Adhikmas 2023: 15 માર્ચથી કમૂર્તા શરુ, માંગલિક કાર્યો પર એક મહિનો પ્રતિબંધ
15 માર્ચે મલમાસ શરૂ થતાની સાથે જ લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ, સગાઈ વગેરે જેવા શુભ કાર્યો પર એક મહિના માટે પ્રતિબંધ રહેશે.
Adhikmas 2023: સૂર્ય 15 માર્ચ, 2023ના રોજ સવારે 6.34 કલાકે મીન રાશિમાં પ્રવેશ કરશે. આ સાથે મીન મલમાસ એટલે કે અધિક માસ શરૂ થશે. મલમાસ શરૂ થતાની સાથે જ લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ, સગાઈ વગેરે જેવા શુભ કાર્યો પર એક મહિના માટે પ્રતિબંધ મુકવામાં આવશે. જ્યારે સૂર્ય 14 એપ્રિલે બપોરે 2.58 કલાકે મેષ રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે મલમાસ સમાપ્ત થશે અને શુભ કાર્યો ફરી શરૂ થશે.
સૂર્ય એક રાશિમાં 30 દિવસ સુધી ભ્રમણ કરે છે. આમ 12 મહિનામાં એટલે કે એક વર્ષમાં, સૂર્ય 12 રાશિઓનું એક ચક્ર પૂર્ણ કરે છે. ભ્રમણ કરતા જ્યારે સૂર્ય ગુરુની રાશિ ધન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેને ધનુર્માસ અને મીન રાશિમાં આવે છે, પછી તેને મીન મલમાસ કહેવામાં આવે છે.
ભારતીય જ્યોતિષ અને મુહૂર્ત શાસ્ત્ર અનુસાર દરેક શુભ કાર્યમાં ગુરુની હાજરી અનિવાર્ય છે. જ્યારે પણ સૂર્ય કોઈ ગ્રહની રાશિમાં પ્રવેશ કરે છે, ત્યારે તે તેને અસ્ત થવા જેવુ બનાવે છે. અહીં સૂર્ય જ્યારે મીન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે રાશિનો સ્વામી ગુરુ મલિન થઈ જાય છે, તેથી તેને મલમાસ કહેવામાં આવે છે.
દરેક રાશિ પર પ્રભાવ
- મેષ: ખર્ચમાં વધારો થશે. આંખના રોગો થઈ શકે છે. કોર્ટ-કચેરીના મામલાઓમાં લાભ થશે. સર્વત્ર વિજય થશે.
- વૃષભ: આવકના સાધનોમાં વધારો થશે. સુખ અને સન્માન મળશે. નવા કામકાજમાં સફળતા મળશે.
- મિથુન: આજીવિકાના સાધનોમાં વૃદ્ધિ થશે. સરકારી સેવા ક્ષેત્રથી લાભ થશે. નવા કાર્યોની શરૂઆત કરી શકો છો.
- કર્કઃ ભાગ્યને બળ મળશે. સર્વત્ર વિજય થશે. કાર્યોમાં ઝડપી સફળતા મળશે પરંતુ સ્વાસ્થ્ય નબળું રહેશે.
- સિંહ: અષ્ટમમાં સૂર્ય રોગમાં વધારો કરી શકે છે. સ્વજનોથી પરેશાની, આર્થિક લાભમાં અવરોધ. કામકાજમાં નુકસાન થવાનો ભય.
- કન્યા: વિવાહિત જીવનમાં મુશ્કેલી, જીવનસાથી સાથે મતભેદ. શારીરિક સમસ્યાઓ જીવનસાથીને પરેશાન કરશે. ધંધામાં નુકસાન.
- તુલા: શત્રુ સંકટ દૂર થશે. રોગોથી મુક્તિ મળશે. સુખમાં વધારો થશે, જીવનમાં પ્રગતિ થશે. નવા કાર્યોની શરૂઆત થશે.
- વૃશ્ચિક: શિક્ષણ અને સંતાન તરફથી લાભ થશે. પ્રેમ સંબંધો મજબૂત થશે. પૈસાની કમી દૂર થશે.
- ધન: ભૌતિક સુખોમાં વધારો થશે, ભૌતિક સુખો પાછળ ખર્ચ થશે. માતા તરફથી સહકાર મળે. હેતુપૂર્ણ પ્રવાસ થશે.
- મકર: ભાઈ-બહેન સાથે સારો તાલમેલ રહેશે, પૈતૃક સંપત્તિ પ્રાપ્ત થશે. કામ ઝડપથી થશે. જમીન, વાહન સુખ મળશે.
- કુંભ: બૌદ્ધિક ક્ષમતાઓનો ભરપૂર ઉપયોગ કરશો. વાણીની શુદ્ધતા જાળવવી જરૂરી રહેશે. ધન પ્રાપ્ત થશે.
- મીન: આત્મવિશ્વાસથી ભરપૂર રહેશે. ધન પ્રાપ્તિ શક્ય છે. નવા કાર્યોની શરૂઆત થશે. વર્તમાન કાર્યમાં પરિવર્તનની શક્યતા.
શું કરવુ
આદિત્યહૃદય સ્તોત્રનો નિયમિત પાઠ કરવો. રુદ્રાક્ષની માળા સાથે ગાયત્રી મંત્રની એક માળાનો જાપ કરવાથી બધા સંકટ અને અભાવ દૂર થાય છે.