જાણો: સપ્તાહના કયા દિવસે પહેરશો કયા રંગના કપડા?
આપણા જીવનમાં રંગોનું એક મહત્વનું સ્થાન છે. આપણા જીવનમાં રંગનો સમાવેશ એ રીતે થયેલો છેકે જેના વગર જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે.
ત્યાં સુધી કે સૌર મંડળમાં રહેલા ગ્રહો પણ રંગોથી પ્રભાવિત છે, અને તે ગ્રહો પણ આપણા પર ઘણો પ્રભાવ પાડે છે. હિંદુ પૌરાણિક કથાઓ મુજબ સપ્તાહનો દરેક દિવસ કોઇ ભગવાનના નામ પર છે. અને એટલે જ જેતે દિવસે તે દિવસને અનુકુળ કપડા પહેરવાથી આપણા પર પણ પ્રભુના આર્શિવાદ બનેલા રહે છે. આપણે પ્રભુની નિકટ રહી શકીએ છે.

સોમવાર-સફેદ
સોમવારને સીધો ચંદ્ર સાથે જોડવામાં આવે છે. તેથી સોમવારના દિવસે સફેદ કપડા કે સફેદ આભુષણ પહેરવા શુભ હોય છે.

મંગળવાર-લાલ
મંગળવારના દિવસે લાલ રંગના કપડા અથવા આભુષણો પહેરવા જોઇએ.

બુધવાર-લીલો
બુધવારે લીલા રંગના વસ્રો અથવા તો આભુષણો પહેરવા શુભદાયી હોય છે.

ગુરૂવાર- પીળો
ગુરૂવારે પીળા રંગના વસ્રો અથવા તો સોનાના ઘરેણા પહેરવા જોઇએ.

શુક્રવાર-ગુલાબી
શુક્રવારે ગુલાબી રંગના પરિધાન અથવા આભુષણો ધારણ કરવા જોઇએ.

શનિવાર-કાળો
શનિવારે કાળા, બ્લુ, ઇન્ડિગો, અને પર્પલ રંગના વસ્રો પહેરવા જોઇએ. તેના પત્થર જેવા કે નીલમ પણ પહેરી શકાય છે.

રવિવાર
રવિવાર સુર્યનો દિવસ કહેવાય છે. તેથી આ દિવસે તમે નારંગી રંગના કપડા પહેરો જેથી તમે તમારા દુશ્મનોથી બચી શકશો.












Click it and Unblock the Notifications
