પ્રામાણિક અને વિશ્વાસપાત્ર હોય છે કન્યા રાશિનના બાળકો!
કન્યા રાશિનું બાળક પ્રામાણિક અને વિશ્વાસપાત્ર હોય છે. ઉત્તમ આરોગ્ય અને સ્વચ્છતા આ બાળકની મુખ્ય લાક્ષણિકતાઓ છે વધુ વાંચો અહી.
દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમનું બાળક દુનિયામાં નામના મેળવે, જીવનના ઉચ્ચ શિખરો હાંસલ કરે. જો કે સંતાનનું ભવિષ્ય માતા-પિતાના હાથમાં નથી. આગળ ચાલી તે શું કરશે તેનું અનુમાન અત્યારથી લગાવવું મુશ્કેલ છે. માતા-પિતા તેને સારુ ભણતર, સારા સંસ્કાર, કાળજી, ભૌતિક સુખ-સુવિધા આપી શકે છે. પણ તેનું ભવિષ્ય બનાવવું તે જે તે વ્યક્તિના પોતાના હાથની વાત છે. પોતાના સંતાનની ચિંતા કરનારા આવા માતા-પિતા માટે આજે અમે કેટલીક માહિતી લઈને આવ્યા છીએ જેને આધારે તમે જાણી શકશો કે તમારા બાળકની રાશિને આધારે તમારુ બાળક કેવું રહેશે, તેનો સ્વભાવ કેવો રહેશે, તેની શેમાં રૂચી રહેશે. એવું માનીએ કે આ માહિતી તેમના માતા-પિતાને તેમને ભરણપોષણમાં મદદરૂપ બને. તો આજે વાત કરીશું કન્યા રાશિના બાળકોની લાક્ષણિકતાઓ વિશે...જેમના બાળકો કન્યા રાશિના છે તેઓ જરૂરથી વાંચે આ આર્ટીકલ.
કન્યા
ઉત્તમ આરોગ્ય અને સ્વચ્છતા આ બાળકની મુખ્ય લાક્ષણિકતાઓ છે. તેઓ પોતાના રૂમને હંમેશા સ્વચ્છ અને વ્યવસ્થિત રાખે છે. નિષ્ઠાવાન અને શિસ્તબદ્ધ કન્યા રાશિનું બાળક ધરાવતા માતા-પિતાને આ બાળકની તકેદારીમાં ઓછી તકલીફ પડે છે. તેમને વારંવાર કોઈ વાત માટે ટોકવાની કે સમજાવવાની કે સૂચના આપવાની જરૂર નથી. પ્રેમથી એક વાર સૂચના આપતા તેઓ દરેકની વાત માને છે. આ બાળકો ટૂંક સમયમાં ઘણું બધુ શીખવાની ક્ષમતા ધરાવે છે. ખોરાક બાબતે તેઓને જે વસ્તુ ગમે છે તે જ ખાય છે. તેમને પસંદ ન હોય તેવી વસ્તુ આપવામાં આવે તો તે બખેડો ઉભો કરી દે છે. તેમને છંછેડવામાં આવે અથવા તેમની ઠેકડી ઉડાવવામાં આવે તો તેઓ નિરાશ થઈ જાય છે. આ બાળકોને વધુ ભીડભાડમાં રહેવું પસંદ નથી. તેમને નવી જગ્યાએ લોકો સાથે ભળવા માટે પ્રોત્સાહિત કરવા પડે છે.
પ્રામાણિક અને વિશ્વાસપાત્ર
કન્યા રાશિનું બાળક પ્રામાણિક અને વિશ્વાસપાત્ર હોય છે. તેઓ કોઈ પણ પ્રકારની જવાબદારીઓ લેતા નથી. તેમની વિચારશરણી તાર્કિક અને તર્કસંગત હોય છે. લોકોને સમજવા અને તેમનું વિશ્વલેષણ કરતા કરતા તેમનો ભાવનાત્મક અને બૌદ્ધિક વિકાસ થાય છે.
ક્યારેય મોડા પડતા નથી
કન્યા રાશિના બાળકો સમયની કદર કરે છે. પોતાના કામમાં ક્યારેય તેઓ મોડા પડતા નથી. તેઓ પોતાને એક સંપૂર્ણવાદી માને છે. જો તેઓ કંઈ ભૂલી જાય તો તેનાથી તેઓ અસ્વસ્થ થઈ જાય છે.
બુદ્ધિશાળી અને શાંત પ્રકૃતિ
આ રાશિના બાળકો ખૂબ જ બુદ્ધિશાળી અને શાંત સ્વભાવના હોય છે. તેઓ અન્ય લોકોની સંભાળ અને મદદ કરે છે. તેઓ નારાજ થાય તો જલ્દીથી તેમનો ગુસ્સો ઠંડો પડી જાય છે. તેઓ શરમાળ સ્વભાવના હોવાને કારણે જલ્દીથી મિત્રો બનાવી શકતા નથી.
શરમાળ
આ બાળકો સ્વભાવે શરમાળ હોય છે. તેમની ટીકા તેમને પસંદ નથી. તેમની ટીકા કરવાથી તેઓ ગુસ્સે થઈ જાય છે અને રડવાનું શરૂ કરી દે છે. તેઓ વસ્તુઓને જાણવા અને પ્રશ્નો પુછવા આતુર રહે છે.
ઝડપથી શીખનાર
તેમની આસપાસ શું થઈ રહ્યુ છે તે જાણવામાં તેમને રસ હોય છે. આ બાળકો ઝડપથી શીખે છે. તેમને પુસ્તકો વાંચવા ગમે છે.
સંપૂર્ણતાવાદી
આ બાળકો જ્યારે પોતાને પરફેક્શનિસ્ટ સાબિત ન કરી શકે ત્યારે તે ચિડાઈ જાય છે. આ બાળકોના માતા-પિતાએ બાળપણથી જ તેમને યોગ્ય દિશા બતાવવાની જરૂર છે. તેમના અંદરની પ્રતિભાને ઓળખવી મુશ્કેલ નથી. માતા-પિતા દ્વારા સમજાવાતા તેઓ ઝડપથી તેમની વાત માને છે.
તેમની પ્રશંસા કરો
જ્યારે તમે તેમની પ્રશંસા કરો છો ત્યારે તેઓ પ્રોત્સાહિત થઈ વધુ સર્જનાત્મક બનવાનો પ્રયત્ન કરે છે અને પોતાની છૂપાયેલી પ્રતિભાને બહાર લાવે છે.