જો તમારો જન્મ શનિવારે થયો છે, તો જરૂરથી છે તમારામાં આ ખૂબીઓ
શનિવાર, શનિ દેવની સાથે જ હનુમાનજીનો પ્રિય દિવસ માનવામાં આવે છે. આ દિવસે શનિ દેવને તેલ ચઢાવાથી અને હનુમાનજીને આંકડાના ફૂલની માળા ચઢાવવી શુભ મનાય છે. ત્યારે જ્યારે આ દિવસે કોઇ બાળક કે બાળકીનો જન્મ થાય છે ત્યારે તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને આ જ કારણ છે કે સિઝેરીયન કરવાતી વખતે અનેક મા-બાપ શનિવારના દિવસે બાળકના જન્મ કરાવાને શુભ માને છે.
તો જો તમારો પણ જન્મ શનિવારે થયો હોય કે પછી તમે સેઝેરીયન દ્વારા કયા દિવસે બાળકને જન્મ આપવો તે અંગે વિચારી રહ્યા હોવ તો આ આર્ટીકલ તમારા કામમાં આવી શકે છે. કારણ કે આજે અમે જ્યોતિષ દ્વારા શનિવાર જન્મેલા બાળકોની ખાસિયત વિષે તમને જણાવાના છીએ. તો જરા તમારી કુંડળી નીકાળીને પણ ચેક કરી લો કે તમારો જન્મ કયા દિવસે થયો છે અને વાંચો શનિવાર જન્મેલા બાળકોની ખૂબીઓ....
ગંભીરને જવાબદાર
શનિવાર જે લોકોનો જન્મ થાય છે તે લોકો સ્વભાવે ખૂબ જ ગંભીર અને જવાબદાર લોકો હોય છે.
વેપારી મગજ
વળી આ દિવસે જન્મેલા બાળકો મેધાવી, બુદ્ધિશાળી અને વેપારી સુઝબુઝ રાખે છે. બીજા શબ્દોમાં કહીએ તો તે દરેક વાતમાં પરફેક્ટ હોય છે.
હાઇ ક્લાસ
આવા લોકોને હાઇ ક્લાસ વસ્તુઓ વધુ પસંદ આવે છે. અને કપડાથી લઇને ચંપલ સુધી તેમનો નવાબી અંદાજ જરૂરથી નજરે પડે છે.
સાફ મનના
આવા લોકો સાફ મનના હોય છે. અને મોટાભાગે સ્પષ્ટ વક્તા હોય છે. અને કેટલીક વાર તેમની આ ખાસિયતના કારણ જ લોકો તેમની આલોચના પણ કરે છે.
સંબંધ
આ લોકો તેમના સંબંધોને લઇને વધુ ગંભીર હોય છે. અને પોતાના મિત્રો માટે કંઇ પણ કરી છૂટવા તત્પર હોય છે.
સંગીત પ્રિય
આ લોકોને સંગીતમાં સારી રુચિ હોય છે. વળી રમત ગમતમાં પણ તેમને રસ હોય છે.
ગુસ્સો
જો કે આ લોકોને ગુસ્સો પણ સારો એવો આવે છે. અને ખોટી વસ્તુ તે ચલાવી નથી લેતા.
જિદ્દી
સાથે જ શનિવારે જન્મેલા લોકો જિદ્દી પણ હોય છે. અને પોતાની જીદ્દ પૂરી કરીને જ છોડે છે.
મનના સાફ
જો કે આ લોકો મનના ખૂબ જ સાફ હોય છે. અને સામે ચાલીને કોઇનું નુક્શાન કે મન નથી દુભાવતા.
લગ્ન
શનિવારે જન્મેલા જાતકોનું વૈવાહિક જીવન સુખમય હોય છે. અને તે પોતાના પાર્ટનરની ખૂબ જ કેર લે છે.