Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Janmashtami 2022: ઉત્તમ સંતાન અને સુખ-સમૃદ્ધિ આપે છે જન્માષ્ટમી વ્રત, જાણી લો નિયમ અને લાભ

જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરવાનુ અનેરુ મહત્વ છે. જાણો તેના નિયમ અને લાભ.

નવી દિલ્લીઃ ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે જન્માષ્ટમી 18 અને 19 ઓગસ્ટ 2022ના રોજ ઉજવવામાં આવી રહી છે પરંતુ ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ 19 ઓગસ્ટના રોજ રાખવામાં આવશે. જન્માષ્ટમીના દિવસે ઉપવાસ કરવાનુ અનેરુ મહત્વ છે. શાસ્ત્રોમાં કહેવાયુ છે કે જન્માષ્ટમીનુ વ્રત કરવાથી વ્યક્તિને સાંસારિક સુખ, સૌંદર્ય, આકર્ષણ, પ્રેમ, સમૃદ્ધિ અને સારા સંતાન સુખની પ્રાપ્તિ થાય છે.

Janmashtami

જન્માષ્ટમીના વ્રતના નિયમ

દરેક વ્યક્તિ જન્માષ્ટમી વ્રત રાખી શકે છે. પરંતુ સંતાન સુખ મેળવવા માટે મહિલાઓએ આ વ્રત અવશ્ય કરવુ જોઈએ, જો કે, દંપત્તિએ સાથે મળીને આ વ્રતનુ પાલન કરવુ જોઈએ. જે દંપત્તિઓને સંતાન ન હોય અથવા સંતાન થયા પછી બચી ન શકે અથવા બાળકો હંમેશા બિમાર રહેતા હોય તો તેમણે પોતાની મનોકામના પૂર્ણ કરવા સંકલ્પ સાથે આ વ્રત કરવુ જોઈએ. આ વ્રત કરવાથી પાપ દૂર થાય છે અને સુખની વૃદ્ધિ થાય છે. ઉપવાસ કરનાર વ્યક્તિએ ઉપવાસની પહેલાની રાત્રે અલ્પાહારી રહેવુ જોઈએ તેમજ ઈન્દ્રિયો પર નિયંત્રણ રાખવુ જોઈએ.

તિથિએ સવારે વહેલા સ્નાન કર્યા પછી સૂર્ય, સોમ(ચંદ્ર), પવન, દિગ્પતિ (ચાર દિશાઓ), ભૂમિ, આકાશ, યમ અને બ્રહ્મા વગેરેને પ્રણામ કરીને ઉત્તર દિશા તરફ મુખ કરીને બેસવુ જોઈએ. જલ-અક્ષત-કુશ હાથમાં લઈને અને માસ-તિથિ-પક્ષના જાપ કરવાથી વ્યક્તિએ પોતાની ઈચ્છિત મનોકામનાઓ પૂર્ણ કરવાનુ વ્રત લેવુ જોઈએ. ક્લીં કૃષ્ણાય નમઃ મંત્રનો સ્ફટિકની માળાથી જાપ કરવો જોઈએ. દિવસભર ઉપવાસ રાખો. જો તમારી ક્ષમતા ન હોય તો તમે ફળો લઈ શકો છો. રાત્રે 12 વાગ્યે શ્રી કૃષ્ણના જન્મ પછી પ્રસાદ ગ્રહણ કરીને ઉપવાસ તોડવામાં આવે છે.

જન્માષ્ટમી વ્રતના લાભ

નિઃસંતાન યુગલોએ જન્માષ્ટમીનુ વ્રત અવશ્ય રાખવુ. જન્માષ્ટમીનુ વ્રત એવા દંપત્તિઓએ કરવુ જોઈએ જેમના બાળકો બચતા નથી.

જે મહિલાઓના બાળકો બીમાર રહે છે, જેમને કોઈ જન્મજાત રોગ હોય તો તેમણે જન્માષ્ટમીનુ વ્રત અવશ્ય રાખવુ.

જે દંપતિઓના બાળકો ખોટા રસ્તે ચાલ્યા ગયા છે, તેઓ માનતા નથી, તેમણે પણ જન્માષ્ટમીનુ વ્રત કરવુ જોઈએ.

જન્માષ્ટમીના ઉપવાસથી આકર્ષણ પ્રભાવ વધે છે. પછી બધા તમને સાંભળવા લાગે છે.

તે સુંદરતામાં વધારો કરે છે. વાણી શક્તિ પ્રાપ્ત થાય છે.

પ્રેમની ઈચ્છા ધરાવતા યુવક-યુવતીઓએ જન્માષ્ટમીનુ વ્રત રાખીને શ્રી કૃષ્ણની પૂજા કરવી જોઈએ.

સુખ-સમૃદ્ધિ વધારવા માટે જન્માષ્ટમીનુ વ્રત અવશ્ય કરો.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X