Astrology News : ઉત્તર દિશામાં ન રાખો આ પાંચ વસ્તુ, નહીં તો બની જશો કંગાળ
Astrology News : ઘર પર કઇ દિશામાં શું રાખવું જોઇએ, એ વિશે વાસ્તુ શાસ્ત્રમાં વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમુક વસ્તુઓ અમુક દિશામાં રાખવાથી વાસ્તુ દોષ થાય છે. આજે આપણે આ અહેવાલમાં એવી પાંચ વસ્તુઓ વિશે જાણીશું, જેને ઉત્તર દિશમાં રાખવાથી તમને ધનહાનિ થઇ શકે છે.
ઉત્તર દિશાની વાત કરીએ તો વસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ દિશાને દેવી લક્ષ્મીની દિશા કહેવામાં આવે છે. આ સિવાય આ દિશા ભગવાન કુબેરની હોવાનું પણ કહેવાય છે.

ભારે વસ્તુઓ - વાસ્તુ અનુસાર ઘરની અંદર ઉત્તર દિશામાં ભારે વસ્તુઓ રાખવાથી બચવું જોઈએ. આ દિશાને ભગવાન કુબેર અને દેવી લક્ષ્મીની દિશા માનવામાં આવે છે.
એવું કહેવાય છે કે, આ દિશામાં ભારે વસ્તુઓ રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવવામાં અવરોધો આવે છે. એટલા માટે આ દિશા સ્વચ્છ અને ખાલી રાખવી જોઈએ. અહીં જે વસ્તુઓ રાખવામાં આવી રહી છે, તે હળવી હોય તો ફાયદાકારક રહેશે.
બૂટ અને ચપ્પલ - દેવતાઓની દિશાને કારણે ઉત્તર દિશામાં પગરખાં રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. એવું કહેવાય છે કે, આ દિશામાં બૂટ અને ચપ્પલ રાખવાથી દેવી-દેવતાઓનું અપમાન થાય છે. બીજી તરફ આ દિશામાં બૂટ અને ચપ્પલ રાખવાથી ઘરમાં આર્થિક નુકસાન પણ થઈ શકે છે.
ડસ્ટબિન - ઉત્તર દિશામાં કચરાપેટી રાખવાનું ટાળવાનું કહેવાય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ દિશામાં ડસ્ટબિન ન રાખવું જોઈએ અને બને ત્યાં સુધી આ દિશામાં સ્વચ્છતા જાળવવી જોઈએ.
શૌચાલય - ઉત્તર દિશામાં શૌચાલય બનાવવાનું ટાળો. આ દિશામાં શૌચાલય હોવું સારું માનવામાં આવતું નથી. માન્યતા અનુસાર, એવું કહેવાય છે કે, તેનાથી દુઃખની સંભાવના વધી જાય છે. આ સાથે તે ઘરમાં ક્લેશ અને કંકાશનું કારણ પણ બને છે.
બંધ દિવાલ - આ દિશાને પૈસાના આગમનની દિશા કહેવામાં આવે છે. ધન પ્રવાહની દિશાને કારણે ઉત્તર દિશામાં બંધ દિવાલ બનાવવાની સલાહ આપવામાં આવતી નથી. એવું કહેવાય છે કે, આ દિશામાં દરવાજા કે બારીઓ રાખવી જોઈએ.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
