હિન્દુ પંચાંગનો નવમો મહિનો છે અષાઢ, આ મહિને ત્રણ ગ્રહણ લાગશે
હિન્દુ પંચાંગનો નવમો મહિનો છે અષાઢ, આ મહિને ત્રણ ગ્રહણ લાગશે
વર્ષ 2020માં જૂનની 6 તારીખથી અષાઢ મહિનો ચાલુ થઈ ગયો છે. હિન્દુ પંચાંગ મુજબ અષાઢ નવમો મહિનો છે. અષાઢ મહિનો આગલી 5 જૂલાઈએ સમાપ્ત થશે. આ મહિનો કેટલીય રીતે ખાસ છે.
ધાર્મિક દ્રષ્ટિએ જોઈએ તો અષાઢમાં ગુપ્ત નવરાત્રી અને જગન્નાથ યાત્રા પડશે. જ્યારે આ મહિને દેવશયની એકાદશીના અવસર પર વિષ્ણુ ભગવાન આગલા ચાર મહિના સુધી શયનકાળમાં ચાલ્યા જાય છે. જ્યેષ્ઠ મહિનાની ભયંકર ગરમી બાદ અષાઢી મહિનામાં લોકોને થોડી રાહત મળે છે. તો આવો અહીં જાણીએ કે અષાઢી મહિનાને પવિત્ર મહિનો કેમ જણાવવામાં આવ્યો છે, અને આ વર્ષે શું ખાસ થનારું છે.
અષાઢ મહિનામાં ત્રણ ગ્રહણ
વર્ષ 2020નો અષાઢ મહિનો એટલા માટે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની રહ્યો છે કેમ કે આ મહિને ત્રણ ગ્રહણ પડી રહ્યા છે જેમાં બે ચંદ્ર ગ્રહણ અને એક સૂર્ય ગ્રહણ છે. આ મહિનાની શરૂઆત ચંદ્ર ગ્રહણ સાથે થઈ ચૂકી છે, જેનો અંત 5 જૂલાઈના રોજ ચંદ્ર ગ્રહણ સાથે થશે. 21 જૂને અમાસના દિવસે સૂર્ય ગ્રહણ લાગશે.
અષાઢમા શુભ ફળ માટે આટલું કરો
અષાઢમાં ગુરુની ઉપાસના ફળદાયી માનવામાં આવી છે. સંતાન પ્રાપ્તિના ઈચ્છુક દંપત્તિ માટે ભગવાન વિષ્ણુની ઉપાસના કરવી ઉત્તમ રહે ચે. તપતી અને ધગધગતી ગરમી લોકોને પાણીનું મહત્વ જણાવે છે. આ મહિને જળની દેવીની ઉપાસના કરી તેમનો ધન્યવાદ કરવામાં આવે છે. અષાઢ મહિનામાં સૂર્ય દેવની ઉપાસના કરવાની પણ માન્યતા છે.
અષાઢમાં બીમારીઓથી સાવધાન રહો
આ મહિને મૉનસૂન દસ્તક આપી દેતું હોય છે. વર્ષાદની શરૂઆત થવાના કારણે બીમારી અને રોગોના સંક્રમણનો ખતરો પણ વધી જતો હોય છે. હવામાં નમી વધવા લાગે છે. અષાઢમાં લોકોને પોતાના સ્વાસ્થ્યનું અધિક ધ્યાન આપવાની સલાહ આપવામા આવે છે.
આ વાતોનું ધ્યાન રાખો
અષાઢમાં પાણીથી થતી બીમારીઓ જલદી જ ઘેરે છે. માટે સુનિશ્ચિત કરો કે તમે સ્વચ્છ જળનો જ પ્રયગ કરો. તમારી ડાયટમાં રસીલા ફળે સામેલ કરો.