મળો ઈન્ડસ્ટ્રીના મોટા રૂપિયા અને ઘોંઘાડ છોડીને પ્રાકૃતિક ખેતીની ધુણી ધખાવનારા તરવરિયા યુવાનને
દુનિયાભરમાં ખેતીમાં બેફામ રીતે થઈ રહેલો દવાઓ અને ખાતરોનો ઉપયોગ લોકોને કેન્સર જેવા ગંભીર રોગો તરફ ઘકેલી રહ્યો છે. આ જ કારણ છે કે સરકારો હવે લોકોને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરે છે.
કેન્સર અને વિવિધ રોગોએ માજા મુકી છે ત્યારે આપણે આજે એક એવા યુવાન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેણે ફેક્ટરીની મોટી આવક અને શહેરનો ઘોંઘાટ છોડીને શરીરનો વિચાર કર્યો અને ઓર્ગેનિક ખેતીની ધુણી ધખાવી.

ફોટોમાં દેખાઈ રહેલા આ તરવરિયા યુવાનનું નામ જયેશભાઈ ભોરણીયા છે. મોરબી પાસેના નાના એવા નસીતપર ગામમાં તેમની 15 વીધા જમીન આવેલી છે. તેમના આ ખેતરની કોઈપણ ખેડૂતે મુલાકાત લેવા જેવી છે.
વન ઈન્ડિયાની ટીમ જ્યારે જયેશભાઈના ખેતરે પહોંચી તો ઘણી એવી વસ્તુઓનો પરિચય થયો, જે કદાચ શહેરના ઘોંઘાટમાં ક્યારેય ન થાય.
પ્રાકૃતિક ખેતી માટે ફેક્ટરી અને શહેર છોડી દીધા
જયેશભાઈ જણાવે છે કે તેમને પહેલા ઘણા વર્ષો સુધી મોરબીમાં પોતાની ફેક્ટરીના કામ જમાવ્યા અને બહુ રૂપિયા બનાવ્યા. આ પછી તેમને પોતાના શરીરનો ખ્યાલ આવ્યો અને આ ઓર્ગેનિક ખેતીની ઘુણી ઘખાવી.

15 વીધા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે
ફેક્ટરી છોડીને જયેશભાઈ ટંકારા તાલુકાના નસીતપર ગામે 15 વીધા જમીન લીધી અને પ્રાકૃતિક ખેતી કરવાનો નિર્ણય કર્યો. આજે જયેશભાઈ તમામ પ્રકારના શાકભાજીથી લઈને ફળફળાદીનું ઉત્પાદન કરી રહ્યા છે.
પ્રાકૃિતિક ખેતી માટે વિવિધ રાજ્યોનો પ્રવાસ કર્યો
જયેશભાઈએ ઘણી એવી વાતો જણાવી જે સામાન્ય રીતે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો નથી જાણતા. અમે જ્યારે તેમને તેમના આ નોલેજના સ્ત્રોત વિશે પુછ્યુ તો તેમને બહુ સારો જવાબ આપ્યો.
જયેશભાઈ જણાવે છે કે, તેમને ખેતી શરૂ કરતા પહેલા ભારતના ઘણા રાજ્યોનો પ્રવાસ કર્યો છે. આ રાજ્યોનો પ્રવાસ કરીને તે ત્યાંની સારી બાબતોને પોતાના ખેતરમાં પ્રયોગ કરી રહ્યા છે.
ગાયો માટે ગૌશાળા
જયેશભાઈએ તેમના ખેતરમાં જ એક નાની ગૌશાળા બનાવી છે. આ ગૌશાળામાં તેમની પાસે નાના મોટા કુલ 7 ગૌવંશ છે. ગાયોના છાણ અને ગૌમુત્રનો વિવિધ રીતે ઉપયોગ તે તેમની ખેતીમાં કરે છે.
અમૃત માટી બનાવીને ખેતરમાં ખાતર તરીકે ઉપયોગ કરે છે
જયેશભાઈ તેમના ખેતરમાં અમૃત માટી નામના એક 100 ટકા પ્રાકૃતિક ખાતરનો ઉપયોગ કરે છે. આ ખાતર ખેતરમાં ખરતા વિવિધ ઝાડવામાંથી તૈયાર થાય છે. તેમને ખેતરમાં ખરતા બાયોવેસ્ટનો બહુ સારો ઉપયોગ કર્યો છે અને પ્રાકૃિતક ખેતી કરી રહ્યા છે.

મોરબીને શાકભાજી ખવડાવવાની તૈયારી કરી રહ્યા છે
જયેશભાઈ જણાવે છે કે તેમને પહેલા 3 વર્ષ પ્રાકૃિતક રીતે ખેતીને સેટ કરવા માટે લગાવ્યા છે અને હવે તે મોરબીના લોકોને ઓર્ગેનિક શાકભાજી શેલ કરવા જઈ રહ્યા છે. હવે જયેશભાઈના ખેતરમાં તૈયાર થતા 100 ટક ઓર્ગેનિક શાકભાજીનો લાભ મોરબીના લોકોને પણ મળશે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
