ધર્મ : જાણો કેમ શિવલિંગની પૂર્ણ પ્રદક્ષિણા ના કરાય ?
ભગવાન શંકર હંમેશા અટલ અને અચલ રહે છે, પરિણામે તેમને સ્થાણુ નામે ઓળખવામાં આવે છે. જો કે તેઓ ખૂબ જ જલ્દી ખુશ થઈ જાય છે, પરિણામે તેમને આશુતોષ પણ કહે છે.
ભગવાન શંકર રૂપ રહિત છે. એટલે કે શિવ અનંત છે, અસીમ છે. તે દયાળુ પણ છે અને રૌદ્ર રૂપી પણ છે. શિવલિંગ ભગવાનની સૃજનાત્મક શક્તિનું રૂપ છે. ભગવાન શંકર હંમેશા અટલ અને અચલ રહે છે. ભગવાન શિવને જલ્દી ખુશ કરી શકાતા હોવાથી તેમને આશુતોષ કહે છે, ઉપરાંત તેઓ અંબિકાના પતિ હોવાને કારણે તેમને અંબિકેશ્વરના નામે પણ ઓળખાય છે. શિવ એકલા એવા ભગવાન છે જેમની પૂજા આખો માસ કરવામાં આવે છે.તેમને પ્રસન્ન કરવા માટે વ્રત-ઉપવાસ કરવામાં આવે છે, તેમને ભજવામાં આવે છે અને કેટલાક દિવસો સુધી સાંસારિક જીવનથી દૂર રહેવામાં આવે છે.
શ્રાવણ માસમાં લોકો મંદિરે જઈ શિવલિંગની પૂજા કરે છે. તેના પર બીલીપત્ર, દૂધ, દહીં અને ભાંગ ચઢાવે છે. સાથે જ શિવલિંગની પરિક્રમા કરે છે. એવા અનેક લોકો હોય છે જેઓ શિવલિંગની આખી પરિક્રમા કરે છે તો કેટલાક લોકો અડધી પરિક્રમા કરે છે. જો કે શ્રાવણમાં પરિક્રમા કરવાના કેટલાક ખાસ નિયમો છે. આવો જાણીએ આ નિયમો વિશે.

શિવલિંગની અર્ધ-પરિક્રમા
શિવપુરાણ અને શાસ્ત્રો પ્રમાણે શિવ ભક્તોને શિવલિંગની અર્ધપરિક્રમા કરવી જોઈએ. એનું કારણ છે કે શિવ આદી અને અનંત બંને છે.

શિવલિંગની સંરચના
શિવલિંગમાંથી બહાર નીકળતી શક્તિ અનંત છે જેને નિર્મલિ કહે છે. શિવલિંગ પર દૂઘ અને પાણીનો અભિષેક કરવામાં આવે છે, તેને નિર્મલિ કહેવાય છે.

શિવની શક્તિ
શિવની શક્તિ એટલી ઉગ્ર છે કે, તેની વચ્ચે આવવાની કોઈની હિંમત થતી નથી. એવું કહેવાય છે કે નિર્મલિ શિવલિંગનો અંશ છે, જેના પર ક્યારેય પગ મુકવો નહિં.

ભગવાન શંકરનો ગુસ્સો
એક જૂની કથા પ્રમાણે એક વાર રાજા ગંધર્વ શિવલિંગનો અભિષેક કરી રહ્યા હતા. જેના પછી તેમણે પરિક્રમા દરમિયાન નિર્મલિ પર પગ મુકી દીધો હતો. જેના ફળ સ્વરૂપે ગંધર્વ પોતાની તમામ શક્તિઓ ખોઈ ચૂક્યા હતા.

નિર્મલિનું મહત્વ
ગ્રંથોમાં એવું જણાવાય છે કે ભગવાન શિવ અને શક્તિની નિર્મલિના સંપર્કમાં આવવા અથવા તેના પર પગ રાખવાથી તમને ભગવાન શિવનો ગુસ્સો સહન કરવો પડે છે.

શિવલિંગમાં નિર્મલિનો ઉદ્દેશ્ય
પ્રાચીન કાળમાં શિવલિંગ એવી રીતે બનાવાયું છે કે નિર્મલિ (દૂધ, અને પાણી વહેનારી જગ્યા) પૃથ્વીની સપાટીની અંદર ઉંડાઈ સુધી હોય છે. જેને મનુષ્ય જોઈ શકતા નથી

શિવલિંગની પરિક્રમાનો નિયમ
આજના સમયમાં નિર્મલિને પૃથ્વીની સપાટીની ઉપર બનાવાય છે જેને કારણે પૂર્ણ-પરિક્રમા દરમિયાન મોટાભાગના લોકો પગ મુકી દે છે. પરિણામે શિવલિંગની અર્ધ પરિક્રમા જ કરવી જોઈએ.
-
Petrol Diesel Price: 11 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL પહેલા BCCIએ પ્રીતિ ઝિન્ટાને આપ્યો મોટો ઝટકો, પંજાબ કિંગ્સ શરૂઆતની મેચમાંથી બહાર -
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે?





Click it and Unblock the Notifications
