પક્ષીઓના પીંછાના આ કારગર ઉપાયો તમે ક્યારેય નહિં જાણ્યા હોય !
પક્ષીઓના પીંછાના આ કારગર ઉપાયો માટે વાંચો અહી..
પ્રકૃતિની દરેક વસ્તુ મહત્વની અને ઉપયોગી હોય છે, તમે વસ્તુની ઉપયોગીતાને ન જાણતા હોવ તે જુદી વાત છે. જો કે કોઈ પણ વસ્તુને અનઉપયોગી કહી શકાય નહિં. ઝાડ-પાન, જનાવર દરેકનું પોતાનું અલગ અલગ મહત્વ છે. આજે અમે વાત કરીશું પક્ષીઓના પીંછાની. જે વ્યકિતની મુશ્કેલીઓના નિદાનમાં કેટલા ઉપયોગી સાબિત થઈ શકે છે.

કાગડાનું પીંછું
નજર લાગી હોય-જો કોઈને નજર લાગી હોય તો શુક્રવારની સાંજે કાગડાની પાંખ રોગીના માથા નીચે મુકી દો. ત્યારબાદ એક પાત્રમાં પાણી ભરી તેની પાંખોથી રોગી ઉપર છાંટો. આમ કરવાથી નજરદોષમાંથી છૂટકારો મળે છે.
યાદશક્તિ વધારવા-શુક્રવારની રાત્રે 7 પાંખોને ધોઈ સફેદ દોરાથી બાંધી બીજા દિવસે ધૂપ-દીપ કરી દોરો છોડી પોતાના જમણા હાથમાં બાંધવાથી યાદશક્તિ સારી બને છે. ફોલ્લી-ગુમડા માટે-શુક્રવારના દિવસે કાગડાનું પીંછુ લઈ સ્વચ્છ પાણીમાં પલાળી બીજા દિવસે પાણીને ધીમા તાપે ઉકાળો. જ્યારે પાણી અડધુ રહી જાય તો સ્વચ્છ વાસણમાં ભરીને રાખો. જ્યારે પણ શરીર પર ફોલ્લી-ગુમડા થાય તો આ જળને તે સ્થાને લગાવાથી જલ્દી જ લાભ થાય છે. વિજય પ્રાપ્તિ માટે-જો કોઈ કાર્યમાં સફળતા મેળવવા ઈચ્છો છો અથવા સ્પર્ધામાં વિજય ઈચ્છો છો તો મંગળવારે ગાયના ઘીમાં શાકર ભેળવી કાગડાને રોટલી ખવડાવો. સ્પર્ધામાં જતી વખતે કગડાની પીઠ પરનું પાંખ ખીસ્સામાં રાખવાથી જરૂર જીત હાંસલ થાય છે.
ચામાચિડિયાનું પીંછું
વિવાદમાં વિજય-રવિવારના દિવસે ચામાચિડિયાનું પીંછુ બાળી તેની ભસ્મને તાવીઝમાં ભરી જમણી ભુજામાં બાંધવાથી કોર્ટના કામમાં વિજય મળે છે.
ચીલનું પીંછુ
જો કોઈ શત્રુ તમને હેરાન કરી રહ્યો હોય તો ચીલના પાંચ પીંછા શત્રુના માથાથી સ્પર્શ કરાવી કીકરના મૂળમાં મુકો. જલ્દી જ તમારા શત્રુઓ તમને હેરાન કરવાનું બંધ કરી દેશે.
ઘુવડનું પીંછું
આજીવિકા માટે-જે લોકો કામ-ધંધાને લઈ ખૂબ હેરાન રહેતા હોય. તેઓ રવિવારના દિવસે પંચમી તિથિએ ચીલનું પીંછુ લઈ ગુગલની ધુની આપી સળગાવો. પછી તે ભસ્મને લાલ કપડામાં બાંધી જમણી ભુજાએ બાંધો. તેનાથી આજીવિકા માટે કરેલા પ્રયત્નો સફળતા મળશે. કોઈની પાસેથી કામ કઢાવવા-કોઈ વ્યકિતથી તમને અગત્યનું કામ હોય, પણ તે કરી ન રહી હોય તો ઘુવડનું પીંછુ લઈ ગુગલની ધૂપ આપી સિંદૂરથી પૂજન કરી પૂર્ણિમાંની રાત્રે તમારા
ખિસ્સામાં રાખી લો. પછી જેની પાસેથી કામ કઢાવવું હોય તેની પાસે જાવ તમને જરૂર સફળતા મળશે. પરીક્ષામાં સફળતા માટે-પરીક્ષા શરૂ થવાની હોય તેના 11 દિવસ પહેલા ઘુવડના સાત પીંછા એક સફેદ દોરામાં બાંધી તેનું પૂજન કરી તકીયા નીચે રાખી લો. આ 7 દિવસ સુધી કરો અને આઠમાં દિવસે રાત્રે 5 પીંછા પરીક્ષા ખંડ કે સ્ટડી રૂમની બહાર દાટી દો અને બચેલા પીંછાને એક સફેદ કપડામાં બાંધી જમણા ખિસ્સામાં રાખી પરીક્ષા આપવા જાવ.
-
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11










Click it and Unblock the Notifications
