For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિષ્ણુ પુરાણ પ્રમાણે ન કરવો જોઇએ આ લોકો જોડે પ્રેમ

આજે અમે તમને જણાવિશું કે વિષ્ણુ પુરાણ પ્રમાણે આ 4 પ્રકારની છોકરીઓથી ક્યારેય લગ્ન કરવા નહિં.

By Super Admin
|
Google Oneindia Gujarati News

લગ્નએ જીવનનો મહત્વનો ભાગ છે. જેમાં અયોગ્ય સાથીની પસંદગી થઈ જાય તો આખુ જીવન અફસોસ રહ્યા કરે છે અને જીવન બરબાદ થઈ જાય છે. મહત્વના સંસ્કારો માટે આપણા પુરાણોમાં ઘણી અદ્રભૂત અને મહત્વની જાણકારી આપવામાં આવેલી છે, જેનું પાલન કરશો તો તમે તમારા માટે એક ઉત્તમ જીવનસાથી પસંદ કરી શકશો. આજે અમે તમને જાણાવિશું કે વિષ્ણુ પુરાણમાં કેવા પ્રકારની છોકરીઓ સાથે લગ્ન કરવાની મનાઈ કરવામાં આવી છે, અને તેનું પાછળનું શું કારણ છે?

શું છે વિષ્ણુ પુરાણ?

શું છે વિષ્ણુ પુરાણ?

વિષ્ણુપુરાણ 18 પુરાણોમાં સૌથી મહત્વનો અને પ્રાચીન છે. જે શ્રી પરાશર ઋષિ દ્વારા લિખિત છે. તેના પ્રતિપાદ્ય ભગવાન વિષ્ણુ છે, જે સૃષ્ટિના આદિકારણ, નિત્ય, અક્ષય, અવ્યય તથા એકરસ છે. આ પુરાણમાં આકાશ વગેરે ભૂતોનું પારિમાણ, સમુદ્ર, સૂર્ય વગેરેનું પરિમાણ, પર્વત, દેવતાધિની ઉત્પતિ, મનવન્તર, કલ્પ-વિભાગ, સંપૂર્ણ ધર્મ અને દેવર્ષિ તથા રાજર્ષિઓના ચરિત્રનું વિશદ વર્ણન છે. આ પુરાણમાં ભગવાન વિષ્ણુના અવતાર શ્રી કૃષ્ણ સાથે જોડાયેલી વાતો છે.

અન્ય પુરુષ સાથે સંબંધ રાખનારી

અન્ય પુરુષ સાથે સંબંધ રાખનારી

પુરાણ પ્રમાણે છોકરીઓએ છોકરાઓ સાથે મિત્રતા ન કરવી જોઈએ, જો કે આજના પરિવેશમાં આ વસ્તુ શક્ય નથી. આ અંગે તમે છોકરીને પુછી શકો છો કે તેની મિત્રતા કઈ હદ સુધી છે. જો તે મિત્રતા સુધી જ છે તો ઠીક છે પણ જો તેનાથી આગળ કોઈ વાત છે કે આ લગ્ન માટે ગડબડ થઈ શકે છે.

તીખુ અને બોલવામાં તેજ હોય

તીખુ અને બોલવામાં તેજ હોય

જે છોકરીઓ બોલવામાં તેજ હોય અને તીખા સ્વભાવની હોય તો તે જીવનમાં મિઠાસ લાવી શકતી નથી, પરિણામે એવી છોકરીઓ સાથે લગ્ન ન કરવા જોઈએ.

આળસુ

આળસુ

જે છોકરીઓ આળસુ છે, તેના આવવાથી ઘરનું ભલુ ક્યારેય થતુ નથી. પરિણામે આવી છોકરીઓ સાથે લગ્ન ન કરવા જોઈએ, હવે તમે પૂછશો કે એવું કેવી રીતે જાણી શકાય કે છોકરી આળસુ છે, તો તમે છોકરીને પુછો કે તે કેટલા વાગે ઉઠે છે, જે મોડી ઉઠે છે તે જ આળસુ છે.

એક જ ગોત્ર વાળી

એક જ ગોત્ર વાળી

હંમેશા એવી છોકરી સાથે લગ્ન કરવાથી બચવું જોઈએ જે રિલેશનમાં આવતી હોય, કારણ કે પુરાણ પ્રમાણે કહેવાય છે કે આમ કરવાથી વંશાવલી સારી રહેતી નથી. જેનાથી જીંસમાં જૂના રોગો ફેલાવાની શક્યતા છે.

English summary
4 types women you should never marry said vishnu puran
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X