Guru Ni Mahadasha: 16 વર્ષ સુધી રહે છે ગુરુની મહાદશા, આપે છે અપાર ધન-સંપત્તિ
Guru Ni Mahadasha: જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર કુંડળીમાં હાજર રહેલા નવગ્રહનો સંબંધ તમામ રાશિના જાતકો પર પડે છે. ગ્રહોની સ્થિતિ વ્યક્તના જીવન પર શુભ અને અશુભ પ્રભાવ પાડે છે.
કુંડળીમાં કોઈપણ ગ્રહની શુભ સ્થિતિ સકારાત્મક પરિણામ આપે છે, જ્યારે અશુભ સ્થિતિ તેને નકારાત્મકતાથી ભરી દે છે. આવી જ રીતે જો કુંડળીમાં દેવગુરુ ગુરુ શુભ હોય તો વ્યક્તિને ઘણો આર્થિક લાભ મળે છે. ગુરુની શુભ સ્થિતિને કારણે વ્યક્તિને ધનનું સુખ પ્રાપ્ત થાય છે.
સારા દાંપત્યજીવનની પ્રાપ્તિ થાય. દરેક વ્યક્તિના જીવનમાં ગ્રહની મહાદશા અને અંતર્દશાનો સમય આવે છે. ગુરુની મહાદશા વ્યક્તિના જીવનમાં 16 વર્ષ સુધી રહે છે. આવી સ્થિતિમાં જો કુંડળીમાં ગુરુ મજબૂત સ્થિતિમાં હોય, તો વ્યક્તિનું ભાગ્ય ચમકે છે. તેને અપાર ધન, સમૃદ્ધિ અને સુખ મળે છે.

ગુરુની શુભ સ્થિતિ - જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે લોકોની કુંડળીમાં ગુરુ શુભ સ્થાનમાં હોય છે, તેમને જીવનમાં ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી. તે વ્યક્તિ પાસે પૈસાના પૂરતા સાધનો છે. આ સાથે જ તેઓ શિક્ષણ ક્ષેત્રે પણ પોતાના વિજય પતાકા લહેરાવે છે.
આ લોકો અન્ય લોકોમાં આકર્ષણનું કેન્દ્ર હોય છે. વ્યક્તિનું મન પૂજામાં લાગેલું હોય છે. તેઓ ઘણા પૈસા કમાય છે. વ્યક્તિને ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી. આ સાથે તેમને તમામ સુખ મળે છે.
ગુરુની મહાદશા શું છે? - શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, જ્યારે ગુરુમાં શનિ, બુધ, ગુરુ વગેરે વિવિધ ગ્રહોની અંતર્દશા હોય છે, ત્યારે વ્યક્તિને અલગ-અલગ શુભ અને અશુભ ફળ મળે છે. આ સાથે જ જો ગુરુની મહાદશામાં ગુરુની અંતર્દશા ચાલી રહી હોય, તો વ્યક્તિને સૌભાગ્યનો સાથ મળે છે. તેને સમાજમાં માન-સન્માન મળે છે, અને તેની મનોકામનાઓ પૂર્ણ થાય છે.
જીવન પર ગુરુની અશુભ અસર - જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગુરુ અશુભ સ્થાનમાં હોય, તો વ્યક્તિને જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વ્યક્તિને પૂજા કરવાનું મન થતું નથી. એટલું જ નહીં અનેક પ્રકારના રોગો વ્યક્તિને ઘેરી લે છે. વધુમાં તમે જીવલેણ રોગનો શિકાર બની શકો છો. લગ્નજીવનમાં પણ અવરોધોનો સામનો કરવો પડે.
ગુરુ ગ્રહને મજબૂત કરવા માટે કરો આ ઉપાય - જો તમારે કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત કરવી હોય, તો ગુરુવારનું વ્રત રાખો. ભગવાન બૃહસ્પતિ દેવની પૂજા કરો. તેમજ ગુરુવારે નહાવાના પાણીમાં હળદર મિક્સ કરો. તેનાથી સૌભાગ્ય વધે છે. ગુરુવારે મંદિરમાં જઈને કેળાના ઝાડની પૂજા કરો જેથી શુભ ફળ મળે. આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોને ગોળ અને પીળી મીઠાઈનું દાન કરો.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
