Ganesh Utsav 2023 : ઘરમાં ગણેશ સ્થાપના કરતા પહેલા જાણી લો આ નિયમો
Ganesh Utsav 2023 : આ વર્ષ 19 સપ્ટેમ્બર, 2023, મંગળવારના રોજ ગણેશ ઉત્સવની શરૂઆત થાય છે. જેનું વિસર્જન 28 સપ્ટેમ્બર, 2023ના રોજ અનંત ચતૂર્થીના દિવસે થશે. ગણેશ ઉત્સવની શરૂઆત ભારદવા સુદ ચોથના દિવસે શરૂ થાય છે. આ દિવસે ઘરમાં ગણપતિના પંડાલમાં ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપવામાં આવે છે.
ગણેશોત્સવનો આ તહેવાર સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર દસ દિવસ સુધી ચાલે છે. આ દસ દિવસોમાં ગણપતિ બાપાની ખૂબ જ ધામધૂમથી પૂજા કરવામાં આવે છે. દસ દિવસની પૂજા બાદ ચતુર્થીના દિવસે ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવે છે. જોકે, ગણેશ સ્થાપિત કરતા પહેલા કેટલાક નિયમો જાણવું ખૂબ જ જરૂરી છે.

ગણેશ સ્થાપનાના નિયમો - જો તમે પણ તમારા ઘરમાં ગણપતિ બાપાની મૂર્તિ સ્થાપિત કરવા જઈ રહ્યા છો, તો તેની સ્થાપના ઉત્તર-પૂર્વ દિશામાં કરો. એ પણ ધ્યાનમાં રાખો કે મૂર્તિનું મુખ પશ્ચિમ તરફ હોવું જોઈએ.
ગણપતિ બાપાને સ્થાપિત કરતા પહેલા, તમે જ્યાં ભગવાન ગણેશની સ્થાપના કરવા જઈ રહ્યા છો, તે જગ્યાને સારી રીતે સાફ કરી લો. તે જગ્યાએ કોઈપણ પ્રકારની અશુદ્ધિ કે કચરો છોડશો નહીં.
આ પછી શુભ મુહૂર્તમાં બાપાની મૂર્તિની સ્થાપના કરો. ભગવાન ગણેશની સ્થાપના કર્યા બાદ, તેમની પૂજા કરો અને દરરોજ સવારે અને સાંજે આરતી કરો. બંને સમયે ભગવાન ગણેશને ભોજન અર્પણ કરો અને અગરબત્તી કરો.
એક વાતનું ધ્યાન રાખવું કે, એકવાર ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત થઈ જાય તે પછી તેને ત્યાંથી હટાવવી નહીં. વિસર્જન સમયે જ મૂર્તિને ત્યાંથી હટાવી શકાય છે.
આ સાથે એક વાત પણ ધ્યાનમાં રાખો કે, ગણેશ ઉત્સવના 10 દિવસ સુધી નોન વેજ કે આલ્કોહોલ વગેરેનું સેવન ન કરો. તેમજ આવી વસ્તુઓ ઘરે લાવો નહીં. જો શક્ય હોય તો, આ સમયગાળા દરમિયાન લસણ અને ડુંગળી ખાવાનું પણ ટાળો.
-
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ? -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ -
અમેરિકાએ ભારતને આપી ભેટ! આટલા દિવસો સુધી રશિયા પાસેથી ખરીદી શકશે તેલ, Hormuzનું ટેન્શન ખતમ







Click it and Unblock the Notifications
