Dhanteras 2023: ધનતેરસની પૂજાનુ મુહૂર્ત શું છે? ક્યારે થશે દીપદાન?
Dhanteras 2023 Puja Time: ધનતેરસ કારતક મહિનાની ત્રયોદશી તિથિએ ઉજવવામાં આવે છે. પરંતુ આ વખતે મિશ્ર તિથિઓના કારણે યમરાજની પ્રસન્નતા માટે પ્રદોષ વ્રત, ધનતેરસ અને દીપ દાન એક જ દિવસે 10 નવેમ્બરે કરવામાં આવશે.
શુક્રવાર, 10 નવેમ્બર, 2023ના રોજ, દ્વાદશી તિથિ બપોરે 12:35 સુધી ચાલશે, ત્યારબાદ ત્રયોદશી તિથિ શરૂ થશે. પ્રદોષ વ્રત અને ધનતેરસની પૂજા સાંજે કરવાનો નિયમ હોવાથી ત્રયોદશી તિથિ 10 નવેમ્બરે સાંજે આવતી હોવાથી આ દિવસે પ્રદોષ અને ધનતેરસની પૂજા કરવામાં આવશે. યમરાજને પ્રસન્ન કરવા માટે આ દિવસે સાંજે દીપ દાન કરવાની પણ પરંપરા છે, તેથી આ દિવસે જ આ દીપ દાન કરવામાં આવશે.

ધનતેરસની પૂજાનો સમય
ધનતેરસના દિવસે મા લક્ષ્મી સાથે ઘરમાં ઉપલબ્ધ તમામ સોના-ચાંદીના આભૂષણો, વાહન વગેરેની પૂજા કરવામાં આવે છે. આ દિવસે વ્યાપારી લોકો પોતાના પ્રતિષ્ઠાનમાં નવી ખાતાવહી, કલમ વગેરેની પૂજા કરે છે. ધનતેરસના દિવસે સાંજે પૂજા કરવામાં આવે છે.
મુહૂર્ત
ચર: સાંજે 4:20થી 5:43
લાભ: રાત્રે 8:57થી 10:34
શુભ: બપોરે 12:11થી 1:48
વૃષભ કાલ: સાંજે 6:03થી 8:01
પ્રદોષ કાલ: સાંજે 5 45થી 8:19
દીપદાન ક્યારે કરવુ
ધન ત્રયોદશીના દિવસે સાંજે યમરાજને પ્રસન્ન કરવા માટે દીપ દાન કરવામાં આવે છે. દીપ દાન કરવાથી યમની પીડામાંથી રાહત મળે છે. મનુષ્યનુ અકાળ મૃત્યુ થતુ નથી. આ દીપદાન 10 નવેમ્બરે પ્રદોષ કાળ દરમિયાન સાંજે 5:45થી 8:19 દરમિયાન દાન કરવો શ્રેષ્ઠ રહેશે.
ઘરમાં સ્વચ્છતા જાળવો
ધનતેરસના દિવસે સવારે વહેલા ઉઠીને સૂર્યોદય પહેલા તમારા ઘર અને આંગણાને સાફ કરો. આંગણામાં પાણી છાંટવું કે પાણીથી ધોવું. આ પછી સ્નાન કરીને ઘરના મુખ્ય દ્વાર પર રંગો અને ફૂલોથી રંગોળી સજાવો. દરવાજાની બંને બાજુએ ચાર દિવેટવાળા દીવા મૂકો. દીવા નીચે ચોખા મૂકો. મુખ્ય પ્રવેશદ્વારને ફૂલો અને આંબાના તોરણથી સજાવો












Click it and Unblock the Notifications
