વિષ્ણુ-લક્ષ્મીને પ્રસન્ન કરવા બુદ્ધ પૂર્ણિમાએ આ રીતે કરો પૂજા પાઠ
પૂર્ણિમા તિથિ ધનની દેવી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાનો દિવસ છે. આમ તો વર્ષની તમામ પૂનમ ખાસ હોય છે.
પૂર્ણિમા તિથિ ધનની દેવી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાનો દિવસ છે. આમ તો વર્ષની તમામ પૂનમ ખાસ હોય છે, જો કે તેમાં વૈશાખ પૂનમનું મહત્વ વધુ છે. કારણ કે આ પૂનમ ભગવાન બુદ્ધના અવતરણના દિવસ રૂપે મનાવાય છે. ભગવાન બુદ્ધ વિષ્ણુના નવમાં અવતાર છે. આ દ્રષ્ટિએ પણ આ પૂનમનું મહત્વ વધી જાય છે. 30 એપ્રિલ એટલે કે આજે બુદ્ધ પૂર્ણિમાં છે. આ દિવસે સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ દિવસે શુભ કાર્યોમાં પૂર્ણ સિદ્ધિ મળે છે. આ દિવસે કરેલા મંત્રો તરત સિદ્ધ થાય છે.

માનસિક રોગોમાં રાહત
પૂનમના દિવસે ચંદ્ર પોતાની સંપૂર્ણ કળાએ ખીલેલો હોય છે, જેથી જેઓને માનસિક રોગ છે, માનસિક તાણ છે તેઓ આ દિવસે ચાંદીના વાસણમાં ચોખ્ખા પાણીમાં થોડુ ગંગાજળ નાખી રાત ચાંદની નીચે આખી રાત રાખવું. પછી આ જળને ચાંદીના વાસણમાં ભરીને રાખી લેવું. આ જળ થોડુ થોડુ સેવન કરવાથી માનસિક રોગમાં રાહત મળે છે. આ જળમાં જળ મેળવતા જાવ આ ક્યારેય ખતમ નહિં થાય. આ જળ અનેક માનસિક રોગોમાં આરામ આપે છે.

પૂનમના દિવસે ખીર બનાવો
પૂનમના દિવસે મિશ્રી નાખેલી ખીર બનાવો અને 12 વર્ષ સુધીની સાત કન્યાઓનું પૂજન કરી તેમને ખવડાવો. તેનાથી આર્થિક સંપન્નતા વધે છે. વેપારમાં લાભ થાય છે, નોકરીમાં પ્રેમોશન મળે છે. પૂનમના દિવસે ઘરમાં સાફ-સફાઈનું ખાસ ધ્યાન આપવું. સવારે ઘરને ગંગાજળ અને ગૌમુત્રથી પવિત્ર કરવું. ઘરના મુખ્ય દ્વારે હળદર, રોલી અને કુમકુમથી સ્વસ્તિક બનાવો. કાર્યસ્થળે ગંગાજળનો છંટકાવ કરો.

પૂજા વિધિ
પૂજા સમયે ગાયના ઘીનો દીવો કરો, ધૂપ લગાવો અને કપૂર જલાવો. પરિવાર સહિત માતા લક્ષ્મી-વિષ્ણુ અને ભગવાન બુદ્ધની પૂજા કરો. લક્ષ્મી માતાને મખાનાની ખીર, સાબુદાણાની ખીર કે સફેદ મિઠાઈનો ભોગ લગાવો. પૂજા બાદ આ પ્રસાદ વહેંચો. આ દિવસે ઘરમાં કલેશ કરવાથી બચજો.

ચંદ્રને જળ અર્પણ
સવારે કે સાંજે મંદિરે જરૂર જાવ. હનુમાનજીની સામે ચમેલીનું તેલ અને પીપળાના નીચે સરસીયાના તેલથી દીવો કરો. આ દિવસે હનુમાનજીને ચોલો ચઢાવો. તમારી તમામ ઈચ્છાઓની પૂર્તિ થશે. સાંજના સમયે ચંદ્રને જળ અર્પિત કરો. ધૂપ-દીવથી તેમનું પૂજન કરો. પૂનમની રાતે તુલસીની માળાથી ऊं नमो भगवते वासुदेवाय મંત્રનો જાપ કરવાથી વિષ્ણુ-લક્ષ્મીની કૃપા તમારા પર વરસતી રહેશે. ધન-સંપતિની પ્રાપ્તિ થશે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
