Janmashtami 2022: ક્યારે છે જન્માષ્ટમી 18 કે 19મીએ, જાણો પૂજાના શુભ મુહૂર્ત અને વિધિ
આ વખતે લોકોમાં એક મૂંઝવણ છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમી 18 ઓગસ્ટે છે કે 19 ઓગસ્ટે. અહીં જાણો જવાબ.
નવી દિલ્લીઃ ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવે છે. શ્રી કૃષ્ણ જન્મોત્સવ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અનેક દેશોમાં ઉજવવામાં આવે છે. આ વખતે લોકોમાં એક મૂંઝવણ છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમી 18 ઓગસ્ટે છે કે 19 ઓગસ્ટે. આનુ કારણ એ છે કે અષ્ટમી તિથિ 18મી ઓગસ્ટની રાત્રિથી શરૂ થઈ રહી છે અને 19મી ઓગસ્ટની મધ્યરાત્રિ પહેલા 12 વાગ્યે સમાપ્ત થઈ જશે. આ સ્થિતિમાં લોકોના મનમાં એક પ્રશ્ન છે કે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર કયા દિવસે ઉજવવો જોઈએ - 18 ઓગસ્ટ કે 19 ઓગસ્ટ.
ભક્તોમાં એક અનેરો ઉત્સાહ
તમને જણાવી દઈએ કે હિન્દી મહિનાના ભાદ્રપદમાં કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ જન્માષ્ટમીનો તહેવાર ઉજવવામાં આવે છે. ભગવાન કૃષ્ણનો જન્મ ભાદ્રપદમાં કૃષ્ણ પક્ષની આઠમના દિવસે રોહિણી નક્ષત્રમાં થયો હતો. શ્રી કૃષ્ણ જન્મોત્સવને લઈને ભક્તોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આવો જાણીએ કે જન્માષ્ટમીની પૂજા ક્યારે થશે અને પૂજાની વિધિ શું છે?
આઠમ ક્યારે શરુ થશે
તમને જણાવી દઈએ કે ભાદ્રપદના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ આ વર્ષે 18 ઓગસ્ટના રોજ રાત્રે 9:20 વાગ્યાથી શરૂ થઈ રહી છે અને 19 ઓગસ્ટની રાત્રે 10:59 વાગ્યા સુધી ચાલશે. જન્માષ્ટમીની પૂજાનો શુભ સમય 18 ઓગસ્ટની રાત્રે 12:03 વાગ્યાથી આગામી 44 મિનિટ એટલે કે 12:47 મિનિટ સુધીનો છે. જો કે કેટલાક લોકો માને છે કે ઉદયા તિથિથી કોઈપણ તહેવાર માનવામાં આવે છે. આવી સ્થિતિમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી 19 ઓગસ્ટે ઉજવવી જોઈએ. ધાર્મિક ગ્રંથો અનુસાર ભગવાન કૃષ્ણનો જન્મ રાત્રે 12 વાગ્યે થયો હતો તેથી મોટાભાગના લોકો 18 ઓગસ્ટે જન્માષ્ટમીની ઉજવણી કરી શકે છે.
શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની પૂજા વિધિ
ઉલ્લેખનીય છે કે જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ લડ્ડુ ગોપાલની પૂજા કરવામાં આવે છે. જન્માષ્ટમીની રાત્રે 12 વાગ્યે ભગવાન કૃષ્ણના જન્મ પછી લડ્ડુ ગોપાલને દૂધ, દહીં, ઘી અને પંચામૃતથી અભિષેક કરો. પછી તેમનો શ્રૃંગાર કરો. તેમના માટે બનાવે છે. પૂજામાં લડ્ડુ ગોપાલને માખણ, મિશ્રી અને પંજીરીનો પ્રસાદ ધરાવો. તેની સાથે ભગવાનને વસ્ત્ર, તુલસી દલ અને ફળ-ફૂલ ચઢાવો. ત્યારબાદ ભગવાન લડ્ડુ ગોપાલને પારણામાં ઝુલાવો. છેલ્લે, પંચામૃતનો પ્રસાદ કે જેનાથી લડ્ડુ ગોપાલને પવિત્ર કરવામાં આવ્યા હતા તે ભક્તોમાં વહેંચો અને પોતે પણ ગ્રહણ કરો.