઈએ કે દુષ્યંત ચૌટાલાએ રવી પાકની ખરીદીને લઈ ખરીફ પ્રક્રિયા સાથે જોડાયેલા ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી છે. આ બેઠકમાં ખરીદ પ્રક્રિયા સુગમ બનાવવા અને ખેડૂતોને કોઈ પ્રકારની સમસ્યા ના સર્જાય તેવા આદેશ આપવામાં આવ્યા છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
