Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

વિષ્ણુ-લક્ષ્મીને પ્રસન્ન કરવા બુદ્ધ પૂર્ણિમાએ આ રીતે કરો પૂજા પાઠ

પૂર્ણિમા તિથિ ધનની દેવી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાનો દિવસ છે. આમ તો વર્ષની તમામ પૂનમ ખાસ હોય છે.

પૂર્ણિમા તિથિ ધનની દેવી માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની કૃપા મેળવવાનો દિવસ છે. આમ તો વર્ષની તમામ પૂનમ ખાસ હોય છે, જો કે તેમાં વૈશાખ પૂનમનું મહત્વ વધુ છે. કારણ કે આ પૂનમ ભગવાન બુદ્ધના અવતરણના દિવસ રૂપે મનાવાય છે. ભગવાન બુદ્ધ વિષ્ણુના નવમાં અવતાર છે. આ દ્રષ્ટિએ પણ આ પૂનમનું મહત્વ વધી જાય છે. 30 એપ્રિલ એટલે કે આજે બુદ્ધ પૂર્ણિમાં છે. આ દિવસે સિદ્ધિ યોગ બની રહ્યો છે. આ દિવસે શુભ કાર્યોમાં પૂર્ણ સિદ્ધિ મળે છે. આ દિવસે કરેલા મંત્રો તરત સિદ્ધ થાય છે.

માનસિક રોગોમાં રાહત

માનસિક રોગોમાં રાહત

પૂનમના દિવસે ચંદ્ર પોતાની સંપૂર્ણ કળાએ ખીલેલો હોય છે, જેથી જેઓને માનસિક રોગ છે, માનસિક તાણ છે તેઓ આ દિવસે ચાંદીના વાસણમાં ચોખ્ખા પાણીમાં થોડુ ગંગાજળ નાખી રાત ચાંદની નીચે આખી રાત રાખવું. પછી આ જળને ચાંદીના વાસણમાં ભરીને રાખી લેવું. આ જળ થોડુ થોડુ સેવન કરવાથી માનસિક રોગમાં રાહત મળે છે. આ જળમાં જળ મેળવતા જાવ આ ક્યારેય ખતમ નહિં થાય. આ જળ અનેક માનસિક રોગોમાં આરામ આપે છે.

પૂનમના દિવસે ખીર બનાવો

પૂનમના દિવસે ખીર બનાવો

પૂનમના દિવસે મિશ્રી નાખેલી ખીર બનાવો અને 12 વર્ષ સુધીની સાત કન્યાઓનું પૂજન કરી તેમને ખવડાવો. તેનાથી આર્થિક સંપન્નતા વધે છે. વેપારમાં લાભ થાય છે, નોકરીમાં પ્રેમોશન મળે છે. પૂનમના દિવસે ઘરમાં સાફ-સફાઈનું ખાસ ધ્યાન આપવું. સવારે ઘરને ગંગાજળ અને ગૌમુત્રથી પવિત્ર કરવું. ઘરના મુખ્ય દ્વારે હળદર, રોલી અને કુમકુમથી સ્વસ્તિક બનાવો. કાર્યસ્થળે ગંગાજળનો છંટકાવ કરો.

પૂજા વિધિ

પૂજા વિધિ

પૂજા સમયે ગાયના ઘીનો દીવો કરો, ધૂપ લગાવો અને કપૂર જલાવો. પરિવાર સહિત માતા લક્ષ્મી-વિષ્ણુ અને ભગવાન બુદ્ધની પૂજા કરો. લક્ષ્મી માતાને મખાનાની ખીર, સાબુદાણાની ખીર કે સફેદ મિઠાઈનો ભોગ લગાવો. પૂજા બાદ આ પ્રસાદ વહેંચો. આ દિવસે ઘરમાં કલેશ કરવાથી બચજો.

ચંદ્રને જળ અર્પણ

ચંદ્રને જળ અર્પણ

સવારે કે સાંજે મંદિરે જરૂર જાવ. હનુમાનજીની સામે ચમેલીનું તેલ અને પીપળાના નીચે સરસીયાના તેલથી દીવો કરો. આ દિવસે હનુમાનજીને ચોલો ચઢાવો. તમારી તમામ ઈચ્છાઓની પૂર્તિ થશે. સાંજના સમયે ચંદ્રને જળ અર્પિત કરો. ધૂપ-દીવથી તેમનું પૂજન કરો. પૂનમની રાતે તુલસીની માળાથી ऊं नमो भगवते वासुदेवाय મંત્રનો જાપ કરવાથી વિષ્ણુ-લક્ષ્મીની કૃપા તમારા પર વરસતી રહેશે. ધન-સંપતિની પ્રાપ્તિ થશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X