Garuda Purana : આ રીતે મૃત્યુ પામવાથી મળે છે સ્વર્ગ, જાણો શું કહે છે ગરૂડ પૂરાણ?
Garuda Purana : જીવનનું સૌથી અગત્યનું અને અંતિમ સત્ય મોત છે. શ્રીમદ ભગવત ગીતામાં જણાવ્યા અનુસાર, જેનો જન્મ છે, તેનું મૃત્યુ નિશ્ચિત છે. આરંભ છે, તો અંત પણ છે. હિન્દુ ધર્મમાં એવી માન્યતા છે કે, દરેક વ્યક્તિની આત્માને તેના કર્મોના આધાર સ્વર્ગ કે નરક મળે છે, આ સાથે તેમના કર્મના આધારે સજા પણ મળે છે.
મોટાભાગના લોકો તેમના જીવનની સફરમાં સારા અને ખરાબ કાર્યો કરે છે. ઘણી વખત, તેઓ અજાણતા કેટલાક અધાર્મિક કૃત્યો કરે છે. આવી પરિસ્થિતિઓમાં, તેઓ ચિંતા કરે છે કે, શું આ ભૂલોને કારણે તેઓ નરકમાં જશે.

જ્યારે કોઈનું મૃત્યુ નજીક હોય છે, ત્યારે કેટલાક ઉપાયો છે, જેનો ઉલ્લેખ ગરુડ પુરાણમાં કરવામાં આવ્યો છે, જેના દ્વારા આત્મા સીધા વૈકુંઠ ધામમાં સ્થાન પ્રાપ્ત કરે છે.
ગંગા જળ - હિંદુ ધર્મમાં ગંગા જળનું વિશેષ મહત્વ છે. ધાર્મિક અને પરંપરાગત માન્યતાઓ અનુસાર, ગંગાનું જળ મોક્ષ પ્રદાન કરનાર માનવામાં આવે છે. જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે, ત્યારે તેના મોંમાં ગંગાજળ નાખવાથી તેના તમામ પાપો નાશ પામે છે, અને તેને સ્વર્ગમાં સ્થાન મળે છે.
ભગવત ગીતા - જો મૃત્યુ સમયે કોઈ વ્યક્તિને ભગવદ્ ગીતાનો પાઠ કરવામાં આવે, તો તે વ્યક્તિ સરળતાથી પોતાનું જીવન છોડી શકે છે અને યમદૂતો તેને સ્પર્શ કરી શકતા નથી. મતલબ કે વ્યક્તિને સ્વર્ગમાં સ્થાન મળશે.
તુલસીનો છોડ - હિંદુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ છે, તે ખૂબ જ શુભ છે. મૃત્યુ સમયે મરનાર વ્યક્તિના મોઢામાં તેનું પાન રાખવાથી તેનો અંત સુખી થાય છે અને તેની આત્માને સ્વર્ગમાં સ્થાન મળે છે.
શ્રી રામનું નામ - ભગવાન શ્રી રામનું નામ લેવાથી વ્યક્તિના તમામ પાપો નાશ પામે છે. જો કોઈ વ્યક્તિ મૃત્યુ સમયે શ્રી રામના નામનો જાપ કરે છે, તો તેને યમરાજની સજામાંથી મુક્તિ મળે છે. જ્યારે એવું લાગે કે, કોઈની અંતિમ ક્ષણો આવી રહી છે, ત્યારે તેને ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ અને તેની આસપાસની જગ્યાને સુગંધિત રાખવી જોઈએ.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
Gujarat News: ઉનાળામાં બાળકને લૂ લાગી શકે, શાળાઓ સવારની કરવા ઉઠી માંગ -
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
LPG ગ્રાહકો માટે એલર્ટ! તાત્કાલિક કરાવો e-KYC, નહીં તો કપાઈ જશે ગેસ કનેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ -
Amit Shah Speech: અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલ્યા ગૃહમંત્રી શાહ, 'સ્પીકર પર આરોપથી દેશની બદનામી' -
રાજ્યમાં હિટવેવ વચ્ચે ગરમીથી રાહત આપતા સમાચાર -
Petrol Diesel Price: 12 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ઈરાન-ઈઝરાયલ યુદ્ધના કારણે રદ થશે IPL 2026? જંગ વચ્ચે BCCIએ લીધો મોટો નિર્ણય -
Dhurandhar 2 paid preview collection: 'ધુરંધર 2' એ તોડ્યા તમામ રેકોર્ડ, આટલા કરોડ સુધી પહોંચ્યું કલેક્શન










Click it and Unblock the Notifications
