Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ધનતેરસ પર ભૂલથી પણ ના કરતા આ 10 ભૂલ, મોંઘી પડશે

ધનતેરસ પર ભૂલથી પણ ના કરતા આ 10 ભૂલ, મોંઘી પડશે

25 ઓક્ટોબર એટલે કે આજે ધનતેરસનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ધનતેરસના દિવસે સૌભાગ્ય અને સુખની વૃદ્ધિ માટે મા લક્ષ્મી અને કુબેરની પૂજા કરવામાં આવે છે. આજના દિવસે સાંજે પરિવારની મંગળકામના માટે યમ નામનો દીપક પ્રગટાવવામાં આવે છે. લક્ષ્મી-કુબેરની પૂજા દરમિયાન કેટલીય સાવધાની વરતવાાં આવે છે. આવો જાણીએ કે આ દિવસે કયા નિયમોનું પાલન ન કરવું જોઈએ.

ઘરમાં ભંગાર ન રાખવો

ઘરમાં ભંગાર ન રાખવો

આમ તો દિવાળી પહેલા જ લોકો ઘરના એક એક ખૂણાની સફાઈ કરે છે પરંતુ તમારા ઘરમાં ધનતેરસના દિવસ સધી ભંગાર અથવા ખરાબ સામાન પડ્યો હશે તો તમારા ઘરમાં સાકારાત્મક ઉર્જા નહિ આવે. ઘરમાં કોઈપણ જૂનો કે બેકાર સામાન્ય પડ્યો હોય તે તેને આજે જ ફેંકી દો.

મુખ્ય દરવાજે ગંદકી ન થાય

મુખ્ય દરવાજે ગંદકી ન થાય

ઘરના મુખ્ય દરવાજા સામે બેકાર વસ્તુઓ બિલકુલ ન રાખવી. મુખ્ય દરવાજાને નવા અવસરો સાથે જોડીને જોવામાં આવે છે. માનવામાં આવે છે કે ઘરના મુખ્ય દરવાજા દ્વારા ઘરમાં લક્ષ્મીનું આગમન થાય છે માટે આ સ્થાન હંમેશા સાફ સુથરું હોવું જોઈએ.

માત્ર કુબેરની જ પૂજા ન કરવી

માત્ર કુબેરની જ પૂજા ન કરવી

જો તમે ધનતેરસ પર માત્ર કુબેરની પૂજા કરવાના છો તો આ ભૂલ ના કરવી. કુબેર સાથે માતા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરિની ઉપાસના પણ જરૂર કરવી, નહિ તો આખું વર્ષ બીમાર રહી શકો.

કાચનાં વાસણ ન ખરીદવાં

કાચનાં વાસણ ન ખરીદવાં

એવી માન્યતા છે કે આ દિવસે કાચના વાસણ ન ખરીદવા જોઈએ. ધનતેરસના દિવસે સોના-ચાંદીની કોઈ વસ્તુ અથવા નવી વસ્તુ ખરીદવી અત્યંત શુભ માનવામાં આવે છે.

ખરીદીમાં આખો દિવસ ન વિતાવવો

ખરીદીમાં આખો દિવસ ન વિતાવવો

મોટા ભાગના લોકોને એટલી જ ખબર હોય છે કે ધનતેરસના દિવસે માત્ર નવી વસ્તુઓ ખરીદવામાં આવે છે. બલકે આ દિવસે ખરીદી સિવાય દીવા પણ પ્રગટાવવામાં આવે છે. આ દિવસે ઘરના પ્રવેશ દ્વાર પર દીપક જરૂર પ્રગટાવવા આનાથી પરિવારમાં હંમેશા ખુશીઓ બની રહેશે.

દિવસના સમયે ઊંઘવું નહિ

દિવસના સમયે ઊંઘવું નહિ

ધનતેરસના દિવસે બપોરે અથવા સાંજના સમયે ઊંઘવું ન જોઈએ, આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. આજે ઈચ્છો તો બપોરે થોડો આરામ કરી શકો છો. આ દિવસે શક્ય હોય તો રાત્રી જાગરણ કરવું.

ઘરમાં ઝઘડા ન કરવા

ઘરમાં ઝઘડા ન કરવા

ધનતેરસના દિવસે ઘરમાં બિલકુલ ઝઘડા ન કરવા. મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો ઘરની સ્ત્રીઓનું સન્માન કરો. આજના દિવસે લડાઈ-ઝઘડાથી દૂર જ રહો.

કોઈને ઉધાર ન દો

કોઈને ઉધાર ન દો

ધનતેરસના દિવસે કોઈને પણ ઉધાર આપવાથી બચવું. આ દિવસે તમારા ઘરની લક્ષ્મીનો પ્રવાહ બહાર ન થવા દો.

લોખંડ ન ખરીદવું

લોખંડ ન ખરીદવું

ધનતેરસના દિવસે લોખંડનો કોઈપણ સામાન ન ખરીદવો. આ દિવસે લોખંડ ખરીદવું શુભ નથી મનાતું. માનવામાં આવે છે કે આ દિવસે લોખંડ ખરીદવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.

નકલી મૂર્તિઓની પૂજા ન કરવી

નકલી મૂર્તિઓની પૂજા ન કરવી

આ દિવસે નકલી મૂર્તિઓની પૂજા ન કરવી. સોના, ચાંદી અથવા માટીની બનાવેલ મા લક્ષ્મીની મૂર્તિની પૂજા કરો. સ્વાસ્તિક અને ॐ જેવા પ્રતિકોને સિંદુર, હળદર કોઈ શુભ ચીજથી બનાવવા. નકલી પ્રતિકોને ઘરમાં ન લાવવા.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X