Astrology News : ઉત્તર દિશામાં ન રાખો આ પાંચ વસ્તુ, નહીં તો બની જશો કંગાળ
Astrology News : ઘર પર કઇ દિશામાં શું રાખવું જોઇએ, એ વિશે વાસ્તુ શાસ્ત્રમાં વિસ્તારપૂર્વક ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમુક વસ્તુઓ અમુક દિશામાં રાખવાથી વાસ્તુ દોષ થાય છે. આજે આપણે આ અહેવાલમાં એવી પાંચ વસ્તુઓ વિશે જાણીશું, જેને ઉત્તર દિશમાં રાખવાથી તમને ધનહાનિ થઇ શકે છે.
ઉત્તર દિશાની વાત કરીએ તો વસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ દિશાને દેવી લક્ષ્મીની દિશા કહેવામાં આવે છે. આ સિવાય આ દિશા ભગવાન કુબેરની હોવાનું પણ કહેવાય છે.

ભારે વસ્તુઓ - વાસ્તુ અનુસાર ઘરની અંદર ઉત્તર દિશામાં ભારે વસ્તુઓ રાખવાથી બચવું જોઈએ. આ દિશાને ભગવાન કુબેર અને દેવી લક્ષ્મીની દિશા માનવામાં આવે છે.
એવું કહેવાય છે કે, આ દિશામાં ભારે વસ્તુઓ રાખવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવવામાં અવરોધો આવે છે. એટલા માટે આ દિશા સ્વચ્છ અને ખાલી રાખવી જોઈએ. અહીં જે વસ્તુઓ રાખવામાં આવી રહી છે, તે હળવી હોય તો ફાયદાકારક રહેશે.
બૂટ અને ચપ્પલ - દેવતાઓની દિશાને કારણે ઉત્તર દિશામાં પગરખાં રાખવાની મનાઈ ફરમાવવામાં આવી છે. એવું કહેવાય છે કે, આ દિશામાં બૂટ અને ચપ્પલ રાખવાથી દેવી-દેવતાઓનું અપમાન થાય છે. બીજી તરફ આ દિશામાં બૂટ અને ચપ્પલ રાખવાથી ઘરમાં આર્થિક નુકસાન પણ થઈ શકે છે.
ડસ્ટબિન - ઉત્તર દિશામાં કચરાપેટી રાખવાનું ટાળવાનું કહેવાય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર આ દિશામાં ડસ્ટબિન ન રાખવું જોઈએ અને બને ત્યાં સુધી આ દિશામાં સ્વચ્છતા જાળવવી જોઈએ.
શૌચાલય - ઉત્તર દિશામાં શૌચાલય બનાવવાનું ટાળો. આ દિશામાં શૌચાલય હોવું સારું માનવામાં આવતું નથી. માન્યતા અનુસાર, એવું કહેવાય છે કે, તેનાથી દુઃખની સંભાવના વધી જાય છે. આ સાથે તે ઘરમાં ક્લેશ અને કંકાશનું કારણ પણ બને છે.
બંધ દિવાલ - આ દિશાને પૈસાના આગમનની દિશા કહેવામાં આવે છે. ધન પ્રવાહની દિશાને કારણે ઉત્તર દિશામાં બંધ દિવાલ બનાવવાની સલાહ આપવામાં આવતી નથી. એવું કહેવાય છે કે, આ દિશામાં દરવાજા કે બારીઓ રાખવી જોઈએ.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
