મનોકામનાઓ પૂર્ણ કરવા લડ્ડુ ગોપાલને લગાવો આ ભોગ
આજે જન્માષ્ટમીના દિવસે દિવસભર ભક્તો શ્રી કૃષણની ભક્તિમાં લીન રહ્યાં હશે, અને હવે મધ્યરાત્રે ઘરે ઘરે અને મંદિરોમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકીના નાદથી વાતાવરણ ભક્તિમયી બની જશે.
કાન્હાનું દરેક રૂપ ઘણું જ આકર્ષક અને મોહક છે. કાવ્યનો એવો કોઈ રસ નથી કે જે કાન્હા વગર પૂરો થાય. આજે કાન્હાને દિવસભર ભક્તોએ વિવિધ લાડ લાડાવ્યા છે. હવે રાત્રે જ્યારે વિશેષ પૂજન વિધિ કરવામાં આવશે, વિશેષ શણગાર કરવામાં આવશે, ત્યારે મનોકામના સિદ્ધી એવા આ જન્માષ્ટમીના દિવસે લાલાને કયો ભોગ ધરાવવો તે માટે પણ ભક્તોએ અનેક તૈયારી કરી છે.
આવો અમે તમારી એ સમસ્યા પણ દૂર કરી દઈએ જન્માષ્ટમીના પર્વ પર કાન્હાને શું ભોગ ધરાવશો કે જેથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય.
લડ્ડુ ગોપાલને ખીરનો ભોગ લગાવો
બાલ ગોપાલને ખીરનો ભોગ લગાવવાથી મકાન અને ધનની પ્રાપ્તિ થાય છે.
દહીં અને માખણ
બાલ ગોપાલને દહીં અને માખણનો ભોગ લગાવવાથી હંમેશા નિરોગી અને સ્વસ્થય રહેવાય છે.
દેશી ઘીનો ભોગ
દેશી ઘીથી પૂજા કરવાથી સુખ શાંતિ, અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
મિસરીનો ભોગ
કાન્હાને મિસરીનો ભોગ લગાવવાથી સારી નોકરીની પ્રાપ્તિ થાય છે.
બરફીનો ભોગ
કાન્હાને બરફીનો ભોગ લગાવવાથી બધાં જ દેવા માફ થઈ જાય છે.
ઈલાયચી વાળા દૂધનો ભોગ
કૃષણને ઈલાયચી વાળા દુધનો ભોગ લગાવવાથી સમૃદ્ધિ હાંસલ થાય છે.
રાધા-કૃષ્ણની પૂજા
રાધા-કૃષ્ણની મૂર્તિની પૂજા કરવાથી લગ્ન જલ્દી અને ઈચ્છો ત્યાં થાય છે.
લાડું
બાલ ગોપાલને લાડુંનો ભોગ ધરાવવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે.