Bakrid 2023: બકરી ઈદ પર ચાંદીના ભાવ સાથે શું છે ખાસ કનેક્શન, જાણો કોણે જરુર કરવી જોઈએ 'કુરબાની'
Bakrid 2023: ઈસ્લામિક કેલેન્ડર મુજબ આજે એટલે કે 29 જૂન ગુરુવારે બકરી ઈધનો તહેવાર મનાવવામાં આવી રહ્યો. બકરીદનો તહેવાર ઝિલ્હિજ મહિનામાં ચંદ્રના દર્શન થયાના દસ દિવસ પછી ઉજવવામાં આવે છે.
બકરીદ નિમિત્તે બકરાનું બલિદાન આપવામાં આવે છે. બકરીદ પર બકરીના બલિદાનને ચાંદી સાથે વિશેષ સંબંધ છે. તમે ભાગ્યે જ તેના વિશે જાણતા હશો.

તમને જણાવી દઈએ કે ઇસ્લામ ધર્મમાં પાંચ સ્તંભ છે, જેમાં નમાઝ, રોઝા, જકાત, તૌહીદ અને હજનો સમાવેશ થાય છે, જેમાંથી મુસ્લિમો માટે તૌહીદ અને નમાઝ જરૂરી છે અને બાકીના રોઝા, જકાત અને હજને અનુસરવા માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાંથી બકરીદ પર કુરબાની કરવી એ આ પાંચ સ્તંભોમાંનુ એક છે અને આ કુરબાનીનુ ચાંદી સાથે ખાસ જોડાણ છે.
ઇસ્લામમાં જણાવ્યા મુજબ, જે વ્યક્તિની પાસે ચાંદી હોય અથવા તેના જેટલી રકમ હોય, તો તેને બકરીદના દિવસે કુરબાની કરવી જરૂરી છે. મુસ્લિમ સમાજ વર્ષોથી આ વાત સ્વીકારી રહ્યો છે.
ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિ પાસે 44 તોલા ચાંદી અથવા તેના જેટલી રકમ હોય, તો તેણે બકરીદ પર કુરબાની કરવી જરૂરી છે. એટલે કે જે પૈસા આપણે નફા તરીકે કમાઈએ છીએ, તેનો અમુક હિસ્સો બકરીદ પર કુરબાની માટે ખર્ચ કરવો જરૂરી છે.
એવું પણ કહેવામાં આવ્યું છે કે જો કુરબાની કરવા માટે પૈસા ન હોય તો દેવુ કરીને કુરબાની ન કરવી જોઈએ. એટલા માટે કોઈપણ વ્યક્તિની સંપત્તિનું મૂલ્યાંકન કરવા માટે 52.5 તોલા ચાંદી અથવા તેના સમકક્ષનો નિયમ બનાવવામાં આવ્યો છે.
ઇસ્લામના નિષ્ણાતો અનુસાર, જો કોઈ વ્યક્તિ પાસે 52.5 તોલા 525 ગ્રામ ચાંદી હોય તો તેણે બકરીદ પર કુરબાની કરવી જરૂરી છે.
ઈદ ઉલ અઝહા એટલે કે બકરીદ પર કુરબાની આપવામાં આવે છે. શરીઅત અનુસાર, જે વ્યક્તિ બકરીદના દિવસે સક્ષમ હોવા છતાં કુરબાની ન કરે તો તે પાપી બને છે. બકરીદ પર કુરબાની એ એક એવું સાધન છે જેના દ્વારા વ્યક્તિ અલ્લાહની ખુશી પ્રાપ્ત કરે છે. અલ્લાહ તેના બંદાઓના ઇરાદાને જુએ છે. અલ્લાહ તેના બંદાઓથી ખુશ થાય છે. અલ્લાહ ખુશ છે કે તેના સેવકો તેના દ્વારા બતાવેલ માર્ગ પર ચાલે છે અને તેમની મહેનતથી કમાણી કરે છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
