Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sardar Sarovar Dam : સરદાર સરોવર ડેમ સંપૂર્ણ ભરાવાની તૈયારીમાં, હાલ 99.5 ટકા પાણી

Sardar Sarovar Dam : ગુજરાતની જીવાદોરી ગણાતો સરદાર સરોવર નર્મદા ડેમ ફરી એકવાર ઐતિહાસિક સપાટી તરફ આગળ વધી રહ્યો છે.

લાખો ગુજરાતીઓ માટે આ એક આનંદના અને રાહતના સમાચાર છે. ડેમ તેની મહત્તમ સપાટી 138.68 મીટર ને સ્પર્શવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

Sardar Sarovar Dam

હાલમાં ડેમની સપાટી 138.50 મીટર પર પહોંચી ગઈ છે, જે તેની કુલ ક્ષમતાના લગભગ 99.5% છે. ડેમને સંપૂર્ણપણે છલોછલ ભરાવા માટે હવે માત્ર 18 સેન્ટીમીટર જેટલું જ બાકી છે.

ઉપરવાસમાંથી સતત થઈ રહેલા ભારે જળપ્રવાહને કારણે ડેમ ખૂબ જ ઝડપથી તેની પૂર્ણ સપાટી તરફ વધી રહ્યો છે.

નર્મદાના ઉપરવાસના વિસ્તારોમાંથી ડેમમાં પાણીની આવક ચાલુ છે. હાલમાં ડેમમાં 1,30,882 ક્યુસેક જેટલો પાણીનો પ્રવાહ આવી રહ્યો છે. આ જંગી જળપ્રવાહને ધ્યાનમાં રાખીને ડેમમાંથી હાલમાં 35,350 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી પાણીની સપાટી નિયંત્રિત રહી શકે.

સરદાર સરોવર ડેમનું સંપૂર્ણ ભરાવું એ રાજ્ય માટે પીવાના પાણી, સિંચાઈ અને વીજળી ઉત્પાદન માટે ખૂબ જ શુભ સંકેત છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X