Astrology News : ઉત્તર દિશામાં ન રાખો આ પાંચ વસ્તુ, નહીં તો બની જશો કંગાળ
Astrology News : ઘર પર કઇ દિશામાં શું રાખવું જોઇએ, એ વિશે વાસ્તુ શાસ્ત્રમાં વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમુક વસ્તુઓ અમુક દિશામાં રાખવાથી વાસ્તુ દોષ થાય છે. આજે આપણે આ અહેવાલમાં એવી પાંચ વસ્તુઓ વિશે જાણીશું, જેને ઉત્તર દિશમાં રાખવાથી તમને ધનહાનિ થઇ શકે છે.
ઉત્તર દિશાની વાત કરીએ તો વસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ દિશાને દેવી લક્ષ્મીની દિશા કહેવામાં આવે છે. આ સિવાય આ દિશા ભગવાન કુબેરની હોવાનું પણ કહેવાય છે.

ભારે વસ્તુઓ - વાસ્તુ અનુસાર ઘરની અંદર ઉત્તર દિશામાં ભારે વસ્તુઓ રાખવાથી બચવું જોઈએ. આ દિશાને ભગવાન કુબેર અને દેવી લક્ષ્મીની દિશા માનવામાં આવે છે.
એવું કહેવાય છે કે, આ દિશામાં ભારે વસ્તુઓ રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવવામાં અવરોધો આવે છે. એટલા માટે આ દિશા સ્વચ્છ અને ખાલી રાખવી જોઈએ. અહીં જે વસ્તુઓ રાખવામાં આવી રહી છે, તે હળવી હોય તો ફાયદાકારક રહેશે.
બૂટ અને ચપ્પલ - દેવતાઓની દિશાને કારણે ઉત્તર દિશામાં પગરખાં રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. એવું કહેવાય છે કે, આ દિશામાં બૂટ અને ચપ્પલ રાખવાથી દેવી-દેવતાઓનું અપમાન થાય છે. બીજી તરફ આ દિશામાં બૂટ અને ચપ્પલ રાખવાથી ઘરમાં આર્થિક નુકસાન પણ થઈ શકે છે.
ડસ્ટબિન - ઉત્તર દિશામાં કચરાપેટી રાખવાનું ટાળવાનું કહેવાય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ દિશામાં ડસ્ટબિન ન રાખવું જોઈએ અને બને ત્યાં સુધી આ દિશામાં સ્વચ્છતા જાળવવી જોઈએ.
શૌચાલય - ઉત્તર દિશામાં શૌચાલય બનાવવાનું ટાળો. આ દિશામાં શૌચાલય હોવું સારું માનવામાં આવતું નથી. માન્યતા અનુસાર, એવું કહેવાય છે કે, તેનાથી દુઃખની સંભાવના વધી જાય છે. આ સાથે તે ઘરમાં ક્લેશ અને કંકાશનું કારણ પણ બને છે.
બંધ દિવાલ - આ દિશાને પૈસાના આગમનની દિશા કહેવામાં આવે છે. ધન પ્રવાહની દિશાને કારણે ઉત્તર દિશામાં બંધ દિવાલ બનાવવાની સલાહ આપવામાં આવતી નથી. એવું કહેવાય છે કે, આ દિશામાં દરવાજા કે બારીઓ રાખવી જોઈએ.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ? -
અમદાવાદ એરપોર્ટ પર મહિલા મુસાફર પાસેથી 83 લાખનું સોનું ઝડપાયું








Click it and Unblock the Notifications
