નકલી જંતુનાશકોને લઈને કેન્દ્ર સરકાર એક્શમાં, કડક કાર્યવાહી કરવા આદેશ
કેન્દ્ર સરકારે નકલી અને હલકી ગુણવત્તાવાળા જંતુનાશકોના વેચાણ પર કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. ખેડૂતોને નકલી દવાઓના કારણે થતા મોટા નુકસાનની ફરિયાદો મળ્યા બાદ કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આ મુદ્દે ગંભીર નોંધ લીધી છે.
તાજેતરમાં 24 જુલાઈના રોજ દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કૃષિ મંત્રીએ અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યા કે નકલી જંતુનાશકોનું વેચાણ કરનારાઓ સામે સખત પગલાં ભરવામાં આવે.

તેમણે જણાવ્યું કે વિવિધ રાજ્યોના પ્રવાસ દરમિયાન ખેડૂતોએ વારંવાર એવી ફરિયાદો કરી છે કે નકલી જંતુનાશક દવાઓના ઉપયોગથી તેમનો પાક બરબાદ થઈ જાય છે, જેના પરિણામે તેમને મોટું આર્થિક નુકસાન વેઠવું પડે છે.
કૃષિ મંત્રીએ જણાવ્યું કે ખેડૂતોની આ ગંભીર સમસ્યાને દૂર કરવા માટે બજારમાં નકલી જંતુનાશક દવાઓનો પ્રવાહ અટકાવવો અત્યંત જરૂરી છે.
તેમણે ઉમેર્યું કે કોઈ પણ સંજોગોમાં નકલી અને હલકી ગુણવત્તાવાળા જંતુનાશકોનું વેચાણ થવું ન જોઈએ. આ ઉપરાંત તેમણે જંતુનાશકોની નોંધણી (રજિસ્ટ્રેશન) પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાની પણ હિમાયત કરી.
કેન્દ્ર સરકારનો આ નિર્ણય ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ પગલું છે. આશા છે કે આ કડક કાર્યવાહીથી નકલી જંતુનાશકોના દૂષણને નાબૂદ કરી શકાશે અને ખેડૂતોને થતા નુકસાનમાંથી બચાવી શકાશે.
-
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
