For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખરાબ નજર લાગવાના સંકેત, બચવા માટે કરો આ ઉપાય

તમે જીવનમાં ક્યારેકને ક્યારેક તો ખરાબ નજર મહેસૂસ કરી હતી, અથવા તો કોઈને આ વિશે કહેતા સાંભળ્યા હશે. ન ઈચ્છવા છતા અને બચવા માટેના પ્રયત્ન છતાંય લોકોને ક્યારેક ખરાબ નજર લાગી જાય છે.

|
Google Oneindia Gujarati News

તમે જીવનમાં ક્યારેકને ક્યારેક તો ખરાબ નજર મહેસૂસ કરી હતી, અથવા તો કોઈને આ વિશે કહેતા સાંભળ્યા હશે. ન ઈચ્છવા છતા અને બચવા માટેના પ્રયત્ન છતાંય લોકોને ક્યારેક ખરાબ નજર લાગી જાય છે. કોઈનું આરોગ્ય, પ્રગતિ, વેપાર, કરિયર અને પૈસાને જ ખરાબ નજર નથી લાગતી હસી ખુશીથી ચાલતા સંબંધો અને પ્રેમ જીવન અને ખરાબ નજર બરબાદ કરી નાખી છે. સૌથી વધુ અને ઝડપથી નજર લાગી જાય છે.

ખરાબ નજરનો એક એક દોષ એવો હોય છે જે વ્યક્તિના જીવનને ખૂબ જ પ્રભાવિત કરે છે. તેનાથી સફળ વ્યક્તિ સડક પર આવી જાય છે. જો તમને પણ ક્યારેક એવું લાગે કે તમારા કામ અટકી રહ્યા છે, પ્રગતિ ધીમી પડી છે, તો તેની પાછળ એક કારણ આવી ખરાબ નજર પણ હોઈ શકે છે. જ્યારે તમને આ વાતનો અંદાજ આવે તો તરત જઆ ઉપાય અજમાવો.

ઘર પર ખરાબ નજર લાગે તો

ઘર પર ખરાબ નજર લાગે તો

જો તમાને ઘરમાં પ્રવેશ કર્યા બાદ વાતવરણ ભારે ભારે લાગે અને ઘરમાં કોઈ પ્રકારની પરેશાની એક બાદ એક સામે આવે તો શક્યતા છે કે તમારા ઘરને ખરાબ નજર લાગી હોય. આવું મહેસૂસ થવા પર નારિયેળને કાળા કપડામાં વીંટીને તેને ઘરની બહાર લટકાવી દો. આવું કરવાથી ખરાબ નજરની સમસ્યા દૂર થશે. જો તમે શરૂઆતથી જ ખરાબ નજરથી બચવા ઈચ્છો છો તો કાળા દોરામાં પીળી કોડી બાંધીને ઘરના ઉંબરા પર લટકાવી દો.

વેપારમાં જો અચાનક નુક્સાન થાય

વેપારમાં જો અચાનક નુક્સાન થાય

જો તમારા ફૂલેલા ફાળેલા વ્યવસાયમાં અચાનક મંદી આવી જાય, કામ સારુ ના ચાલે અને પ્રયત્નો કરવા છતાંય પરિસ્થિતિ નિયંત્રણમાં ન રહે તો તમારે લીંબુ મરચાનો કારગર ઉપાય અપનાવવો જોઈએ. તમારે તમારી દુકાનના કોઈ ભાગમાં લીંબુ મરચા લટકાવવા જોઈએ. લીંબુ મરચા તમને ખરાબ નજરની સાથે સાથે વાસ્તુ દોષથી પણ બચાવશે. પરંતુ આ લીંબુ મરચા માત્ર મંગળવાર કે શનિવારના દિવસે જ લટકાવો. અને પ્લાસ્ટિકના લીંબુ મરચા ન લટકાવો. લટકાવેલા લીંબુ મરચા સૂકાય કે તરત જ તેને બદલી નાખો.

ઘરના કમાનાર સભ્યને નજર લાગે

ઘરના કમાનાર સભ્યને નજર લાગે

ઘરા મોટા સભ્ય પછી તે મહિલા હોય કે પુરુષ, જો તેમને નજર લાગી જાય તો તેઓ ખૂબ જ કમજોર મહેસૂસ કરવા લાગે છે, અને તેમને ઘણાં પ્રકારની શારીરિક સમસ્યાઓ થાય છે. આવી સ્થિતિમાં તે વ્યક્તિને સુવડાવીને ફટકડીનો ટુકડો માથાથી પગ સુધી સાત વાર ઉતારો. આ દરમિયાન દરેક વખતે ફટકડીને માથાથી પગ સુધી લઈ જઈને પગના તળિયાને અડાોડ. સાત વખત આવું કર્યા બાદ ફટકડીને છામાં કે પછી કાગળમાં રાખી સળગાવી દો. આમ કરવાથી નજર ઉતરી જશે. જો ફટકડી ન હોય તો રાઈ અને મરચાનો પણ ઉપયોગ કરી શકો છો.

બાળકને નજર લાગે તો

બાળકને નજર લાગે તો

જો બાળક નબળું પડી ગયું હોય, અને દૂધ ન પીતું હોય તો આવી સ્થિતિમાં દૂધને તેના માથા પરથી ત્રણ વખત ઉતારો અને પછી આ દૂધ કૂતરાને પીવડાવી જો. આમ કરવાથી નજર દોષ ુતરી જશે. જો તમને કોઈ મહિલા કે પુરુષ પર તેમના કારણે બાળકને નજર લાગવવાની શંકા ચે, તો તમે તે વ્યક્તિનો હાથ બાળકના માથા પર ફેરવાવી દો. ખરાબ નજર ઉતરી જશે.

જ્યારે ભોજનને નજર લાગે

જ્યારે ભોજનને નજર લાગે

પરિવારના કોઈ સભ્યના ભોજન પર નર લાગે ત્યારે તે વ્યક્તિને પીરસેલી થાળીમાંથી તમામ વાનગીનો થોડો હિસ્સો લઈ એક પતરાળી પર મૂકો. અને તેના પર ગુલાલ છાંટી દો. બાદમાં તેને કોઈ ચાર રસ્તા પર મૂકી આવો. ધ્યાન રાખો કે પતરાળી ચાર રસ્તા પર મૂક્યા બાદ પાછળ વળીને ન જુઓ.

English summary
evil eye effects of evil eye and its remedies
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X