દશેરાના દિવસે કરી લો એક કામ, વૈવાહિક જીવન બની રહેશે ખુશહાલ
દશેરાના દિવસે અમુક ખાસ ઉપાય કરીને તમે જીવનમાં સુખ-સમૃદ્ધિના દ્વાર ખોલી શકો છો. આ દિવસે કરેલા ઉપાયોનુ ફળ આખુ વર્ષ મળે છે.
શારદીય નવરાત્રિના નવ દિવસીય ઉત્સવ બાદ દશેરાનો પર્વ મનાવવામાં આવે છે. દશેરા તહેવારની ધૂમ દેશભરમાં રહે છે. દશેરાને વિજયાદશમી પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શ્રીરામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો. આ દિવસે મા દુર્ગાએ મહિષાસુર નામના રાક્ષસનો અંત કરીને સૃષ્ટિની રક્ષા કરી હતી. સનાતન હિંદુ ધર્મમાં આ તિથિ ખૂબ જ શુભ માનવામાં આવી છે. દશેરાના દિવસે સર્વસિદ્ધ મુહુર્ત બને છે. આ તિથિ વર્ષના સૌથી પવિત્ર અને ફળદાયી દિવસોમાંનુ એક માનવામાં આવે છે. દશેરાના દિવસે અમુક ખાસ ઉપાય કરીને તમે જીવનમાં સુખ-સમૃદ્ધિના દ્વાર ખોલી શકો છો. આ દિવસે કરેલા ઉપાયોનુ ફળ આખુ વર્ષ મળે છે.

રંગોળી બનાવો
તમે મા લક્ષ્મીને પ્રસન્ન કરીને તેમના આશીર્વાદ મેળવવા માંગતા હોય તો આ દશેરા પર ઘરના ઉત્તર-પૂર્વ અર્થાત ઈશાન ખૂણામાં લાલ રંગના ફૂલ, રોલી કે કુમકુમથી રંગોળી બનાવો. તમે ઈચ્છો તો અષ્ટકમળ બનાવી શકો છો. આ ઉપાય કરીને ઘરની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે.

નીલકંઠના દર્શન
વર્તમાન સમયમાં તો પક્ષીઓની ઝલક મેળવવી દુર્લભ થઈ ગઈ છે. કહેવાય છે કે દશેરાના દિવસે નીલકંઠ પક્ષીના દર્શનથી સૂતેલુ ભાગ્ય પણ ખુલી જાય છે. જો નસીબનો સાથ મળે તો આ દિવસે નીલકંઠ પક્ષીના દર્શન જરુર કરો.

શસ્ત્ર પૂજા
દેશના ઘણા ભાગોમાં દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરવાની પરંપરા છે. વિજયાદશમીના દિવસે વિજય મુહુર્તમાં અસ્ત્ર-શસ્ત્રનુ પૂજન કરો. આમ કરવાથી શત્રુ પક્ષનો નાશ થાય છે અને તેમના પર તેમનો વિજય સુનિશ્ચિત થાય છે.

ઘરમાંથી નકારાત્મકતા દૂર કરવાનો ઉપાય
જો તમે ઘરમાં નકારાત્મકતાથી પરેશાન હોય અને તમને ખરાબ શક્તિઓનો પ્રભાવ લાગી રહ્યો હોય તો આ ઉપાય કામ લાગશે. દશેરાના દિવસે રાવણ દહનમાંથી નીકળેલી રાખ લો અને તેમાં સરસિયાનુ તેલ મિલાવીને ઘરની દરેક દિશામાં છાંટી દો, લાભ થશે.

શમી પૂજનનુ ખાસ મહત્વ
વિજયાદશમીના દિવસે શમી વૃક્ષની પૂજા કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. તમે પૂજામાં શમીના પત્તા પણ શામેલ કરી શકો છો. એવુ પણ માનવામાં આવે છે કે શમીના વૃક્ષની માટી પૂજા સ્થાનમાં રાખવાથી ઘરમાં નકારાત્મક અને ખરાબ શક્તિઓની અસર ખતમ થઈ જાય છે. આ દિવસે શમીના વૃક્ષની નીચે દીપક પ્રગટાવવાથી માર્ગમાં આવતા અવરોદો દૂર થાય છે.

ખુશહાલ વૈવાહિક જીવન માટે ઉપાય
જો લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવી રહી હોય અને કલેશનો માહોલ રહેતો હોય તો દશેરાના દિવસે તમારે પાન ખાવુ જોઈએ. હા, વિજયાદશમીના દિવસે પાન ખાવુ ખૂબ શુભ માનવામાં આવ્યુ છે. આનાથી વૈવાહિક જીવનમાં મધુરતા આવે છે અને સૌભાગ્ય વધે છે.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
